IPL 2024ટોપ ન્યૂઝસ્પોર્ટસ

ટીમ ઈન્ડિયાની પ્રેક્ટિસ જર્સીના રંગ પર મમતા બેનર્જી સવાલ ઉઠાવ્યા, કહ્યું- આ સ્વીકાર્ય નથી

કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ ભારતીય ક્રિકેટ ટીમની પ્રેક્ટિસ જર્સીના રંગ બાબતે સવાલો ઉઠાવ્યા છે. તેમણે ભાજપ પર ભારતીય ક્રિકેટ ટીમ સહિત દેશભરની વિવિધ સંસ્થાઓનું ભગવાકરણ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. સુત્રોના અનુસાર, મધ્ય કોલકાતાના ખસખસ માર્કેટમાં જગધાત્રી પૂજાના ઉદ્ઘાટન સમયે સીએમ બેનર્જીએ આરોપ લગાવ્યો હતો કે ભાજપે માત્ર ક્રિકેટ ટીમની પ્રેક્ટિસ જર્સીમાં જ નહીં પરંતુ મેટ્રો સ્ટેશનોની પેઇન્ટિંગમાં પણ ભગવો રંગ લગાવ્યો છે.

એક કાર્યક્રમમાં મમતા બેનર્જીએ કહ્યું કે તેઓ (ભાજપ) સમગ્ર દેશને ભગવા રંગમાં રંગવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમને અમારા ભારતીય ખેલાડીઓ પર ગર્વ છે. મને ખાતરી છે કે તેઓ વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનશે પરંતુ તેઓ ત્યાં પણ ભગવો રંગ લઇ આવ્યા. મમતા બેનર્જીએ કહ્યું કે આપણા ખેલાડીઓ હવે ભગવા રંગની જર્સીમાં પ્રેક્ટિસ કરે છે. મેટ્રો સ્ટેશનોને ભગવા રંગથી રંગવામાં આવ્યા છે. આ અસ્વીકાર્ય છે.

મમતા બેનર્જીએ બસપા સુપ્રીમો માયાવતી પર પણ નિશાન સાધ્યું હતું. એક ઉદાહરણ આપતાં તેણે કહ્યું કે મેં એક વાર જોયું હતું. માયાવતીએ પોતાની એક પ્રતિમા બનાવી હતી. તે પછી, મેં એવું કંઈ સાંભળ્યું નહીં. આવા યુક્તિઓ હંમેશા ફાયદો નથી અપાવતી. સત્તા આવે છે અને જાય છે.

મમતા બેનર્જીના નિવેદન પર ભાજપે પણ વળતો પ્રહાર કર્યો છે. બીજેપી નેતા શિશિર બજોરિયાએ કહ્યું કે જ્યારે તેઓ કહે છે કે ટીમ ઈન્ડિયાનું ભગવાકરણ થયું છે કારણ કે તેઓ પ્રેક્ટિસ દરમિયાન કેસરી જર્સી પહેરે છે તો પછી જ્યાં ભગવો ટોચ પર હોય તેવા ત્રિરંગા વિશે એમનું શું કહેવું છે? સૂર્યના પ્રથમ કિરણનો રંગ કેવો હોય છે? તેમણે પોતે જ શહેરને વાદળી અને સફેદ રંગોથી રંગ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button