જાણીતા કલાકાર દેવાયત ખવડ સહીત આરોપીઓના રિમાન્ડ નામંજૂર; કોર્ટે જામીન પર છોડ્યા

વેરાવળ: ગીર સોમનાથ જિલ્લામાં ધ્રુવરાજસિંહ પર કરવામાં આવેલા જીવલેણ હુમલાના કેસના આરોપી કલાકાર દેવાયત ખવડ સહિત 6 લોકોની સુરેન્દ્રનગર જિલ્લાના દુધઈ ગામ નજીક ફાર્મહાઉસથી ધરપકડ કરી લેવામાં આવી હતી. તે ઉપરાંત પોલીસે આરોપી દેવાયત ખવડની સ્કોર્પિયો કાર પણ જપ્ત કરી હતી. ધરપકડ બાદ આરોપીને રિમાન્ડ મેળવવા માટે પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં કોર્ટે રિમાન્ડ નામંજૂર કરીને કેસ મામલે આરોપીને જામીન પર મુક્ત કર્યા હતા.
મળતી વિગતો અનુસાર ગીર સોમનાથ જિલ્લામાં અમદાવાદના સનાથલના રહેવાસી ધ્રુવરાજસિંહ પર કરવામાં આવેલા જીવલેણ હુમલાના કેસમાં આરોપી અને જાણીતા કલાકાર દેવાયત ખવડ સહિત 6 લોકોની સુરેન્દ્રનગર જિલ્લાના દુધઈ ગામ નજીક ફાર્મહાઉસથી ધરપકડ કરી લેવામાં આવી હતી. તે ઉપરાંત પોલીસે આરોપી દેવાયત ખવડની સ્કોર્પિયો કાર પણ જપ્ત કરી હતી. ધરપકડ બાદ આરોપીઓને તાલાલા પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખવામાં આવ્યા હતા અને બાદમાં તમામ આરોપીના રિમાન્ડ મેળવવા માટે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં હતા. કોર્ટ સમક્ષ પોલીસે 7 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જોકે, કોર્ટે રિમાન્ડ નામંજૂર કરીને કેસ મામલે આરોપીને જામીન પર મુક્ત કર્યા હતા.
જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખવડ પર ગીર સોમનાથ જિલ્લાના ચિત્રોડ નજીક અમદાવાદના સનાથલમાં રહેતા ધ્રુવરાજસિંહની કારને ટક્કર માર્યા બાદ કારમાંથી દેવાયત ખવડ સહિત ૧૨થી ૧૫ જેટલા શખસોએ પાઇપ, ધોકા વડે ધ્રુવરાજની કારમાં તોડફોડ કરી તેમજ તેને પણ ઢોર માર માર્યો હોવાનો આરોપ છે. ધ્રુવરાજસિંહ પર કરવામાં આવેલા જીવલેણ હુમલાના બનાવમાં દેવાયત ખવડ અને અન્ય 15 લોકોને ઝડપી પાડવા પોલીસની પાંચ ટીમો કામે લાગી હતી. આ માટે પોલીસે અનેક સ્થળોએ દરોડા પણ પાડ્યા છે. તાલાલાની અંદર છેલ્લા 48 કલાકમાં દેવાયત ખવડને કોને આશરો આપ્યો હતો તે અંગેની તપાસ પણ પોલીસે આદરી હતી.
બનાવની વિસ્તારપૂર્વક જાણીએ તો ગીર સોમનાથ જિલ્લાના ચિત્રોડ ગામે દેવાયત ખવડે બબાલ કરી હોવાની ઘટના સામે આવી હતી. ત્યારે પોલીસના જણાવ્યા અનુસાર દેવાયત ખવડની બુકાની ખુલી ગઈ અને હુમલાનો ભોગ બનનાર તરત જ ઓળખી ગયા હતા. ગીર સોમનાથના ડીવાયએસપી વી. આર. ખેંગારે જણાવ્યું હતું કે દેવાયત ખવડ અને અન્ય શખસોએ રેકી કરી હતી. પૂર્વ આયોજિત કાવતરું કરી માર મરાયો હતો.
દેવાયત ખવડ અને અન્ય શખસોએ બુકાની બાંધી હતી. દેવાયત ખવડની બુકાની ખુલી ગઈ હતી. બુકાની ખુલી જતાં ધ્રુવરાજસિંહ ઓળખી ગયા હતા. પોલીસ દ્વારા દેવાયત ખાવડ સહિત અન્ય 15 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરી શોધખોળ હાથ ધરાઈ હતી. હાલ નાસી ગયેલા આરોપીઓની શોધખોળ ચાલુ છે. આરોપીઓની ધરપકડ કરવા માટે પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને આ કેસની તપાસ તાલાલા પીઆઈને સોંપવામાં આવી હતી.
આ પણ વાંચો…ધ્રુવરાજસિંહ પર હુમલાના કેસમાં દેવાયત ખવડ સહિત 6 જણ પકડાયાઃ કાર પણ જપ્ત…