ટોપ ન્યૂઝનેશનલ

આ તારીખે ગગનયાન મિશનનું પ્રથમ પરીક્ષણ કરવામાં આવશે, કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહે આપી માહિતી

ચંદ્રયાન-3ની સફળતા બાદ ઇન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન(ઈસરો) હવે મહત્વકાંક્ષી સમાનવ અવકાશ મિશન ‘ગગનયાન’ પર કામ કરી રહ્યું છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલોજી પ્રધાન જિતેન્દ્ર સિંહે મંગળવારે જણાવ્યું હતું કે ઈસરો 21 ઓક્ટોબરના રોજ ગગનયાન મિશન માટે પ્રથમ પરીક્ષણ કરશે.

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી ટેસ્ટ વ્હીકલ ડેવલપમેન્ટ ફ્લાઇટ (ટીવી-ડી1)ના ક્રૂ મોડ્યુલનું પરીક્ષણ કરવામાં આવશે. આવતા વર્ષના અંત સુધીમાં ભારતીય અવકાશયાત્રીઓને અવકાશમાં લઇ જવાની યોજના છે.
જિતેન્દ્ર સિંહે ચંદ્રયાન-3 અને આદિત્ય એલ-1 મિશનમાં સામેલ ઈસરોના ઈજનેરોના સન્માન કાર્યક્રમમાં જણાવ્યું હતું કે પરીક્ષણમાં મોડ્યુલને બાહ્ય અવકાશમાં લોન્ચ કરવું, તેને પૃથ્વી પર પાછું લાવવું અને બંગાળની ખાડીમાં ઉતરાણ કર્યા પછી તેને પુનઃપ્રાપ્ત કરવાનો સમાવેશ થાય છે.

તેમણે જણાવ્યું હતું કે નૌકાદળે મોડ્યુલને પુનઃપ્રાપ્ત કરવા માટે પહેલેથી જ એક મોક ઓપરેશન શરૂ કરી દીધું છે.
જિતેન્દ્ર સિંહે વધુમાં જણાવ્યું હતું કે ક્રૂ મોડ્યુલની સાથે ટીવી-ડી1 “ક્રુ એસ્કેપ” સિસ્ટમનું પણ પરીક્ષણ કરવામાં આવશે, જે અવકાશયાન અવકાશ તરફ જતું હોઈ એ વખતે કોઈ સમસ્યા આવે તો ક્રૂને સલામત પૃથ્વી પર પાછા લાવવા તૈયાર કરવામાં આવ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો આ પરીક્ષણની સફળ થશે તો, પહેલા માનવરહિત “ગગનયાન” મિશન અને ત્યાર બાદ પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં અવકાશમાં સમાનવ મિશનના પહેલા તબક્કા માટે રસ્તો સાફ થઇ જશે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button