પુરીમાં ભગવાન શ્રી જગન્નાથની ભવ્ય રથયાત્રા 12 દિવસ સુધી ચાલશે, આ રહ્યું સંપૂર્ણ સમયપત્રક

પુરી, ઓડિશાઃ ભગવાન જગન્નાથની રથયાત્રા આજથી ઓડિશાના પુરીમાં શરૂ થઈ રહી છે. આ ભવ્ય યાત્રા પુરીના જગન્નાથ મંદિરથી શરૂ થાય છે અને ગુંડીચા મંદિર સુધી જાય છે. એવું માનવામાં આવે છે કે ભગવાન જગન્નાથ વર્ષમાં એકવાર તેમની બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે તેમના કાકાના ઘર ગુંડીચા મંદિરમાં જાય છે. પુરીમાં સૌથી મોટી રથયાત્રા નીકળે છે. મહત્વની વાત એ છે કે, આ રથયાત્રા બાર દિવસે સુધી ચાલે છે. આ રથયાત્રા કુલ 12 દિવસ ચાલશે, જે 8 જુલાઈ 2025 ના રોજ નીલાદ્રી વિજય સાથે સમાપ્ત થશે.
11 જૂનથી શરૂ થાય ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના દર્શન
આ રથયાત્રા 12 દિવસ માટે આયોજિત કરવામાં આવે છે, તેની તૈયારીઓ મહિનાઓ અગાઉથી શરૂ થઈ જાય છે. આ રથયાત્રા દરમિયાન ઘણી ધાર્મિક વિધિઓ, ધાર્મિક વિધિઓ અને વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના સાર્વજનિક દર્શન 11 જૂનથી જ શરૂ કરી દેવામાં આવે છે. પુરીના રથયાત્રા માટે મોટી સુરક્ષાના આવશ્યકતા રહેતી હોય છે કારણ કે, 12 દિવસ ચાલતી આ રથયાત્રા અતિભવ્ય હોય છે. આ વર્ષે એક સંકલિત કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર સ્થાપિત કરવામાં આવ્યું છે, જ્યાં અમારી પાસે સીસીટીવી સર્વેલન્સ સિસ્ટમ છે જે સંપૂર્ણપણે એઆઈ આધારિત છે. ટ્રાફિક હેતુ માટે ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.
12 દિવસ ચાલતી જગન્નાથ રથયાત્રા 2025 નું સંપૂર્ણ સમયપત્રક
27 જૂન, શુક્રવાર – રથયાત્રાની શરૂઆત
શ્રી જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા ત્રણ ભવ્ય રથોમાં બેસી પુરીના જગન્નાથ મંદિરમાંથી ગુંડિચા મંદિરે યાત્રા કરે છે. હજારો ભક્તો ભારે દોરડાઓ વડે રથ ખેંચે છે. રથચઢતી પહેલાં પુરીના રાજા ‘છેરા પહરાં’ની પરંપરા નિભાવે છે, જેમાં તેઓ સોનાના ઝાડુ વડે રથના મંચની સફાઈ કરે છે.
1 જુલાઈ, મંગળવાર – હેરા પંચમી
ભગવાન જગન્નાથ પાંજ દિવસ ગુંડિચા મંદિરમાં વિહાર કરે છે. પાંચમા દિવસે દેવી લક્ષ્મી નારાજ બની તેમને મળવા આવે છે. આ પરંપરાને હેરા પંચમી કહેવામાં આવે છે.
4 જુલાઈ, શુક્રવાર – સંધ્યાદર્શન
ગુંડિચા મંદિરે વિશેષ દર્શન યોજાય છે. આ દિવસે ભક્તો ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના ભવ્ય દર્શન કરે છે. આ દિવસે દર્શન કરવા ખૂબ શુભ માનવામાં આવે છે.
5 જુલાઈ, શનિવાર – બહુડા યાત્રા
ભગવાન જગન્નાથ અને તેમના ભાઈ-બહેન રથમાં બેઠા પોતાનું પુરી મંદિર તરફ પાછા જાય છે. આ પરત ફરતી યાત્રાને ‘બહુડા યાત્રા’ કહે છે. રસ્તામાં તેઓ પોતાની ‘મૌસી મા’ ના મંદિરે વિરામ લે છે, જ્યાં તેમને ઓડિશાની પ્રસિદ્ધ મિઠાઈ ‘પોડા પિઠા’ નો ભોગ ચઢાવવામાં આવે છે.
6 જુલાઈ, રવિવાર – સુણા બેસા
આ દિવસે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાને સોનાના આભૂષણોથી અલંકૃત કરવામાં આવે છે. આ દિવ્ય શૃંગાર દર્શન માટે હજારો ભક્તો ઉમટી પડે છે.
7 જુલાઈ, સોમવાર – અધરાપણા
આ દિવસે ભગવાનને ખાસ મીઠું પેય ‘અધરાપણા’ અર્પણ કરવામાં આવે છે, જે મોટા માટલાંમાં બનાવાય છે. તેમાં પાણી, દુધ, છાસ, પનીર, ખાંડ અને પરંપરાગત મસાલા હોય છે.
8 જુલાઈ, મંગળવાર – નિલાદ્રિ વિજય (સમાપન)
આ છે રથયાત્રાનો અંતિમ અને સૌથી ભાવુક દિવસ. ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રા ફરીથી મુખ્ય મંદિરમાં પરત આવે છે અને ગર્ભગૃહમાં પુન: સ્થાપિત થાય છે. આ વિધિને ‘નિલાદ્રિ વિજય’ કહે છે. જેનો ભારતીય શાસ્ત્રો પ્રમાણે ‘નીલાચલની પુનઃ વિજય’ એવો અર્થ થાય છે.
આ પણ વાંચો…રથયાત્રા 2025: પહિંદ વિધિમાં કેમ થાય છે સોનાની સાવરણીનો ઉપયોગ? જાણો ધાર્મિક કારણ…