Jammu Kashmir સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા , બે જવાન શહીદ | મુંબઈ સમાચાર

Jammu Kashmir સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા , બે જવાન શહીદ

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં(Jammu Kashmir) કઠુઆમાં એક એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા.જ્યારે કિશ્તવાડમાં અન્ય એક એન્કાઉન્ટરમાં સેનાના બે જવાનો શહીદ થયા હતા અને બે જવાનો ઘાયલ થયા હતા. સુરક્ષા દળોએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યા બાદ કિશ્તવાડના ચટરૂમાં ગોળીબાર શરૂ થયો હતો. વ્હાઇટ નાઈટ કોર્પ્સે જણાવ્યું હતું કે ભીષણ ગોળીબારમાં ચાર સૈનિકો ઘાયલ થયા હતા. જેમાંથી બે શહીદ થયા હતા

સ્ટાર કોર્પ્સના જવાનોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા

સૂત્રોએ જણાવ્યું હતું કે કિશ્તવાડમાં એન્કાઉન્ટરમાં સામેલ આતંકવાદીઓ જુલાઈમાં ડોડામાં અગાઉ થયેલા અન્ય એક એન્કાઉન્ટરમાં સામેલ હતા. આ કાર્યવાહીમાં એક અધિકારી સહિત ચાર જવાનો શહીદ થયા હતા.કઠુઆમાં હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં રાઇઝિંગ સ્ટાર કોર્પ્સના જવાનોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા.

25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે મતદાન

18 સપ્ટેમ્બરે ચિનાબ ખીણ પ્રદેશના ડોડા, કિશ્તવાર અને રામબન જિલ્લાઓમાં આઠ વિધાનસભા મતવિસ્તારો અને દક્ષિણ કાશ્મીરના અનંતનાગ, પુલવામા, શોપિયા અને કુલગામ જિલ્લાની 16 બેઠકો પર મતદાન થવાના દિવસો પૂર્વે આ એન્કાઉન્ટર થયા હતા.બીજા અને ત્રીજા તબક્કામાં જમ્મુ, કઠુઆ અને સાંબા જિલ્લામાં અનુક્રમે 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે મતદાન થશે.

Back to top button