ટોપ ન્યૂઝનેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

સસ્પેન્સ ખતમઃ Nitish Kumar અને Chandrababuએ કરી મોટી જાહેરાત…

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના પરિણામો (Loksabha Election Result)માં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માટે ચોંકાવનારા અને વિશ્વેલષણ કરનારા છે ત્યારે નવી સરકાર માટે એનડીએ સાથે ઈન્ડિ ગઠબંધનને તૈયારીઓ કરી છે. હવે ભાજપને એનડીએ (નેશનલ ડેમોક્રેકિટ એલાયન્સ)ના સાથી પક્ષોને સાથે રાખીને ચાલવું પડશે.

આજે એનડીએની બેઠકમાં સાથી પક્ષોમાં મુખ્યત્વે ટીડીપી (TDP Chief Chadrababu Naidu) અને જનતા દળ (યુનાઈડેટ)નો સપોર્ટ જરુરી છે. આ બંને સાથી પાર્ટીના વડા નીતીશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ સપોર્ટ આપવાની જાહેરાત કરી છે.

બંને દિગ્ગજ નેતાઓમાં આજે ટીડીપીના વડા ચંદ્રાબાબુ નાયડુ અને નીતીશ કુમારે ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપતો પત્ર સોંપ્યો હતો. આ પત્ર આપવામાં આવ્યા પછી એનડીએની બેઠક પછી તમામ નેતાના સહકારથી સરકાર બનાવવાની રજૂઆત કરી શકે છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

આ પણ વાંચો: દિલ્હીમાં NDA ની બેઠક, Nitish Kumar આપશે હાજરી, અનેક મુદ્દાઓ પર થશે ચર્ચા

આ અગાઉ ચંદ્રાબાબુ નાયડુએ જાહેરાત કરીને કહ્યું હતું કે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું કે કોંગ્રેસની આગેવાની હેઠળના ઈન્ડિ ગઠબંધન સાથે જવાની કોઈ વાત જ નથી. અમે બધા અનુભવી છીએ. દેશના રાજકારણમાં ઘણા બધા ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે. અમે લોકો એનડીએ સાથે છીએ અને અમે બેઠકમાં પણ ભાગ લેવાના પણ છીએ.

દરમિયાન એનડીએની બેઠકમાં હાજરી આપ્યા પહેલા આરજેડીના પ્રમુખ જયંત ચૌધરીએ કહ્યું હતું કે નીતીશ કુમાર મહત્ત્વના નેતા છે અને દેશને સાચું માર્ગદર્શન આપનારા નેતા છે. નીતીશ કુમારે જે કોંગ્રેસ દ્વારા ગઠિત ગઠબંધનને છોડવાનો નિર્ણય લીધો તે યોગ્ય હતો. નીતીશ કુમારે મને ઘણું બધુ શીખવાની તક મળશે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

Back to top button
ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker