આમચી મુંબઈમહારાષ્ટ્ર

ગોવિંદા ફરી લડશે લોકસભાની ચૂંટણી? શિંદે સાથેની મુલાકાતથી અટકળોનું બજાર ગરમાયું

મુંબઈ: જાણીતા અભિનેતા ગોવિંદા રાજકારણમાં તેની બીજી ઇનિંગ શરૂ કરવા માટે તૈયાર છે. ૨૦૦૪માં કોંગ્રેસની ટિકિટ પર સાંસદ બનેલા ગોવિંદા બીજી સીઝનમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેનામાં જોડાઈ ઉત્તર પશ્ચિમ લોકસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડે તેવી શક્યતા છે.

મહાગઠબંધનમાં ઉત્તર પશ્ચિમ બેઠક ભાજપને ફાળે જવાની ચર્ચા હતી, પરંતુ હવે શિંદે જૂથ આ બેઠક પરથી ઉમેદવાર ઊભા રાખવાની હિલચાલ કરી રહ્યું છે. અહેવાલ છે કે ગોવિંદા થોડા સમય પહેલા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને મળ્યા હતા.
ગજાનન કીર્તિકર ઉત્તર પશ્ચિમ લોકસભા મતવિસ્તારના વર્તમાન સાંસદ છે. કીર્તિકર શરૂઆતમાં લોકસભાની ઉમેદવારીને લઈને આક્રમક જોવામાં આવ્યા હતા, પરંતુ ઠાકરે જૂથે તેમના પુત્ર અમોલ કીર્તિકરને તે જ મતવિસ્તારમાં ટિકિટ આપવાની જાહેરાત કરી હતી. એ પછી ગજાનન કીર્તિકર કંઈક અંશે નરમ પડયા અને ચૂંટણી ન લડવાનો નિર્ણય કરીને તેઓ બેકફૂટ પર ગયા. જે બાદ આ બેઠક ભાજપના ફાળે ગઈ હોવાની ચર્ચા ચાલી હતી.

કોંગ્રેસની ટિકિટ પર લોકસભાના મેદાનમાં ઉતરેલા અભિનેતા ગોવિંદાએ કેન્દ્રીય પ્રધાન રામ નાઈક લગભગ ૫૦ હજાર મતોની સરસાઈ મેળવીને હરાવ્યા હતા. મતવિસ્તારના લોકો કહેતા હતા કે ગોવિંદા જ્યારે સાંસદ હતા ત્યારે તેમના સંપર્કમાં નહોતા. સંસદમાં પણ તેમની ગેરહાજરી ચર્ચાનો વિષય બની હતી.

એક વર્ષની અંદર ગોવિંદાએ રાજકારણ છોડવાનો નિર્ણય કર્યો હતો. તેણે તે સમયે નિવેદન પણ આપ્યું હતું કે તેણે રાજકારણમાં જોડાઈને પોતાનો સમય વેડફ્યો હતો અને તેની ફિલ્મી કારકિર્દીને પણ અસર થઈ હતી. પરંતુ હવે ગોવિંદા રાજકીય ક્ષેત્રે કમબેક કરશે તેવી વાતો ચાલી રહી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
May’s Money Makers: 5 Zodiac Signs Set for Financial Success Craving Revenge? Here’s a Gripping Thriller You Can Stream Now! આગામી 22 દિવસ રાજા જેવું જીવન જીવશે લોકો, જોઈ લો તમારી રાશિ તો નથી ને? IPL-2024: આજે રમાનારી મેચ પહેલાં આ કોણ મળવા પહોંચ્યું RCBના Virat Kohliને?