Uncategorized

રમૂજી સવાલના મનમોજી જવાબ

દર્શન ભાવસાર

શું મારવા છતાંય વાગતું નથી?

  • આંખ-ફાંકો-ડંફાંસ
    દશા અને દિશા કયારે બદલાય?
  • સંબંધના ભરચક ટ્રાફિકમાંથી ટર્ન લો ત્યારે…
    ગુલ અને ફૂલ કોણ ખીલવે?
  • ગુલ મજનૂ ખીલવે અને ફૂલને માળી.
    રવિ ના પહોંચે ત્યાં પહોંચે કવિ. પછી કવિ ક્યાં જતા હશે?
  • કવિ સંમેલનમાં…અને પ્રકાશકને ત્યાં.
    ગુસ્સાથી ચહેરો લાલ- પીળો થઈ જાય. બીજો રંગ કેમ નહીં?
  • ટ્રાફિક સિગ્નલની જેમ કહે છે : થોભો…!
    આજકાલ પાંવ જમીન પર નહીં હોતે….કવિ શું કહેવા માગે છે?
  • એ જ કે પડોશણના પતિએ કવિને એવો ઠપકાર્યો છે કે બેઉ પગે પાટા આવ્યા છે!
    જોર જુલમ અને જોરૂ જુલમમાં ફરક શું?
  • એક જાહેરમાં અને બીજો ઘરમાં…
    રાજયોગની જેમ રાણી યોગ મળે?
  • કોઈને રાજ યોગ મળે પછી જ એને રાણી યોગ ફળે…
    હવે ડિવોર્સ મોંઘા થઈ રહ્યા છે…
  • આ અમસ્તી જ વાત કરો છો કે અંગત અનુભવ?
    લગ્નની જેમ ડિવોર્સ વખતે વરે અણવર લઈ જવો પડે?
  • ના, વકીલ લઈ જવા પડે…
    પરીક્ષાની જેમ પ્રેમમાં એટીકેટી મળે તો?
  • રિપીટર વધી જાય…
    ભાગદોડ એટલે શું ?
  • દોડીને ભાગી જાવ એ…
    સંપેતરાં મોકલવામાં પેંતરો રચે એને શું કહેવાય?
  • સંપેતરાંબાજ.

    આ પણ વાંચો…રમૂજી સવાલના મનમોજી જવાબ…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button