Gujarat માં 64 વર્ષ બાદ 8 અને 9 એપ્રિલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે

અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)64 વર્ષ બાદ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન 8 અને 9 એપ્રિલના રોજ અમદાવાદમાં યોજાશે. જેમાં દેશભરના એઆઈસીસી પ્રતિનિધિઓ હાજર રહેશે.
સરકારની જનવિરોધી નીતિઓ અને બંધારણ અને તેના મૂલ્યો પરના અવિરત હુમલાઓ દ્વારા ઉભા થયેલા પડકારો પર ચર્ચા કરશે, જ્યારે પક્ષની ભવિષ્યની રણનીતિ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. 64 વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસે અધિવેશન યોજવા જઈ રહ્યું છે. અગાઉ 1961માં ભાવનગરમાં કોંગ્રેસનું અધિવેશન યોજાયું હતું.
આપણ વાંચો: કૉંગ્રેસ અધિવેશનનાં અધ્યક્ષ પદ માટે મારું નામ પસંદ કરવામાં આવ્યું
કોંગ્રેસ કાર્યકારી સમિતિ સીડબ્લ્યુસીની વિસ્તૃત બેઠક 8 એપ્રિલના રોજ શરૂ થશે. ત્યારબાદ 9 એપ્રિલે એઆઈસીસી પ્રતિનિધિઓની બેઠક યોજાશે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે બંને બેઠકોની અધ્યક્ષતા કરશે, જેમાં કોંગ્રેસ સંસદીય પક્ષના અધ્યક્ષ કૃષ્ણા કુમાર ભાગ લેશે.
એઆઈસીસી પ્રતિનિધિઓ પણ હાજર રહેશે
આ ઉપરાંત સોનિયા ગાંધી, વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રીઓ, રાષ્ટ્રીય પદાધિકારીઓ, વરિષ્ઠ પક્ષના નેતાઓ અને અન્ય એઆઈસીસી પ્રતિનિધિઓ પણ હાજર રહેશે. આગામી સત્ર ફક્ત મહત્વપૂર્ણ ચર્ચા-વિચારણા માટેના મંચ તરીકે જ નહીં, પરંતુ સામાન્ય લોકોની ચિંતાઓને દૂર કરવા અને રાષ્ટ્ર માટે એક મજબૂત વૈકલ્પિક દ્રષ્ટિકોણ રજૂ કરવાના કોંગ્રેસ પાર્ટીના સામૂહિક સંકલ્પની પુષ્ટિ પણ કરશે.