વિશેષ: આતંકવાદથી ડર્યા… પર્યટક ટુરિઝમ સંકટમાં

મનોજ પ્રકાશ
પહલગામમાં આતંકવાદીઓએ કરેલા નરસંહારને પગલે પર્યટન ઉદ્યોગ હચમચી ગયો છે. ટુરિઝમથી ગુજરાન ચલાવનારા જ નહીં, પરંતુ શોખીન સહેલાણી અને દેશની નીતિ આગળ વધાનારા રાજનેતા પણ ડરેલા-સમસમી ગયેલા છે. પહલગામથી શરૂ થયેલો આ ભય ચારધામ યાત્રા અને કૈલાશ યાત્રામાં જ નહીં, પરંતુ હંમેશા જ્યાં ભીડ જોવા મળે છે એ નૈનીતાલ, સિમલા અને મનાલી જેવા સદાબહાર ટુરિસ્ટ પ્લેસમાં પણ સહેલાણી દેખાતા નથી. આતંકવાદને લીધે કડક બનાવવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થા અને ઝડતીની માઠી અસર સામાન્ય ટુરિસ્ટ પર પડી છે.
સરકાર સુરક્ષા ગમે એટલી જડબેસલાક બનાવે, સહેલાણીને ગમે એટલી સુવિધા આપે, પરંતુ સહેલાણીના મનમાંથી એવો ડર નાબૂદ થયો નથી કે કોઈ અનિચ્છનીય ઘટના બનશે. જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાન ઉમર અબ્દુલ્લાએ કબૂલાત કરી હતી કે કાશ્મીર વેલીમાં ટુરિઝમ ઉદ્યોગ સંપૂર્ણપણે ભાંગી પડ્યો છે.અમે અમરનાથ યાત્રા પછી પાટા પર પ્રવાસન ઉદ્યોગ લાવીશું. આનો અર્થ એ થયો કે ઉમર પણ કહી શક્યા નહીં કે પરિસ્થિતિ પૂર્વવત થઈ છે. હકીકત એ છે કે પહલગામ પહેલાં આતંકવાદીઓએ પર્યટક-શ્રદ્ધાળુ પર કદી હુમલો કર્યો નથી. સહેલાણીઓમાં ગભરાટ એટલો પેસી ગયો છે કે તેઓ પર્વત તરફ જોેઈ પણ શકતા નથી. આ જ કારણ છે કે ચારધામ યાત્રામાં પહેલા જેટલી ભીડ નથી. અહીં સહેલાણીની સંખ્યા દસ ટકા ઘટી છે. બીજા ટુરિસ્ટ સિટીમાં પહેલાં તો ભયંકર ભીડ જોવા મળતી હતી, પરંતુ ત્યાં પણ ભીડ નથી. કાશ્મીરના યુવાનો કહે છે કે અમારે પથ્થરબાજી નથી કરવી, અમારે કામ જોઈએ છે. હવે બાળકોનું વેકેશન પડ્યું છે અને મેદાન પ્રદેશમાં ગરમી વધી ગઈ છે તો પણ પર્યટન સ્થળોમાં ટુરિસ્ટોની સંખ્યા ઓછી જ છે. જે વેપારીઓની રોજીરોટી મે-જૂન મહિનાની કમાણીથી ચાલે છે એ લોકો એમ કહી રહ્યા છે કે ટુરિસ્ટોમાં જોશ નથી. આતંકવાદીને તેમનાં કુકર્મોની સજા જરૂર મળશે, પરંતુ આતંકવાદીઓએ ટુરિઝમ ઉદ્યોગને મોટો ફટકો માર્યો છે.
આ પણ વાંચો: વિશેષ : ચિનાબ આ નદી નથી, ભારત-પાક સંબંધનો જલસ્રોત છે
હવે પર્યટકોનો ડર કેવી રીતે કઢાય એ સવાલ બધાની સામે છે. મનોચિકિત્સક કહે છે કે સહેલાણી એમ વિચારે કે કોઈ દુર્ઘટના નહીં થાય. તેઓ કહે છે કે આનંદ' ફિલ્મના સદાબહાર ડાયલોગ આપણને જીવન જીવવાનું શીખવાડે છે. આમાં રાજેશ ખન્ના કહે છે કે
જિંદગી અને મરણ ઉપરવાળાના હાથમાં છે. જહાંપનાહ આને ન તો તમે બદલાવી શકશો અને ન હું, આપણે બધા રંગમંચની કઠપૂતળી છીએ જેની દોર ઉપરવાલાના હાથમાં છે. કોણ કેવી રીતે ઉઠાવે એ કોઈ જાણતું નથી.’
ટુરિઝમ એક્સપર્ટે કહ્યું હતું કે તમે એવી વસ્તુઓ કરો જેથી તમે કમ્ફર્ટ ઝોનથી બહાર આવો. ધીરે ધીરે એક્સપોઝર વધારો જેથી તમારી અસહજતા, ડર, ચિંતા અને પરેશાનાની ભાવના જતી રહે. આ એવી મનોવૈજ્ઞાનિક થેરપી છે કે જે તમને ડરનો સામનો કરવામાં મદદ કરે છે. ડરથી બચવા યોગમાં ઘણાં આસનો છે જે તમને ઘરની બહાર રીલેક્સ કરી શકે.
ટુરિઝમ એક્સપર્ટ માને છે કે ડર તો છે પરંતુ પહલગામની ઘટનાએ ફેલાવ્યો એટલો ન હોવો જોઈએ. તેઓ કહે છે કે સહેલાણી એ જગ્યા પર જાય જેની સુરક્ષા વ્યવસ્થા અંગે તેમને ખાતરી હોય. સામૂહિક યાત્રા આનો એક ઉપાય છે. ટુર ઓપરેટર અને સ્થાનિક મિત્ર-કુટુંબીજનનો સંપર્ક કરવાથી તેમનો ડર ઓછો થશે. સકારાત્મક વિચાર, સંગીતનો આનંદ, પ્રકૃતિથી નિકટતાથી અને પર્યટક સાથીદારોથી વાતચીતથી સહેલાણીમાં ડર ગાયબ થઈ જાય.
આ પણ વાંચો: વિશેષ: પરિવારના સાથ સાથે સ્વાદ પીરસતી…
દેશમાં યાત્રા દરમિયાન ડરની ટકાવારી કેટલી છે એના પર થોડી ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. આની સાથે સુરક્ષા વ્યવસ્થા, આતંકવાદી સમર્થક દેશોથી છેટું અને બહેતર પર્યટક વ્યવસ્થાને પણ ધ્યાનમાં રાખવો જોઈએ જેથી ભયમુક્ત યાત્રા થાય. પાકિસ્તાનને સમર્થન દેનારા તુર્કી અને અજરબૈજાન જેવા દેશોના બહિષ્કારથી પણ આતંકવાદની કમર તોડી શકાશે.
પર્યટકોમાં રહેલો ડર દૂર કરવાનો એક જ ઉપાય છે કે નવાં પર્યટક સ્થળોનો વિકાસ કરવો. જમ્મુ અને કાશ્મીરના ચાર ડઝનથી વધારે પર્યટક સ્થળો સુરક્ષા એજન્સીઓની સલાહથી કેન્દ્ર સરકારે પ્રતિબંધિત કર્યા છે. આવામાં નવા પર્યટન સ્થળોનો વિકાસ જરૂરી છે. હાલનાં વર્ષોમાં આદિ કૈલાશ-ઓમ પર્વત નવા ધાર્મિક સ્થળ બન્યાં છે. આસામના ચરાઈદેવ મોઈરદામ જેવા પર્યટક સ્થળોના રૂપમાં સામે આવ્યા છે. જે ધાર્મિક, સાંસ્કૃતિક અને પ્રાકૃતિક આનંદ આપે છે. કેન્દ્ર સરકારે હવે બીજા બે ડઝન સ્થળોને પર્યટક સ્થળો તરીકે વિકસાવવાનું નક્કી કર્યું છે. સહેલાણી ડરી ગયા છે, પરંતુ સાવધાનીથી સ્થળની પસંદગી કરવી જોઈએ જેથી સિદ્ધ થશે કે ડરની આગળ જીત છે.