નેશનલ

મથુરા-વૃદાંવનમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી

મથુરા: જન્માષ્ટમીની ઉજવણી માટે સોમવારે વહેલી સવારથી દેશભરમાંથી હજારો ભક્તો આ પવિત્ર નગરમાં ભગવાન કૃષ્ણ મંદિરોમાં ઉમટી પડ્યા હતા. અહીંના કૃષ્ણ જન્મભૂમિ મંદિરે સવારે ‘મંગલા આરતી’ યોજાઈ હતી, જેમાં સેંકડો લોકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર મંદિર પરિસર ‘જય જય શ્રી રાધેય’ અને ‘જય કન્હૈયા લાલ કી’ ના નારાથી ગુંજી ઉઠ્યું હતું.

મંદિરના પૂજારી મથુરા દાસે જણાવ્યું હતું કે ‘છઠ્ઠી પૂજન’ કાર્યક્રમ માટે ગોકુલના નંદ ભવન મંદિરમાં અનેક યાત્રાળુઓ ઉમટી પડ્યા હતા. કૃષ્ણ જન્મસ્થાન મંદિરમાં સોમવારે સવારે કેટલાય ભક્તો શ્લોક અને મંત્રોચ્ચાર સાથે મંજીરા અને ઢોલના તાલે નૃત્યમાં જોડાયા હતા.

આ પણ વાંચો: શેરબજારને જન્માષ્ટમી ફળી: નિફ્ટી ફરી ૨૫,૦૦૦ની ઉપર

મંદિરના અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘મંગલા આરતી’ પછી શ્રદ્ધાળુઓને ચરણામૃત આપવામાં આવ્યું હતું. વૈદિક સ્તોત્રોના ગાન અને શંખનદ સાથે રવિવારે સાંજે શ્રીકૃષ્ણ જન્મસ્થાન સ્થિત વિવિધ મંદિરોમાં શ્રધ્ધાપૂર્વક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે સોમવારે મથુરામાં કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણીનું નેતૃત્વ કર્યું હતું અને દેવતાઓને વિશેષ પ્રાર્થના કરી હતી. તેણે પહેલા દિવસે હિન્દીમાં એક્સ પરની પોસ્ટમાં જણાવ્યું હતું કે “આજે પવિત્ર શહેર મથુરામાં, મેં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી રાધા રાણીના દિવ્ય અને સુંદર સ્વરૂપોની મુલાકાત લીધી અને પૂજા કરી.

દુઃખભંજન, યશોદાનંદન, ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી રાધાજીના આશીર્વાદ આ વિશ્વ અને સમગ્ર બ્રહ્માંડમાં રહે”.
દરમિયાન વૃંદાવનમાં, રાધા શ્યામ સુંદર મંદિરમાં ઉત્સવની શરૂઆત સવારે અવિરત ‘હરિ નામ સંકીર્તન’ સાથે થઈ હતી જે બે વાગ્યા સુધી ચાલુ રહેશે, તેવું મંદિરના મહંત કૃષ્ણ ગોપાલાનંદ દેવ પ્રભુપાદે જણાવ્યું હતું.

Show More

Related Articles

Back to top button
વીક-એન્ડ પર આવી રહી છે એક્શન અને ક્રાઈમ થ્રિલર સીરિઝ, જોઈ લેજો નહીંતર… અનુલોમ વિલોમના ફાયદા એક નહીં અનેક છે સોમવારે કરો આ વસ્તુઓનું દાન, તમને મળશે ભગવાન શિવજીના આશિર્વાદ જન્માષ્ટમી પર બનશે મહાસંયોગ, આ રાશિના જાતકોની ચાંદી જ ચાંદી…