ઉત્સવ

વિશેષ : ખેડૂતોનો કમાઉ દીકરો સફરજન…

-વીણા ગૌતમ

ભારતમાં સફરજન એ સર્વ શ્રેષ્ઠ ફળોમાંનું ફળ છે. આજકાલ આ દરેક ઋતુમાં મળે છે અને આ ફળ ખાવું પણ ગમે છે પરંતુ એ વાત અલગ છે કે હર કોઈ ખાઈ નથી શકતું. હેલ્થની દ્રષ્ટિએ જોઈએ તો સફરજન એ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. ડોકટરો તો એમ કહે છે કે, રોજનું એક સફરજન ખાવું જોઈએ. એમ કહેવામાં આવે છે કે, જે રોજ એક સફરજન ખાય તેણે કોઈ દિવસ ડોકટર પાસે જવાની જરૂર પડતી નથી.

ઈનફેક્ટ સફરજન એટલું મહત્ત્વનું ફળ છે કે, દરેક જગ્યાએ સફરજનની માંગ ખૂબ જ છે. આ જ કારણસર મોટાભાગે સફરજન આશરે 100 રૂપિયા આસપાસ મળે છે. આર્થિક દ્રષ્ટિએ સફરજનનું ઝાડ ખેડૂતો માટે ખૂબ જ મહત્વનું છે. ભારતમાં સફરજનના ઝાડ મોટાભાગે પર્વતીય સ્થળો પર કે જ્યાં ઠંડુ વાતાવરણ હોય ત્યાં મળી આવે છે. હવામાનમાં ફેરફાર અને કૃષિ ક્ષેત્રમાં થયેલી પ્રગતિના કારણે હવે સફરજન પંજાબ, હરિયાણા અને મધ્ય પ્રદેશ જેવા મેદાન પ્રદેશોમાં પણ ખેડૂત દ્વારા ઉગાડવામાં આવી રહ્યું છે આથી તેમની આર્થિક સ્થિતિ બદલાઈ રહી છે.

ભારતમાં સફરજનની ખેતી ક્યાં થાય છે?
વર્ષોથી સફરજનનું ઉત્પાદન હિમાચલ પ્રદેશ , જમ્મુ કાશ્મીર , ઉત્તરાખંડ , અરુણાચલ પ્રદેશ , નાગાલેન્ડ અને સિક્કિમ જેવા ઊંચાઈવાળાં ક્ષેત્રોમાં થતું આવ્યું છે. પરંતુ ઉપર જણાવ્યા મુજબ કૃષિ ક્ષેત્રમાં થયેલી પ્રગતિના કારણે હવે પંજાબ, હરિયાણા અને મધ્ય પ્રદેશ જેવા મેદાન પ્રદેશોમાં પણ ખેડૂત દ્વારા અલગ અલગ વેરાઈટીના સફરજન ઉગાડવામાં આવી રહ્યા છે. પરંપરાગત રીતે હિમાચલ પ્રદેશના સિમલા, કિન્નોર, કુલ્લુ, મંડી અને ચંબા જેવા રાજ્યો સફરજનના ઉત્પાદન માટે જાણીતા છે. જેમકે જમ્મુ અને કાશ્મીરના શોપિયા, બારામુલા, પુલવામા, અને અનંતનાગ જેવાં રાજ્યો સફરજનના ઉત્પાદનમાં અવ્વલ છે તો ઉત્તરાખંડમાં આવેલા અલ્મોડા, નૈનીતાલ, ચમોલી અને ઉત્તરકાશી જેવા જિલ્લાઓમાં પણ સફરજનની ખેતી થાય છે.
ખેડૂતો માટે સફરજન શું કામ મહત્ત્વપૂર્ણ છે.

સફરજનની ખેતી ખેડૂતો માટે માત્ર આર્થિક દ્રષ્ટિએ જ લાભદાયક નથી પરંતુ આનાથી જોડાયેલા ઘણા સામાજિક પરિબળો પર પણ આધાર રાખે છે જેમકે, સફરજન એક નકદી પાક છે. આનું વેચાણ મૂલ્ય ખૂબ જ વધારે હોય છે. ખાસ કરીને સારી કવોલિટીના સફરજનનું. તેથી જ સફરજનના પાકથી સારી એવી કમાણી થાય છે. સફરજનનું ઝાડ માત્ર ખેડૂત માટે જ આર્થિક સહાયતા નથી આપતું પરંતુ ખેત મજૂરો માટે પણ એક આર્થિક સહાય ઊભી કરે છે. એમ કહેવાય કે, એક સફરજનનું ઝાડ પાંચ લોકોને રોજગાર પુરો પાડી શકે છે. ભારતના સફરજન દુનિયામાં ધણી જગ્યાએ એક્સપોર્ટ કરવામાં આવે છે જેનાથી સારી એવી વિદેશી નકદ પ્રાપ્ત થાય છે, કે જેની દેશની આર્થિક પ્રગતિમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે.

સફરજનના ઝાડથી આશરે કેટલી આવક
સફરજનના એક ઝાડમાંથી એક ખેડૂતને દર વર્ષે 100 થી 200 કિલ્લો જેટલા ફળ મળે છે . એક હેકટરમાં લગડેલો સફરજનનો બગીચો 5 થી 7 વર્ષમાં ફળની પેદાશ ચાલુ કરી દે છે. એક હેકટર સફરજનના બગીચાની દર વર્ષે 10 થી 15 લાખ રૂપિયાની કમાણી કરવા માટે ખેડૂતે દર વર્ષે 5 થી 7 લાખ રૂપિયોનો ખર્ચો કરવો પડે છે કે જે કોઈપણ હાલમાં ફાયદો અપાવે. આમ જોઈએ તો સફરજનના એક હેક્ટરનો બગીચો રાખવાવાળો હર ખેડૂત વર્ષના અંતમાં 10 થી 15 લાખનો ફાયદો મેળવે છે.

આવાહનનો સામનો કરવો પડે -સફરજનના ઝાડથી આવક તો ખૂબ જ સારી રીતે થાય છે, પરંતુ તેની સાથે અમુક આવાહનનો સામનો પણ કરવો પડે છે જેમકે,-ગ્લોબલવોર્મિંગને કારણે સફરજનના પાકમાં ઘણી મુશ્કેલીઓ આવે છે. તાપમાન વધવાને કારણે સફરજનના છોડમાં જોઈએ તેવા ફૂલ નથી આવતા અને ઘણી વખત તાપમાન વધારે હોવાને કારણે આવેલા ફૂલ પણ કરમાઈ જાય છે. જેને કારણે ફળોની ક્વોલિટી પર અસર પડે છે.

-વરસાદથી પણ સફરજનના પાકને નુકસાન થાય છે પરંતુ આનાથી પણ મોટું સંકટ એટલે દલાલોની વધતી જતી દાદાગીરી . ઘણી વખત દલાલો એક થઈ જાય અને ખેડૂતોને ઓછા ભાવમાં પાક વેચવા પર મજબૂર કરે છે.
-સફરજનના કારોબારમાં સૌથી મોટું સંકટ એટલે સફરજનનો સંગ્રહ કરવો અને લિમિટેડ કોલ્ડ સ્ટોરેજ.
કેવી રીતે મળશે ઉત્તમ પાક
-ખેડૂત સંગઠનોએ મળીને સફરજનનું વિતરણ સંભાળવું જોઈએ, જેથી દલાલો બ્લેકમેઈલ ન કરી શકે. આની સાથે સરકાર દ્વારા આપવા જેવી સફરજનની ખેતીથી લઈને બીજી જાતની સબસિડી અને બીજી યોજનાઓનો પણ ફાયદો લેવો જોઈએ.
-આ બધાં જ મામલે ખેડૂત જો સાવચેતી રાખે તો દરેક ખેડૂતને થતી આર્થિક શ્થિતિને સુધારી શકે.

આપણ વાંચો : વિશેષઃ ડાયાબિટીસના દર્દીઓ કેરીનું સેવન કરી શકે?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button