ટોપ ન્યૂઝનેશનલ

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોને મળી સફળતા, 24 કલાકમાં 6 આતંકીઓ ઠાર, આઠની શોધખોળ શરૂ

શ્રીનગર : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ રાજ્યમાં આતંકવાદીઓ સામેની કાર્યવાહી વધુ તેજ બનાવવામાં આવી છે. સુરક્ષા દળોએ 24 કલાકમાં અથડામણમાં 6 ખૂંખાર આતંકવાદીઓ માર્યા છે.

જોકે, તેની બાદ આઠ આતંકવાદીઓની શોધ હજુ પણ ચાલુ છે. આ અંગે જમ્મુ અને કાશ્મીર પોલીસ, સેના અને સીઆરપીએફના અધિકારીઓએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને આતંકવાદીઓ સામે ચલાવવામાં આવી રહેલા સફળ અભિયાનની માહિતી આપી હતી.

આપણ વાંચો: એકસ્ટ્રા અફેર : કર્નલ સોફિયા દેશ કી બેટી કે આતંકવાદીઓની બહેન?

કુલ 6 આતંકવાદીઓનો ખાત્મો

જમ્મુ કાશ્મીરમાં ચાલી રહેલા આતંકવાદ વિરોધી અભિયાન અંગે માહિતી આપતા પોલીસ આઈજીપી વીકે બિરદીએ જણાવ્યું હતું કે, છેલ્લા 48 કલાકમાં, અમે બે ખૂબ જ સફળ કામગીરી હાથ ધરી છે. આ બે કામગીરી કેરન અને ત્રાલ વિસ્તારોમાં કરવામાં આવી હતી. જેમાં કુલ 6 આતંકવાદીઓનો ખાત્મો થયો હતો. અમે રાજ્યમાં આતંકવાદી ઇકોસિસ્ટમને નાબૂદ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.

આપણ વાંચો: એકસ્ટ્રા અફેર: અમેરિકાએ આતંકવાદીઓને ફાયદો કરાવી દીધો-ભરત ભારદ્વાજ

સુરક્ષા દળોના સંકલન અને બહાદુરીના કારણે આ શક્ય બન્યું

આ ઉપરાંત સીઆરપીએફના આઈજી મિતેશે કહ્યું, સૌપ્રથમ, હું આપણા સૈનિકો અને સુરક્ષા એજન્સીઓના અધિકારીઓને અભિનંદન આપવા માંગુ છું જેમણે આ કામગીરી સફળતાપૂર્વક પાર પાડી.

સુરક્ષા દળોના સંકલન અને બહાદુરીના કારણે આ શક્ય બન્યું છે. હું તમને બધાને ખાતરી આપવા માંગુ છું કે આ સંકલન ભવિષ્યમાં પણ રહેશે અને આપણે જમ્મુ કાશ્મીરમાંથી આતંકવાદને સંપૂર્ણપણે નાબૂદ કરી શકીશું. હું જનતાનો પણ તેમના સમર્થન માટે આભાર માનું છું. આ સમર્થન સાબિત કરે છે કે તેઓ પણ ઇચ્છે છે કે જમ્મુ અને કાશ્મીરમાંથી આતંકવાદનો અંત આવે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button