પત્રકાર સૌમ્યા વિશ્વનાથન મર્ડર કેસ: દિલ્હીની સાકેત કોર્ટે પાંચેય આરોપીઓને દોષિત ઠેરવ્યા
ટોપ ન્યૂઝનેશનલ

પત્રકાર સૌમ્યા વિશ્વનાથન મર્ડર કેસ: દિલ્હીની સાકેત કોર્ટે પાંચેય આરોપીઓને દોષિત ઠેરવ્યા

2008માં ટીવી પત્રકાર સૌમ્યા વિશ્વનાથનની હત્યા કેસમાં દિલ્હીની સાકેત કોર્ટે પાંચેય આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. કોર્ટે રવિ કપૂર, અમિત શુક્લા, બલજીત મલિક, અજય કુમાર અને અજય સેઠીને દોષિત ઠેરવ્યા છે. આ કેસની આગામી સુનાવણી 26 ઓક્ટોબરે થશે. દોષિતોની સજા 26 ઓક્ટોબરે જ જાહેર કરવામાં આવશે. તમામ આરોપીઓને મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (MCOCA), હત્યા અને લૂંટમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે.

સૌમ્યા વિશ્વનાથનની હત્યા થયાને 15 વર્ષ થઈ ગયા છે, દક્ષિણ દિલ્હીના નેલ્સન મંડેલા રોડ પર તેમની કારમાંથી તેની લાશ મળી આવી હતી. દલીલો પૂર્ણ થયા બાદ સાકેત કોર્ટે 13 ઓક્ટોબરે આ કેસમાં પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આ કેસમાં તમામ આરોપીઓ સામે મકોકા હેઠળ આરોપો ઘડવામાં આવ્યા હતા.

સૌમ્યા વિશ્વનાથન 30 સપ્ટેમ્બર 2008ના રોજ બપોરે 3.30 વાગ્યે પોતાની કારમાં ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન તેમને ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. પોલીસે દાવો કર્યો હતો કે તેમની હત્યા પાછળનો હેતુ લૂંટનો હતો. રવિ કપૂર, અમિત શુક્લા, બલજીત મલિક, અજય કુમાર અને અજય સેઠીની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી, તમામ આરોપીઓ માર્ચ 2009 થી કસ્ટડીમાં છે. પોલીસે આરોપીઓ પર મકોકા પણ લગાવ્યો હતો.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button