આવતીકાલે છે Vikat Sankashti Chaturthi, આ રાશિના લોકો માટે દિવસ રહેશે Positivityથી ભરપૂર…
![Weekly Horoscope](https://bombaysamachar.com/wp-content/uploads/2024/04/Rashi-780470-1.webp)
આવતીકાલે એટલે કે 27મી એપ્રિલના દિવસે સંકષ્ટી ચતુર્થી છે અને આ દિવસે વ્રત રાખીને ગણપતિ બાપ્પાની પૂજા કરવામાં આવે છે. રાત્રે ચંદ્રમાની પૂજા કરીને અર્ધ્ય આપીને વ્રત ખોલવામાં આવે છે. આ વર્ષે વિકટ સંકષ્ટિ ચતુર્થીનો દિવસ પાંચ રાશિના જાતકો માટે શુભ સાબિત થવા જઈ રહ્યો છે. આવો જોઈએ કઈ છે આ પાંચ ભાગ્યશાળી રાશિઓ… આ 5 રાશિના જાતકોને સફળતા પ્રાપ્ત થઇ શકે છે અને યશમાં વૃદ્ધિ થઈ રહી છે. આ સમયગાળા દરમિયાન આ રાશિના જાતકોના તમામ કામ કોઈ પણ અવરોધ વિના પૂરા થઈ રહ્યા છે.
કર્કઃ
![](https://bombaysamachar.com/wp-content/uploads/2023/11/kark-1.webp)
વિઘ્નહર્તા ગણેશજી આ રાશિના જાતકો પર મહેરબાન છે અને આ રાશિના નોકરી કરી રહેલાં લોકોનો દિવસ ખુશહાલી લઈને આવી રહ્યો છે. આ રાશિના જાતકોને સારા સમાચાર સાંભળવા મળી શકે છે. મનોબળ મજબૂત બનશે અને તમારો પ્રભાવ વધશે. સમાજમાં તમારી પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. આજે કોઈ પાસેથી નાણાંકીય મદદ મેળવવા માંગો છો તો એ સરળતાથી મળી રહી છે.
સિંહ:
![](https://bombaysamachar.com/wp-content/uploads/2023/11/sih-1.webp)
સિંહ રાશિના લોકો માટે પણ સંકષ્ટી ચતુર્થીનો દિવસ આનંદદાયક રહેવાનો છે. વૈવાહિક જીવન પણ સારું રહેશે અને જીવનસાથી સાથે તમારો ખૂબ જ સારો સમય પસાર કરશો. પારિવારીક જીવન જીવવા માટે પણ આ સમયગાળો ખૂબ જ સારો છે. ભાઈ-બહેન સાથેના સંબંધો મજબૂત બની રહ્યા છે.
કન્યા:
![](https://bombaysamachar.com/wp-content/uploads/2023/11/kanya-1.webp)
કન્યા રાશિના લોકો માટે આવતીકાલનો દિવસ બિઝનેસ કરી રહેલાં લોકો માટે ખૂબ જ લાભદાયી સાબિત થવાનો છે. નફો મળવાની શક્યતા છે. આજે તમારી નાણાંકીય સ્થિતિ વધારે મજબૂત થઈ રહી છે. કોઈ જૂનો કેસ ચાલી રહ્યો હતો તો આજે એમાં પણ તમને સફળતા મળી રહી છે. આજે તમે કોઈ નવું કામ શરૂ કરવા માંગો છો તો તેના માટે દિવસ એકદમ અનુકૂળ છે.
મકર:
![](https://bombaysamachar.com/wp-content/uploads/2023/11/makar-1.webp)
મકર રાશિના જાતકો માટે આવતીકાલનો વિકટ સંકષ્ટી ચતુર્થીનો દિવસ એકદમ નિર્ણાયક બની શકે છે. આજે તમે તમારી કારકિર્દી સાથે સંબંધિત કોઈ મોટો નિર્ણય લઈ શકો છો અને ભવિષ્યમાં તમારો નિર્ણય ખૂબ ફાયદાકારક સાબિત થશે. લવ લાઈફની દૃષ્ટિએ પણ આજનો દિવસ સારો રહેશે. આ દિવસે તમે નવી પ્રોપર્ટી ખરીદી શકો છો.
મીન:
![](https://bombaysamachar.com/wp-content/uploads/2023/11/meen-1.webp)
ભગવાન ગણેશના આશીર્વાદથી આવતીકાલની વિકટ સંકષ્ટી ચતુર્થીનો દિવસ મીન રાશિના લોકો માટે જીવનમાં ખુશીઓ લઈને આવી રહ્યો છેત. મારા પરિવાર માટે સારો રહેશે. નવી નોકરી મળી શકે છે. જેઓ અપરિણીત છે, તેમના લગ્ન માટે સારા સારા માંગા આવી શકે છે. પારિવારિક જીવન સુખમય રહેશે. તમને તમારા વ્યવસાય માટે નવો પાર્ટનર મળી શકે છે અને એને કારણે તમને કામ આગળ વધારવામાં મદદ મળી શકે છે.