ઉત્સવ

વલો કચ્છ: સંસ્કૃતિની જનની ગાયત્રી જયંતી

-ડૉ. પૂર્વી ગોસ્વામી

આજના સમયમાં જ્યારે વાંચન માટેનો સમય ઓછો પડી રહ્યો છે, ત્યારે આ પ્રવચનમાળા જનમાનસમાં ઉપાસના અને આત્મવિશ્વાસના ભાવ જગાવવાનું કામ કરે છે.

ગાયત્રી મંત્ર માત્ર એક મંત્ર નહીં, પરંતુ સમગ્ર બ્રહ્માંડની સર્જનશક્તિનું સૂત્ર છે. પૌરાણિક માન્યતાઓ પ્રમાણે, બ્રહ્માજીએ વિશ્વના સર્જન માટે જેને આધારરૂપ શક્તિ તરીકે સ્વીકારી તે શક્તિ ગાયત્રી છે. આ વર્ષે 5 જૂન, 2025ના દિવસે ગાયત્રી જયંતી અને ગંગા દશેરાનું પાવન પર્વ ઉજવાયો, જે માત્ર એક તિથિ નહીં, પરંતુ આંતરિક જાગૃતિ અને રાષ્ટ્રીય એકતા માટેનો એક અવસર છે. ગાયત્રી ઉપાસના એ જીવનના સર્વાંગી વિકાસ માટેનું મહત્ત્વપૂર્ણ સાધન છે.

માત્ર મંત્રજાપ નહિ, પણ તે જીવનપદ્ધતિ છે જે મન, બુદ્ધિ અને આત્માને ઉજાગર કરે છે. આ પ્રસંગે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, શાંતિકુંજ, હરિદ્વાર તરફથી સમગ્ર વિશ્વના ગાયત્રી શક્તિપીઠો અને પરિવારજનો દ્વારા આ પવિત્ર દિવસ શ્રદ્ધા અને ઉત્સાહથી ઉજવાય છે. જેમાં યુગ નિર્માણનાં અગિયાર તત્ત્વો પર આધારિત ‘અઢાર સત્સંકલ્પો’નું પાઠ અને ગુરુવંદના દ્વારા યથાર્થ જીવન જીવવાનો સંકલ્પ લેવાય છે. આ દીર્ઘકાલિન પરંપરા અને અધ્યાત્મના માર્ગમાં એક અનન્ય યોગદાન આપનાર ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્યના સ્મરણદિન તરીકે પણ આ તિથિ મહત્ત્વ ધરાવે છે. ગુરુદેવે ગાયત્રી સાધનાના તત્ત્વને જીવનમાં ઉતારવાની સરળ પદ્ધતિઓ આપી, જે આધ્યાત્મિકતાને માત્ર આશ્રમોની અંદર નહિં, પરંતુ સામાન્ય જનજીવનમાં પ્રવાહીપણે વહી રહી.

આ સંદર્ભમાં થોડા સમય પહેલા કચ્છના શિવજીભાઈ મોઢનું લિખિત કાર્યક્ષેત્રે યોગદાન ખૂબ મહત્ત્વપૂર્ણ છે. તેમણે ‘ઋષિ ચિંતનજે સાનિધ્યમે’ અન્ય બે કચ્છી અનુવાદો સાથે ત્રણ પુસ્તકોનું ભાથું કચ્છી સાહિત્ય અને લોકોને અર્પણ કર્યું છે. તેમના લેખનકાર્ય દ્વારા ગુરુદેવના વિચારો, દર્શન અને સાધના પદ્ધતિઓનું કચ્છી જનમાનસ સુધી પારદર્શી પ્રસારણ થાય તેનું કોરોનાકાળ વખતે ઓડિયો બુક સ્વરૂપે અને હવે પુસ્તક સ્વરૂપે દર્શન કરાવ્યા છે. આજના સમયમાં જ્યારે વાચન માટેનો સમય ઓછો પડી રહ્યો છે, ત્યારે આ પ્રવચનમાળા જનમાનસમાં ઉપાસના અને આત્મવિશ્વાસના ભાવ જગાવવાનું કામ કરે છે. આ પવિત્ર પર્વે આપણે પણ ગાયત્રી તત્ત્વોને જીવનમાં ઉતારીને સત્ય, કરુણા અને સમતા પર આધારિત સમાજ ગઠનના સંકલ્પ સાથે આગળ વધીએ.

આ પણ વાંચો…વલો કચ્છ : એક ખાલી કોરું પેટથી એક ભરપૂર જીવન સુધીની કચ્છી યુવતીની અનોખી યાત્રા…

પહેલો મણકો-‘માનસિક શક્તિજો નાશ ન થીયણ ડીણું’ વિપત્તિ અચે તડે મનુષ્ય પિંઢજી જીતરીયું શક્તિએંજો ઉદિગ્ન અને અશાંત રૈ ને નાશ કરે ડેતો. તેંજો હિકડ઼ો અંઈં પ જ ઇ શાંત ચિત્ત રૂૂ ને કષ્ટે કે પર્યા કરેલા ખપે ત તેરઇ જ મુક્ત થઇ શકેતો. આપતિયું અચે તડે ધ્રૂજણું ન ખપે. માડૂકે ધીરજ સે ઉપાય કરે ભધલ પિંઢજી મિડ઼ે ક્ષમતાએં કે વ્યગ્ર ને વ્યાકુળ ભનીને નષ્ટ કરે ડેતો. કિંકર્તવ્યમૂઢ ભનીને કુરો કરીંઓ ? કિડ઼ા વિના ? કિન રીતે ભચણું… મિડ઼ે તર્ક કરે વૈ રેતો, આવેલીયું વિપતિયું 5 સો ગણી થઇને ઇનકે ધબાયેતું. જીવન મેં જુકો પ કીં સુખ-દુ:ખ અચેં તેકે ધીરજપૂર્વક તટસ્થભાવે શેન કરણાં ખપે.

સુખ ને દુ:ખ બોઇકે પિંઢ મથા વિનેલા ડિણાં ખપે ક ઈ જાણે મુસાફર આય. જીન સે પાંજો કોય લેવા-દેવા નાંય. મનુષ્યજી માનસિક શાંતિ ને બૌધિક સંતુલન બ એડ઼ીયું અમોઘ શક્તિયું એં જીન જે બર સે ખરાભ મેં ખરાભ પરિસ્થિતિએંજો 5 સામનું કરે શકાજેતો. વિપતિયું અચેતીયું ને હલઇયું વિનેતીયું. પરિસ્થિતિ ભધલાજી વિનેતીયું. જીવન કે સુખી ને સંતુષ્ટ ભનાય રખેલા મનુષ્ય ઇ પ્રત્યેક મિણી અવસ્થા મેં માનસિક શાંતિ જો ભંગ ન થેલા ડિણું ખપે.

બીજો મણકો ‘વિચારશક્તિજો જીયણ તેં પ્રભાવ’ જુકો માડૂ પિંઢલા ઉચ્ચા તીં ઉદાત વિચાર ધરાયેતો, પિંઢજે વ્યક્તિત્વ જો મૂલ્ય ઓછો નતો આંકે તેંજો માનસિક વિકાસ સહજપણે જ થૈ વિનેતો. તેંજો આત્મવિકાસ, આત્મનિર્ભરતા ને આત્મગૌરવ જાગી ઉથેતો. હિન ગુણ જે કારણ ઘણેં મિડ઼ે માડૂવેં કે જુકો નિંઢપણનું મંઢે ને યુવાની તૈ ઢબુ રેતા ને આગળ વેંધે પ્રભાવશાળી ભની વિનેતા. જિન ડીં બૈંકો ઢબુ, ધ્રૂજલધલ ને બાહ્ય વિગરજી વ્યક્તિ કે ઉથીને ઊભી થીંધી ને અગીયા વધધી નેરયોતા સમજી ગિનો કે તીન ડીં નું તેંજી વિચારધારા ભધલાઇ વૈ આય, ને હાણેં તેંજી પ્રગતિ કો રોકે નૈ શકે.

વિચારે મેં વ્યક્તિ નિર્માણજી વડ઼ી શક્તિ આય. વિચાર પરિવર્તન જે જોરે અસાધ્ય રોગીએં કે સ્વસ્થ તીં મરણપથારી મેં પેલા વ્યક્તિ કે નયું જીવન ડૈ શકાજે ને જ પાંજા વિચાર, પાલા તીં ગ્યેલા કરે, હલકા, તુચ્છ ને અવજ્ઞાપૂર્ણ હોય ન તેરૈઇ જ ભધલાઇ વિજો ને તેંજે થાન તેં ઉચ્ચ ઉદાત તીં યથાર્થ વિચારેં જો સર્જન કરે ડેયો. હિ વિચારજી ખેતી પાંજે ચિંધા, નિરાશા અથવા પરાધિનતામ અંધકારભર્યા જીવન કે લીલોછમ ભનાય ડીંધો. પાંજે વ્યક્તિત્વ કે પ્રખર ને ઉજ્જવળ ભનાયલા ભજન, પૂજન વારે જીં થોડ઼ોક વૈ ને એકાગ્ર મનનું હિન પ્રકારનું આત્મચિંતન કરયો ને નેરયો ક થોડે જ ડીંએ મેં પાંજો કાંતિકારી પરિવર્તન ડિસાયલા મંઢધો.

અને અંતે, ‘ઋષિ ચિંતનજે સાનિધ્યમે’ના નમૂનારૂપ અંશો પ્રગટ કરી ગુરુદેવ શ્રીરામ શર્મા આચાર્યના અધ્યાત્મિક ઉદ્દેશોનો આસ્વાદ આપ સૌને કરાવી રહી છું, જે વાંચકના અંતર્મનમાં પ્રકાશનાં દીપ પ્રગટાવશે.

આ પણ વાંચો…વલો કચ્છ : 1 મે 1960 ગુજરાત મહારાષ્ટ્ર સાથે કચ્છ પણ અલગ રાજ્ય બની શક્યું હોત!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button