મહારાષ્ટ્ર

દારૂ પીને અશ્લીલ કૃત્યો કરવા બિનજામીનપાત્ર ગુનો બનશે?

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
પુણેમાં એક ઉદ્યોગપતિના પુત્ર ગૌરવ આહુજાનો દારૂ પીધેલી હાલતમાં રસ્તા પર પેશાબ કરતો વીડિયો વાયરલ થયો હતો. આના અનુસંધાને ભાજપના વિધાનસભ્યોએ વિધાનસભામાં એક બિન-સરકારી બિલ રજૂ કર્યું જેમાં મહારાષ્ટ્ર દારૂબંધી કાયદામાં સુધારો કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, જેથી એવા બાળકો કે જેઓ પોતાના પિતાની કમાણી પર નશો કરીને આવા કૃત્યો કરે છે તેમને પાઠ ભણાવી શકાય. જો આ બિન-સરકારી બિલ પસાર થઈ જાય, તો જાહેર સ્થળે નશામાં હોવાનું માલૂમ પડશે તો તેને બિન-જામીનપાત્ર ગુનો ગણવામાં આવશે.

ભાજપના વિધાનસભ્યો સુધીર મુનગંટીવાર અને અતુલ ભાતખળકરે શુક્રવારે સાંજે વિધાનસભામાં એક બિલ રજૂ કર્યું, જેમાં ‘મહારાષ્ટ્ર દારૂબંધી અધિનિયમ, 1949’ માં સુધારાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

આપણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ બાદ સરકાર આ કાયદામાં સુધારો કરી એક મોટું પગલું લેવા તૈયાર…

સજામાં વધારો

આ બિલ મહારાષ્ટ્ર પ્રોહિબિશન એક્ટ, 1949ની કલમ 85ની પેટા કલમ એક અને બેમાં સુધારો કરવાનો પ્રસ્તાવ રાખે છે. ‘હોટેલ, બાર વગેરે જેવા લાયસન્સ પ્રાપ્ત સ્થળો સિવાયના કોઈપણ જાહેર સ્થળે, જ્યાં બેઠા બેઠા દારૂ પીવાની પરવાનગી ન હોય, ત્યાં કોઈપણ વ્યક્તિ દારૂના નશામાં જોવા મળે તો તે ગુનો ગણાશે અને તેને નીચે મુજબ સજા થશે: (અ) પ્રથમ ગુના માટે, તેને એક વર્ષની કેદ અને દસ હજાર રૂપિયા સુધીના દંડની સજા થશે.

(બ) પેટા-કલમ-1માં સૂચવવામાં આવ્યું છે કે પછીના ગુનાઓ માટે, સજા દોઢ વર્ષની કાળીમજૂરી અને વીસ હજાર રૂપિયા દંડ હશે. ઉપરોક્ત ગુનાને બિનજામીનપાત્ર બનાવવા માટે પેટા-કલમ-2માં સુધારો કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
હાલમાં, કાયદામાં પહેલા ગુના માટે છ મહિના સુધીની કેદ અને 10,000 રૂપિયાના દંડની જોગવાઈ છે, અને પછીના ગુના માટે એક વર્ષની કેદ અને 10,000 રૂપિયાના દંડની જોગવાઈ છે.

આપણ વાંચો: ઉદ્ધવ અને પવારના વિરોધ છતાં મોદી વકફ એક્ટમાં સુધારો કરશે: અમિત શાહ

હેતુ અને કારણો

મુનગંટીવાર અને ભાતખળકરે દારૂબંધી કાયદામાં ફેરફારો સૂચવવા પાછળનું કારણ અને હેતુ સમજાવતાં કહ્યું હતું કે ‘આપણા સમાજમાં, જાહેર સ્થળોએ દારૂ પીધા પછી સંયમ જાળવી ન શકતા નાગરિકો મોટા પાયે જોવા મળી રહ્યા છે, અને તેમની અશ્લીલ હરકતો કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડી રહી છે અને ખાસ કરીને મહિલાઓમાં અસુરક્ષા અને અસંતોષનું વાતાવરણ ફેલાઈ રહ્યું છે.’

જાહેર આરોગ્ય માટે ખતરો

‘વધુમાં, એવું જોવા મળ્યું છે કે ધાર્મિક સ્થળોની નજીકમાં પણ દારૂ પીધા પછી કેટલાક વ્યક્તિઓ બેકાબૂ વર્તન કરી રહ્યા છે.’ પરિણામે, ધાર્મિક સ્થળોની પવિત્રતા બગડી રહી છે અને જાહેર આરોગ્ય પણ જોખમાઈ રહ્યું છે.

આવા કાયદો અને વ્યવસ્થાનું ઉલ્લંઘન કરનારાઓને રોકવા માટે, જાહેર સ્થળોએ દારૂ પીતા જોવા મળતા વ્યક્તિઓ માટે સજાની જોગવાઈઓમાં વધારો કરવો ઇચ્છનીય છે. ‘તેથી, મુંબઈ દારૂબંધી કાયદામાં સુધારો કરવા માટે આ બિલ રજૂ કરવામાં આવી રહ્યું છે,’ એમ મુનગંટીવારે જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button