ટોપ ન્યૂઝનેશનલ

Pooja Khedkar વિરુદ્ધ મોટી કાર્યવાહી, ઉમેદવારી રદ, પરીક્ષામાં કાયમી ધોરણે પ્રતિબંધ

નવી દિલ્હી : યુપીએસસીએ ટ્રેની IAS Pooja Khedkar કેસને લઈને મોટી કાર્યવાહી કરી છે. જેમાં યુપીએસસીએ પૂજા ખેડકરની કામચલાઉ ઉમેદવારી રદ કરી અને ભવિષ્યની તમામ પરીક્ષાઓ/પસંદગીઓમાંથી કાયમી ધોરણે પ્રતિબંધિત કર્યા છે. આ કાર્યવાહી પૂર્વે UPSCએ વર્ષ 2009 થી 2023 સુધીના પંદર હજારથી વધુ ઉમેદવારોના 15 વર્ષના CSE ડેટાની સમીક્ષા કરી હતી. જેના આધારે પૂજા ખેડકર CSE-2022 નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દોષિત જાહેર કરાયા છે.

પૂજા ખેડકર વિવાદ

આ અંગેની વિગતો મુજબ પૂજા ખેડકર ના સર્ટિફિકેટ સહિત ઘણા દાવા નકલી હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં, UPSCએ ટ્રેઇની IAS પૂજા વિરુદ્ધ FIR પણ નોંધી છે. UPSC તપાસમાં સામે આવ્યું છે કે પૂજા ખેડકરે નકલી ઓળખનો ઉપયોગ કર્યો હતો. તેણે નકલી ઓળખનો ઉપયોગ કરીને પરીક્ષા આપી હતી. કમિશને સિવિલ સર્વિસીસ પરીક્ષા-2022 માટે તેમની ઉમેદવારી રદ કરવા અને ભવિષ્યની પરીક્ષાઓ અથવા પસંદગીઓમાંથી દૂર રાખવા માટે શો -કોઝ નોટિસ પાઠવી હતી.

સક્ષમ અધિકારીના પ્રમાણપત્રને વાસ્તવિક માનવામા આવે છે

જ્યાં સુધી ખોટા પ્રમાણપત્રો સબમિટ કરવા અંગેની ફરિયાદોનો સંબંધ છે, UPSC સ્પષ્ટ કરવા માંગે છે કે તે પ્રમાણપત્રોની માત્ર પ્રારંભિક ચકાસણી કરે છે જેમ કે સક્ષમ અધિકારી દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે કે કેમ, પ્રમાણપત્ર જે વર્ષ સાથે સંબંધિત છે, પ્રમાણપત્ર આપવાની તારીખ, પ્રમાણપત્ર પર કોઈ ઓવરરાઈટીંગ છે કે કેમ, પ્રમાણપત્રનું ફોર્મેટ વગેરે. સામાન્ય રીતે, સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ પ્રમાણપત્ર વાસ્તવિક તરીકે સ્વીકારવામાં આવે છે.

દર વર્ષે ઉમેદવારો દ્વારા સબમિટ કરવામાં આવતા હજારો પ્રમાણપત્રોની સત્યતા ચકાસવા માટે UPSC પાસે કોઈ સાધન નથી. જો કે પ્રમાણપત્રોની વાસ્તવિકતાની ચકાસણી સત્તાધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવે છે.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાવધાન, તમે તો નથી વાપરતા ને સ્કીન કેર માટે આ વસ્તુઓ? બોલિવૂડ સ્ટાર્સની પત્નીઓ પણ છે બિઝનેસ વુમન, રળે છે કરોડોની કમાણી બોલીવુડની આ અભિનેત્રીઓએ માંજરી આંખોથી કર્યા છે લાખો ફેન્સને ઘાયલ… પિંક હાઈ થાઈસ્લિટ ગાઉનમાં બાર્બી ડોલ બનીને એક્ટ્રેસે બિખેર્યો હુસ્નનો જાદુ, જોઈને બોલી ઉઠશો…