આમચી મુંબઈ

શિયાળુ સત્ર કાંદાની નિકાસ પર પ્રતિબંધ સામે વિપક્ષોની ધમાલ

મુંબઈ: કેન્દ્ર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાદવા સામે વિરોધ પક્ષોએ વિધાનભવન બિલ્ડિંગની બહાર વિરોધ નોંધાવ્યો હતો. વિધાનસભાના શિયાળુ સત્રના ત્રીજા દિવસે ગૃહની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં જ કેટલાક વિધાનસભ્યોએ વિરોધના ચિહ્ન તરીકે ડુંગળીનો હાર પહેર્યો હતો.

વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા વિજય વડેટ્ટીવાર, અંબાદાસ દાનવે, એનસીપીના નેતા અનિલ દેશમુખ સહિત અનેક નેતાઓએ વિરોધમાં ભાગ લીધો હતો, એવું પીટીઆઈના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. તેઓએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને ડુંગળીની નિકાસ પરના પ્રતિબંધને પાછો ખેંચવાની માગણી કરી હતી. રસોડાની મુખ્ય ખાદ્ય વસ્તુની યોગ્ય કિંમત અને ખેડૂતો માટે સહાયની માગણી કરી હતી, એવું અહેવાલમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું.

સ્થાનિક પ્રાપ્યતા વધારવા અને કિંમતોને અંકુશમાં રાખવા માટે કેન્દ્રએ ૩૧મી માર્ચ, ૨૦૨૪ સુધી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. આ અંગે વિધાનભવન પરિસરમાં પત્રકારોને સંબોધતાં દાનવેએ દાવો કર્યો હતો કે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકવો એ ખેડૂતવિરોધી નીતિ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ડુંગળીના ખેડૂતોને મુશ્કેલી થઇ રહી છે. રાજ્ય સરકારે ડુંગળીના નિકાસ પરના પ્રતિબંધને હટાવવા માટે કેન્દ્રને વાત કરવી જોઇએ, એવું દાનવેએ વધુમાં જણાવ્યું હતું.

આ પહેલાં ડુંગળીના ખેડૂતોએ શુક્રવારે મહારાષ્ટ્રના નાશિકમાં ત્રણ સ્થળોએ વ્યસ્ત એવા મુંબઈ-આગ્રા હાઈવેને બ્લોક કરી દીધો હતો. અને કેન્દ્ર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધની જાહેરાત કર્યા પછી જિલ્લાની જથ્થાબંધ બજારોમાં ડુંગળીની હરરાજી અનિશ્ર્ચિત સમય માટે રોકવાનો નિર્ણય લીધો હતો.
(પીટીઆઈ)
ખેડૂતોને નુકસાની ન જાય તેનો માર્ગ શોધીશું: શિંદે
અમે એવો માર્ગ શોધીશું કે જેથી ખેડૂતો અને ગ્રાહકોને ડુંગળીની નિકાસ પર નિકાસ પર પ્રતિબંધને કારણે નુકસાનનો સામનો કરવો ન પડે, એવું ઈથેનોલ ઉત્પાદન માટે શેરડીના રસ અને ખાંડની ચકાસણીના ઉપયોગ પર પ્રતિબંધના મુદ્દા પર મુખ્ય પ્રધાને કહ્યું હતું. જોકે આ અંગે તેઓ અમિત શાહને મળશે અને વચલો માર્ગ શોધી કાઢવામાં આવશે, એવું તેમણે જણાવ્યું હતું.

ન વેચાયેલા કાંદાની ખરીદી કેન્દ્ર કરશે: ફડણવીસ

વેચાયા ન હોય કે હરરાજી થઇ નહીં હોય એ એવા કાંદાની ખરીદી કેન્દ્ર સરકાર કરશે, એવું નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું. કેન્દ્ર દ્વારા કાંદાની નિકાસ પર મૂકવામાં આવેલા પ્રતિબંધ અંગે રાજ્ય સરકાર કોઇ પણ પગલું લેવામાં આવ્યા ન હોવાના વિરોધ પક્ષના નેતા અંબાદાસ દાનવે દ્વારા સોમવારે વિધાનભવનમાં શિયાળુ સત્ર દરમિયાન ઉઠાવવામાં આવેલા સવાલના જવાબમાં ફડણવીસે જવાબ આપ્યો હતો.

શરદ પવાર નાશિકમાં ખેડૂતોના વિરોધમાં જોડાયા
એનસીપીના વડા શરદ પવાર સોમવારે મહારાષ્ટ્રના નાશિક જિલ્લામાં ડુંગળીના ખેડૂતોના વિરોધમાં જોડાયા હતા અને માગ કરી હતી કે રસોડાની મુખ્ય ખાદ્ય વસ્તુની નિકાસ પરનો પ્રતિબંધ તાત્કાલિક ધોરણ હટાવવો જોઇએ. ૩૧મી માર્ચ, ૨૦૨૪ સુધી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકવાના કેન્દ્રના નિર્ણય સામે કેટલાક ખેડૂતોએ મુંબઈ-આગ્રા નેશનલ હાઈવે પર રસ્તા રોકો આંદોલન કર્યું હતું. નાશિકના ચાંદવાડ ગામમાં ડુંગળીના ઉત્પાદકોને સંબોધતાં શરદ પવારે દાવો કર્યો હતો કે કેન્દ્ર સરકાર ખેડૂતોની માગણીને અવગણી રહી છે અને કહ્યું હતું કે ખેડૂતોએ એક થઇને તેમના હકની માગ કરવાની જરૂર છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
May’s Money Makers: 5 Zodiac Signs Set for Financial Success Craving Revenge? Here’s a Gripping Thriller You Can Stream Now! આગામી 22 દિવસ રાજા જેવું જીવન જીવશે લોકો, જોઈ લો તમારી રાશિ તો નથી ને? IPL-2024: આજે રમાનારી મેચ પહેલાં આ કોણ મળવા પહોંચ્યું RCBના Virat Kohliને?