નેશનલ

પૂણે પોર્શ અકસ્માત: ટીન ડ્રાઈવરના બ્લડ સેમ્પલમાં છેડછાડ કરવા બદલ 2 ડૉક્ટરોની ધરપકડ

પૂણેઃ પૂણે પોર્શ ક્રેશ કેસમાં પોલીસ દ્વારા મોટીકાર્યવાહી કરવામાં આવી છે. પુરાવા સાથે ચેડા કરવાના આરોપમાં ડૉક્ટર અને ફોરેન્સિક વિભાગના વડાની ધરપકડ કરવામાં આવી છે, એમ પૂણેના પોલીસ કમિશનર અમિતેશ કુમારે સોમવારે જણાવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે બ્લડ સેમ્પલમાં ફેરફાર કરવામાં આવ્યા છે. અત્યાર સુધી પોલીસે સગીર આરોપીના પિતા અને દાદાની ધરપકડ કરી છે.


અમિતેશ કુમારે જણાવ્યું હતું કે પૂણેની સાસૂન હોસ્પિટલના ફોરેન્સિક વિભાગના વડા ડૉ. અજય તાવરે અને સાસૂનના મુખ્ય તબીબી અધિકારી ડૉ. શ્રીહરિ હરનોરની બ્લડ રિપોર્ટમાં પોર્શ ક્રેશ કેસમાં પુરાવા સાથે ચેડા કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. પૂણે પોર્શ અકસ્માત કેસની હાલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.


રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે સગીરને 19 મેના રોજ સવારે 11 વાગ્યે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. અહીં પ્રારંભિક બ્લડ સેમ્પલમાં આલ્કોહોલ મળ્યું ન હતું, જેના કારણે શંકા ઊભી થઈ હતી. રિપોર્ટ અનુસાર, બ્લડ સેમ્પલને અન્ય વ્યક્તિના સેમ્પલ સાથે બદલવામાં આવ્યું હતું જેણે આલ્કોહોલનું સેવન કર્યું ન હતું.


યરવડા પોલીસ સ્ટેશન સાથે જોડાયેલા એક નિરીક્ષક અને અન્ય અધિકારીને ગુનાની જાણ કરવામાં વિલંબ અને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કર્યાના દિવસો બાદ ડોકટરોની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ પર સગીરને અકસ્માત સ્થળથી અડધે રસ્તે પહોંચ્યા બાદ તબીબી તપાસ માટે ન લઈ જવાનો આરોપ છે. 19 મેની વહેલી સવારે સગીર દ્વારા ચલાવવામાં આવતી ઝડપી પોર્શ કાર દ્વારા તેમની મોટરસાઇકલને ટક્કર મારતાં બે યુવાન આઇટી પ્રોફેશનલ્સના મોત થયા હતા. પોલીસે દાવો કર્યો છે કે અકસ્માત સમયે સગીર નશામાં હતો. સગીરને શરૂઆતમાં જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા, જેણે તેને માર્ગ અકસ્માતો પર એક નિબંધ લખવાનું પણ કહ્યું હતું, પરંતુ પોલીસ દ્વારા ઉદાર વર્તન અને સમીક્ષા અરજી પર આક્રોશને પગલે, તેને 5 જૂન સુધી નિરીક્ષણ ગૃહમાં મોકલવામાં આવ્યો હતો.


પુણે પોલીસે અકસ્માતના સંબંધમાં કિશોરીના પિતા વિશાલ અગ્રવાલ કે જેઓ રિયલ્ટર છે અને તેના દાદા સુરેન્દ્ર અગ્રવાલની ધરપકડ કરી છે. ગયા અઠવાડિયે શનિવારે, પૂણે પોલીસે દાદાની ધરપકડ કરી હતી અને દાવો કર્યો હતો કે સગીરના પિતા અને દાદા બંનેએ પરિવારના ડ્રાઇવર પર પૈસાની ઓફર કરીને અને ધમકીઓ આપીને અકસ્માત માટે દોષી ઠેરવવા દબાણ કર્યું હતું. “અકસ્માત પછી, ડ્રાઇવરે યરવડા પોલીસ સ્ટેશનમાં નિવેદન આપ્યું હતું કે તે ગાડી ચલાવી રહ્યો હતો….પરંતુ બાદમાં જાણવા મળ્યું કે સગીર કાર ચલાવી રહ્યો હતો,” એમ અમિતેશ કુમારે જણાવ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ