ટોપ ન્યૂઝનેશનલ

રાહુલ ગાંધી ભાન ભૂલ્યાઃ વડા પ્રધાન મોદી માટે કર્યું વિવાદાસ્પદ નિવેદન

જાલૌર: સોશિયલ મીડિયામાં લોકો પોતાની ભાવના વ્યક્ત કરે ત્યારે ભાન ભૂલતા હોય છે અને વડા પ્રધાનથી માંડી ગમે તે પદ પરના વ્યક્તિ વિશે એલફેલ બોલતા હોય છે, પરંતુ તમે પોતે જ્યારે દેશના કોઈ બંધારણીય પદ પર હોવ ત્યારે તમે અન્ય વ્યક્તિ વિશે મંચ પરથી ગમે તે બોલી ન શકો અને તે 53 વર્ષીય કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સમજવું જોઈએ, પરંતુ તેમણે આ વાતને ધ્યાનમાં ન રાખતા જાલૌર ખાતેની જનસભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે હલકી કક્ષાની ટીપ્પણી કરી હતી. ભારત વર્લ્ડ કપ હાર્યું તે દરમિયાન વડા નરેન્દ્ર મોદી અમદાવાદ ખાતે સ્ટેડિયમમાં હાજર હતા. ભારતની હારનું ઠીકરું ઘણા મોદીની હાજરીને જણાવી સોશિયલ મીડિયમાં તેમને પનોતી કહી અપમાનિત કરે છે.

રાહુલે જ્યારે જાલૌરમાં પોતાનું ભાષણ શરૂ કર્યું ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લઈ તેમની ટીકા કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન સ્ટેજની સામે બેસેલા અમુક લોકોએ પનોતી પનોતીના નારા લગાવડવાનું શરૂ કર્યું ત્યારે રાહુલે પોતાની વાત કાપ કહ્યું કે આપણા ખેલાડીઓ સારું રમી રહ્યા હતા અને કપ જીતીને આવે તેમ હતા પણ પનોતીએ હરાવી દીધા. સ્વાભાવિક રાહુલનો ઈશારો પણ મોદી તરફ હતો.

જોકે અગાઉ યુપી કૉંગ્રેસના અધ્યક્ષએ પણ હારનું ઠીકરું મોદી પર ફોડ્યું હતું અને મોદીની હાજરીને લીધે ખેલાડીઓ દબાણ અનુભવતા હતા અને તેથી હારી ગયા તેમ કહ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરી કે ગેરહાજરીથી મેચના પરિણામમાં કોઈ ફરક ન પડે અને આ રીતે કોઈ હોદ્દા પર બેસેલા વ્યક્તિનું અપમાન ન કરી શકાય તેવી સમજ સામાન્ય લોકોમાં ન હોય, પરંતુ રાહુલ જેવા શિક્ષિત અને સાંસદપદ પર બેસેલા વ્યક્તિએ આ પ્રકારના લોકરંજક નિવેદનોથી દૂર રહેવું જોઈએ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…