ટોપ ન્યૂઝનેશનલ

ઓપરેશન અજય: ઈઝરાયલથી બીજી ફ્લાઈટ ૨૩૫ ભારતીયો સાથે દિલ્હી પહોંચી

અમદાવાદ: ઓપરેશન અજય હેઠળ ઈઝરાયલમાં ફસાયેલા ભારતીયોની બીજી બેચ શનિવારે સવારે નવી દિલ્હી પહોંચી હતી. બે શિશુઓ સહિત 235 લોકો વિશેષ વિમાન મારફતે દિલ્હી પહોંચ્યા હતા. વિદેશ રાજ્ય પ્રધાન રંજન સિંહે એરપોર્ટ પર લોકોનું સ્વાગત કર્યું.

ભારતીયના વિદેશ મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભારતીય મુસાફરોને લઈને આવતી ફ્લાઈટ શુક્રવારે રાત્રે 11.02 કલાકે તેલ અવીવથી ટેક ઓફ થઇ હતી. ભારતીય દૂતાવાસે કહ્યું હતું કે દૂતાવાસે ત્રીજી બેચમાં સામેલ લોકોને ઈમેલ દ્વારા જાણ કરી હતી. લોકોને આગામી ફ્લાઇટ્સ માટે ફરીથી મેસેજ કરવામાં આવશે.

ઇઝરાયલના ભારત પરત ફરેલા લોકોએ કહ્યું હતું કે ઇઝરાયેલમાં ભયનું વાતાવરણ છે. ત્યાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. અમને ઈઝરાયેલમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ભારત સરકારનો આભાર.

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈના હમાસ વચ્ચે છેલ્લા એક સપ્તાહથી યુદ્ધ ચાલી રહ્યું છે, જેમાં અત્યાર સુધીમાં લગભગ 3,000 લોકોના મોત થઈ ચૂક્યા છે. ઈઝરાયલમાં ફસાયેલા ભારતીય નાગરિકોની સુરક્ષિત ભારત લાવવા માટે ભારત સરકારે ‘ઓપરેશન અજય’ શરૂ કર્યું છે. આ ઓપરેશન દ્વારા ઈઝરાયલથી એવા જ લોકોને લાવવામાં આવી રહ્યા છે જેઓ ભારત પરત આવવા ઈચ્છે છે. એક દિવસ પહેલા, 212 ભારતીયોની પ્રથમ બેચ નવી દિલ્હી પહોંચી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…