ટોપ ન્યૂઝનેશનલ

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે અયોધ્યા છાવણીમાં ફેરવાયું

અયોધ્યા/નવી દિલ્હી: અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તેના માટે સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે, જ્યારે એનડીઆરએફની ટીમના જવાનોની સાથે હેઝમેટ વાહનોને તહેનાત કરવામાં આવશે. આ ઉપરાંત, રાસાયણિક, જૈવિક, રેડિયોલોજિકલ અને પરમાણુ હુમલાઓ તેમજ ધરતીકંપ અને ડૂબવાની ઘટનાઓ જેવી આપત્તિઓનો સામનો કરવા માટે પ્રશિક્ષિત અનેક એનડીઆરએફની ટીમો, રામાભિષેક સમારોહ પહેલા અયોધ્યામાં તહેનાત કરવામાં આવી છે.

નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ના ડાયરેક્ટર જનરલ અતુલ કરવલે શુક્રવારે જણાવ્યું હતું કે આ ટીમોએ કોઈપણ આકસ્મિક પરિસ્થિતિનો સામનો કરવા માટે મંદિરના નગરમાં સતત પરિચિતતાની કવાયત અને સિમ્યુલેશન કવાયત હાથ ધરી રહી છે.

તેમણે કહ્યું હતું કે દિલ્હીમાં તાજેતરમાં પૂર્ણ થયેલ જી-૨૦ સમિટ દરમિયાન એનડીઆરએફની બહુવિધ ટીમો, થોડા હેઝમેટ વાહનોને અયોધ્યામાં કોઈપણ પ્રકારની આપત્તિ અથવા મુશ્કેલીનો અસરકારક રીતે સામનો કરવા માટે તહેનાત કરવામાં આવ્યા છે.

૨૨ જાન્યુઆરીના પ્રસંગ પછી પણ જ્યાં સુધી શહેરમાં વિવિધ ધાર્મિક પ્રવૃત્તિ અને યાત્રાળુઓનો ધસારો ચાલુ રહેશે ત્યાં સુધી ટીમો અયોધ્યામાં તહેનાત રહેશે. આ અભિષેક સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સરકારી અને ખાનગી ક્ષેત્રના મહાનુભાવો હાજરી આપશે.

મલ્ટિ-ટન હેઝમેટ વાહનો ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા બનાવવામાં આવ્યા હતા અને આ દરેક સ્વદેશી બનાવટના વાહનોની કિંમત લગભગ પંદર કરોડ રૂપિયા છે. ઉપરાંત, ડૂબવાની કોઈપણ ઘટનાને પહોંચી વળવા માટે ફોર્સની ડાઇવિંગ ટીમોને સરયુ નદી અને શહેરના અન્ય જળાશયો પર તૈનાત કરવામાં આવી છે. આ સિવાય બચાવ ટુકડીઓ તેમના સાધનો અને ડોગ સ્ક્વોડ સાથે અયોધ્યામાં છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Kuno National Park Celebrates Mothers Among Magnificent Mammals રાહુનો મીન રાશિમાં પ્રવેશ કઈ રાશિને ફળશે Bollywood Beauties Captivate as Enchanting Tawaifs Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing