Uncategorizedમહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર સરકાર વીર સાવરકરની બેરિસ્ટર ડિગ્રી પુન:સ્થાપિત કરશે

મુંબઈ: ભારતીય યુવાનોમાં સ્વતંત્રતાની ભાવના જગાવનારા સ્વતંત્રતા સેનાની વીર સાવરકરની ‘બીએ’ અને ‘બેરિસ્ટર’ની ડિગ્રી અંગ્રેજોએ છીનવી લીધી હતી. આમાંથી મુંબઈ યુનિવર્સિટી દ્વારા ‘બીએ’ ડિગ્રી પરત કરવામાં આવી હતી. હવે મહારાષ્ટ્ર સરકારે એવી જાહેરાત કરી છે કે હવે વીર સાવરકરની બેરિસ્ટરની ડિગ્રી પુન:સ્થાપિત કરવાના પ્રયાસો શરૂ કરવામાં આવશે.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે કહ્યું હતું કે ‘અમે તે ડિગ્રી પુન:સ્થાપિત કરવા માટે શક્ય તમામ પ્રયાસો કરીશું અને સાવરકરને મરણોત્તર ‘બેરિસ્ટર’ની ડિગ્રી પ્રદાન કરીશું.

મુંબઈ યુનિવર્સિટી દ્વારા આયોજિત ‘સ્વાતંત્ર્યવીર વિનાયક દામોદર સાવરકર સ્ટડી એન્ડ રિસર્ચ સેન્ટર’ના ઉદ્ઘાટન પ્રસંગે ફડણવીસે આ જાહેરાત કરી હતી. આ કાર્યક્રમમાં રાજ્યપાલ સી.પી રાધાકૃષ્ણન પણ હાજર રહ્યા હતા, ફડણવીસે કહ્યું કે આ નવું સંશોધન કેન્દ્ર વીર સાવરકરનું બેરિસ્ટર પદ પાછું મેળવવાના કાર્યમાં મદદ કરશે. તેમણે આશા વ્યક્ત કરી કે આ સંદર્ભમાં દરખાસ્તો અને દસ્તાવેજો રજૂ કરવામાં આવે. તેમણે કહ્યું કે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ જે કાર્યાલયમાં બેસે છે, ત્યાં તેમની ખુરશી પાછળ ફક્ત બે ફોટા છે. એક આર્ય ચાણક્યનો અને બીજો સ્વાતંત્ર્યવીર સાવરકરનો. તેથી, સાવરકર પ્રત્યેની તેમની ભક્તિ શબ્દોમાં વ્યક્ત કરવાની જરૂર નથી.

આ પણ વાંચો: PM Modi એ માર્સેલીમાં વિશ્વયુદ્ધના શહીદ ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પી, વીર સાવરકરને પણ કર્યા યાદ…

ફડણવીસે કહ્યું હતું કે સાવરકરનું જીવન પ્રેરણાદાયક છે. તેમણે બાળપણમાં અભિનવ ભારત જેવી સંસ્થાની સ્થાપના કરીને ભારતીય સ્વતંત્રતા વિશે જાગૃતિ ફેલાવી. તેમણે લંડનમાં ઇન્ડિયા હાઉસ દ્વારા મહાન કાર્ય કર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button