ભારત-કેનેડા વચ્ચેના સંબંધોમાં લખાશે નવો અધ્યાય: PM મોદીને G7 સમિટનું આમંત્રણ

નવી દિલ્હીઃ પૂર્વ વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની સમર્થક નીતિ વચ્ચે ભારત સરકાર સાથે સંબંધો બગાડ્યા પછી આજે બંને દેશ વચ્ચે એક નવા અધ્યાયની શરુઆત થઈ શકે છે, જે અંતર્ગત આજે કેનેડામાં થનારી જી-7 સમિટનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ મળ્યું છે.
કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીએ ખૂદ ફોન કરીને પીએમ મોદીને આમંત્રણ આપ્યું છે. પીએમ મોદીએ પણ તેમના આમંત્રણનો સ્વીકાર કર્યો હતો અને સોશિયલ મીડિયા પર આ અંગે જાણકારી આપી હતી.
આપણ વાંચો: ત્રીજી મુદતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પહેલી વિદેશયાત્રા ઈટાલીમાં: જી-7 સમિટમાં હાજરી આપશે
વડા પ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર શું લખ્યું?
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું, કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીએ ફોન કરીને ખુશી વ્યક્ત કરી છે. તાજેતરમાં થયેલી ચૂંટણીમાં તેમની જીત પર અભિનંદન આપ્યા અને આ મહિનાના અંતમાં યોજાનારા જી 7 શિખર સંમેલનમાં આમંત્રણ આપવા બદલ આભાર માન્યો. ભારત અને કેનેડા પરસ્પર સાથે મળીને કામ કરશે. શિખર સંમેલનમાં અમારી મુલાકાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ.
ખાલિસ્તાનને મજબૂત સમર્થન મળતા ભારત માટે ચિંતા
આ પહેલા કેનેડામાં આયોજિત થઈ રહેલા G-7 સંમેલનમાં આ વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભાગ નહીં લે તેવા અહેવાલો સામે આવ્યા હતા. સંમેલનમાં સામેલ ન થવા પાછળનું કારણ ભારત-કેનેડા તણાવ અને સુરક્ષાની ચિંતાને જણાવવામાં આવ્યું હતું. કેનેડામાં ખાલિસ્તાની કટ્ટરપંથી તત્ત્વોને જોતાં વડા પ્રધાન મોદી માટે ત્યાં જવું ચિંતાનો વિષય છે.
આપણ વાંચો: Team Melodiએ હરખથી વધાવી લીધો Giorgia Meloniના વીડિયોને, કલાકોમાં જ મળ્યા આટલા વ્યૂઝ…
વડા પ્રધાન મોદી 2019થી લઈ સમિટમાં ભાગ લે છે
G-7 દુનિયાની 7 વિકસિત અર્થવ્યસ્થાઓમાં કેનેડા, ફ્રાન્સ, ઈટલી, જાપાન, બ્રિટેન અને અમેરિકાનું સંગઠન છે, જેના વાર્ષિક શિખર સંમેલનમાં દુનિયાના અન્ય પ્રભાવશાળી દેશોના નેતાઓને પણ નિમંત્રણ આપવામાં આવે છે. વડા પ્રધાન મોદી 2019થી આ સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે. કેનેડામાં હવે સરકાર બદલાઈ ગઈ છે. દેશના નવા વડા પ્રધાન માર્ક કાર્નીએ ભારત સાથેના સંબંધોને સુધારવાને લઈને પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
વિશ્વ શાંતિ, સુરક્ષા, મજબૂત અર્થતંત્રનો મુખ્ય ઉદ્દેશ
51મું વાર્ષિક G7 શિખર સંમેલન 15 થી 17 જૂન, 2025 સુધી કેનેડાના આલ્બર્ટાના કનાનસ્કિસમાં આયોજિત કરવામાં આવશે. આ આયોજન G7ની સુવર્ણ જયંતિનું પ્રતીક છે. G7 શિખર સંમેલન વિશ્વની સૌથી અદ્યતન અર્થવ્યવસ્થાઓના સાત નેતાઓની વાર્ષિક બેઠક છે.
કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટલી, જાપાન, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા તેના સભ્યો છે. યુરોપિયન યુનિયન પણ ચર્ચાઓમાં ભાગ લે છે. આ શિખર સંમેલનમાં વિશ્વ શાંતિ, સુરક્ષા, મજબૂત અર્થતંત્ર અને ડિજિટલ ટેકનોલોજીમાં પરિવર્તન જેવા અનેક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે
અહીં એ જણાવવાનું કે ખાલિસ્તાની સમર્થક હરદીપસિંહ નિજ્જરની હત્યા પછી ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો વણસ્યા હતા. નિજ્જરની હત્યા અંગે ભારત પર જસ્ટિન ટ્રુડોની સરકારે ગંભીર લગાવ્યા હતા, ત્યારબાદ બંને દેશ વચ્ચેના સંબંધોમાં અવરોધ આવ્યો હતો, ત્યાર બાદ હવે નવા ડેવલપમેન્ટ અને નવી સરકાર સાથે મોદી સરકારનો નવો અધ્યાય લખી શકાય છે.