
Farmer Protest: પંજાબ અને હરિયાણાના લગભગ 23 ખેડૂત સંગઠનોએ 13 ફેબ્રુઆરીએ દિલ્હી સુધી કૂચની જાહેરાત કરી છે, જેમાં MSP પર કાયદાકીય ગેરંટી અને MS સ્વામીનાથન કમિશનની ભલામણોને લાગુ કરવાની માંગણી કરી છે (kisan andolan 2024). આ પહેલા ખેડૂતોના આંદોલનને લઈને એક ઈન્ટેલિજન્સ રિપોર્ટ (intelligence report) સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આ વિરોધની તૈયારીઓ ઘણા મહિનાઓ પહેલા જ શરૂ થઈ ગઈ હતી. અહેવાલ મુજબ, ખેડૂતોએ ટ્રેક્ટર માર્ચ કાઢવા માટે 40 રિહર્સલ (હરિયાણામાં 10 અને પંજાબમાં 30) કર્યા છે.
પંજાબના ગુરુદાસપુરમાં સૌથી વધારે 15 ટ્રેક્ટર માર્ચ રિહર્સલ થયા છે. આંદોલન માટે 15 થી 20 હજાર ખેડૂતો 2000-2500 ટ્રેક્ટર સાથે દિલ્હી કૂચ કરી શકે છે. ગુપ્તચર અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, કેરળ અને કર્ણાટકના ખેડૂતો રાષ્ટ્રીય રાજધાની તરફ આવી રહ્યા છે.
આ આંદોલનને લઈને ખેડૂત સંગઠનોએ 100 થી વધુ બેઠકો કરી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અસામાજિક તત્વો આ આંદોલનનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી શકે છે અને તેમાં સામેલ થઈને કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડી શકે છે.
આ ખુફિયા રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, દિલ્હીની આસપાસના રાજ્યોના ખેડૂતો કાર, બાઇક, મેટ્રો, રેલ, બસ દ્વારા રાષ્ટ્રીય રાજધાની આવી શકે છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કેટલાક ખેડૂતો ગુપ્ત રીતે પીએમ, ગૃહમંત્રી, કૃષિ મંત્રી અને ભાજપના મોટા નેતાઓના ઘરની બહાર ડેરા જમાવી શકે છે. દિલ્હીમાં પ્રવેશવા માટે બાળકો અને મહિલાઓને આગળ મૂકી શકાય છે. તેથી સોશિયલ મીડિયા પર નજર રાખવાની જરૂર છે. દિલ્હીની સરહદો પર મજબૂત બેરિકેડિંગ અને અંદર પણ કડક સુરક્ષાની જરૂર છે.
દિલ્હીની સરહદો પર રસ્તાઓ રોકવા માટે મોટી ક્રેન્સ અને કન્ટેનર મૂકવામાં આવ્યા છે. જો ખેડૂતો કોઈ રીતે હરિયાણા અને પંજાબને પાર કરીને દિલ્હીની સરહદમાં પ્રવેશવાનો પ્રયાસ કરશે તો ક્રેન્સ અને કન્ટેનર વડે સરહદ સીલ કરી દેવામાં આવશે. ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે, ‘એક તરફ સરકાર અમને વાતચીત માટે આમંત્રણ આપી રહી છે, તો બીજી તરફ હરિયાણામાં અમને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
સરહદો સીલ કરવામાં આવી રહી છે, કલમ 144 લાગુ કરવામાં આવી છે. ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. શું સરકારને ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવાનો અધિકાર છે? આવી સ્થિતિમાં હકારાત્મક વાતાવરણમાં વાતચીત થઈ શકે નહીં. સરકારે આ બાબતે તાત્કાલિક ધ્યાન આપવું જોઈએ.