ટોપ ન્યૂઝનેશનલ

Haldwani Violence: પોલીસે યુપીમાં નાખ્યો પડાવ, આ નેતાનું નામ બહાર આવતા પક્ષે…

હલ્દવાનીઃ હલ્દવાનીમાં હિંસા કરનારા બદમાશોને પકડવા માટે પોલીસે પશ્ચિમ યુપીમાં ધામા નાખ્યા છે. પોલીસને અનેક ઈનપુટ મળ્યા છે. બરેલી લઈ જતી વખતે બદમાશના મોતની પુષ્ટિ થઈ શકી નથી. ચોંકાવનારી વાત એ છે કે આ હિંસામાં ભાજપના પણ એક નેતાની સંડોવણી હોવાનું ખૂલ્યું છે, જોકે પક્ષના કહેવા અુનસાર તે હવ ભાજપમાં સક્રિય નથી.

હલ્દવાનીના બનભુલપુરામાં અથડામણ બાદ ઘાયલ યુવકને બરેલી લઈ જવામાં આવ્યો હતો, તેનું રસ્તામાં જ મોત થયું હતું. આ બાબતની હજુ પુષ્ટિ થઈ નથી. હિંસાના તાર હોઈ પશ્ચિમ યુપી, બરેલી સાથે જોડાયેલા હોવાની સંપૂર્ણ શક્યતાઓ વચ્ચે પોલીસે યુપીમાં પડાવ નાખ્યો હોવાનુ અહેવાલો જણાવે છે.


પોલીસ પાસે ઘણા હુમલાખોરો રાજ્યની બહાર જતા હોવાની માહિતી પણ છે. આ કારણે પોલીસની ટીમોને બરેલી અને પશ્ચિમ યુપીમાં મોકલવામાં આવી છે. અશાંતિના ત્રીજા દિવસે પણ બનભુલપુરામાં પોલીસ અને અર્ધલશ્કરી દળોની કડકાઈ વધારી દેવામાં આવી છે.


સીએમ, ચીફ સેક્રેટરી અને ડીજીપીની મુલાકાત બાદ અહીં ફોર્સની પ્રવૃત્તિ અને સંખ્યા બંને વધારી દેવામાં આવી છે. ગુરુવારે જ્યાં પીએસી અને પોલીસ દળના જવાનોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. શુક્રવારે પણ ITBPના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે અને SSBના જવાનોને શનિવારે તૈનાત કરવામાં આવ્યા છે જેથી આ વિસ્તારમાં સુરક્ષાને મજબૂત કરી શકાય.


બીજી તરફ હુમલાખોરોના બાહ્ય સંબંધો હોવાના કેટલાક પુરાવા મળ્યા બાદ પોલીસની ટીમો પશ્ચિમ યુપી જવા રવાના થઈ ગઈ છે. પેટ્રોલ બોમ્બ બનાવનારા બહારના હતા કે કેમ તે પોલીસ શોધી રહી છે. આ ઉપરાંત પોલીસ અનેક પાસાઓ પર તપાસ કરી રહી છે. SSP પ્રહલાદ નારાયણ મીણાએ કહ્યું કે દરેક એંગલથી તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ ટૂંક સમયમાં ખુલાસો કરશે.


સૂત્રો અનુસાર આ હિંસા કેસમાં પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે. આઉટગોઇંગ કાઉન્સિલર મહેબૂબ આલમની પણ ધરપકડ કરવામાં આવી છે. મહેબૂબ ભાજપના નેતા હોવાનું કહેવાય છે, પરંતુ તેમનું નામ આવ્યા બાદ પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે કે તેઓ સંગઠનમાં સક્રિય નથી. જ્યારે સોશિયલ મીડિયા પર ભાજપના નેતાઓ સાથે મહેબૂબ આલમની ઘણી તસવીરો છે.


આ અંગે એક અહેવાલમાં ભાજપના જિલ્લા પ્રમુખ પ્રતાપ બિષ્ટએ કહ્યું કે તેઓ પાર્ટીના જિલ્લા અધ્યક્ષ હતા ત્યારથી મહેબૂબ આલમ તેમના સમયમાં પાર્ટીમાં સક્રિય જોવા મળ્યા ન હતા. તેઓની સંસ્થા પ્રત્યે કોઈ જવાબદારી નથી. અગાઉના જિલ્લા પ્રમુખ પ્રદીપ બિષ્ટનું કહેવું છે કે જ્યારે ડીપીસીની ચૂંટણી થઈ ત્યારે તેમણે પાર્ટીને સમર્થન આપ્યું હતું અને તે સમયે પાર્ટી સાથે આવ્યા હતા. પરંતુ તેની પાસે કોઈ જવાબદારી ન હતી. તેઓ લગભગ બે વર્ષથી પાર્ટીમાં સક્રિય નહોતા, તેમ મીડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ