સમયસર ખાવું-પીવું એ એક્સરસાઇઝથી ઓછું નથી

ફોકસ -વિવેક કુમાર
ફિટ રહેવામાં સૌથી મોટી ભૂમિકા માત્ર એક્સરસાઇઝની નથી કે માત્ર જિમમાં જવાની નથી. આપણે કયા સમયે શું ખાઈએ છીએ તે ફિટ દેખાવામાં અને સ્વસ્થ રહેવામાં મોટી ભૂમિકા ભજવે છે. સવારે ખાલી પેટે શું ખાવું અને શું ન ખાવું. જો તમે આ સમજો છો તો તમે ક્યારેય પણ અસ્વસ્થ ન થઈ જાવ. બીજી તરફ જો તમે આ સમજી શકતા નથી, તો પછી તમે કેટલા પણ જિમ ક્રેઝી હોવ, તમે ક્યારેય સંપૂર્ણ સ્વસ્થ રહી શકતા નથી. બોટમલાઇન એ છે કે કયા સમયે શું ખાવું તે સમજવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તો ચાલો જાણીએ કે દિવસમાં સૌથી પહેલા એટલે કે સવારે ખાલી પેટ શું ખાવું જોઈએ?
પહેલા શું પીવું?
હૂંફાળું પાણી
આ મહત્ત્વપૂર્ણ છે કારણ કે તે શરીરને હાઇડ્રેટેડ રાખે છે, મેટાબોલિઝમ મજબૂત અને સક્રિય રહે છે અને શરીરમાંથી ઝેરી તત્ત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. તેથી, સવારે ઊઠ્યા પછી સૌથી પહેલા એક કે બે ગ્લાસ, જેટલું આરામથી પી શકાય તેટલું નવશેકું પાણી પીવો, તેમાં લીંબુ અને મધ મિક્સ કરો તો વધુ સારું છે. તાજા નાળિયેરનું પાણી પીવું પણ ખૂબ ફાયદાકારક છે કારણ કે તે ઇલેક્ટ્રોલાઇટ્સથી ભરપૂર છે અને શરીરને કુદરતી રીતે રિહાઇડ્રેટ કરે છે. સવારના સમયે ઘી અથવા શુદ્ધ માખણ સાથે ગરમ પાણી પીવું પણ ખૂબ ફાયદાકારક છે કારણ કે એક ચમચી ઘી અથવા માખણ સાથે ગરમ પાણી પીવાથી શરીર સાફ થાય છે અને વજન ઘટાડવામાં પણ મદદ મળે છે.
ડિટોક્સ પાણી
સવારે ડિટોક્સ પાણી પીવાના ફાયદા-
- હાઇડ્રેશન વધારે છે કારણ કે તે સ્વાદિષ્ટ હોવાને કારણે આપણે તેને સામાન્ય પાણી કરતાં વધુ પીએ છીએ.
- વજન ઘટાડવામાં મદદરૂપ છે કારણ કે તે મેટાબોલિઝમને ઝડપી બનાવે છે.
- તેને પીવાથી ત્વચા ચમકદાર બને છે -કારણ કે તેમાં વિટામિન અને એન્ટિઆક્સિડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે.
- આને પીવાથી પાચનક્રિયા સુધરે છે – તે પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
- આને પીવાથી શરીરમાંથી ઝેરી તત્ત્વો બહાર નીકળી જાય છે.
સવારે ખાલી પેટે ખાઓ પલાળેલી બદામ અને અખરોટ
કારણ કે તે વિટામિન -ઈ, પ્રોટીન અને હેલ્ધી ફેટ્સનો સારો સ્ત્રોત છે. બદામ અને અખરોટ મગજને તેજ બનાવે છે અને પેટ ભરેલું હોવાની અનુભૂતિ થાય છે. બદામને આખી રાત પાણીમાં પલાળી રાખો અને સવારે તેની છાલ કાઢીને ખાઓ. સવારે ખાલી પેટે પલાળેલી બદામ અને અખરોટ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.
બદામ અને અખરોટમાં પ્રોટીન, ઝિંક, આયર્ન, વિટામિન -એ અને ફોલિક એસિડ હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. આ ખાવાથી યાદશક્તિ વધે છે. કારણ કે બદામમાં ઓમેગા ફેટી એસિડ અને વિટામિન -ઇ હોય છે. જે યાદશક્તિ વધારવામાં મદદ કરે છે. આ ખાવાથી વજન ઓછું થાય છે. બદામ અને અખરોટમાં ફાઈબર હોય છે, જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે અને મેટાબોલિઝમ વધારે છે. આ ખાવાથી હૃદયની તંદુરસ્તી સુધરે છે. બદામ અને અખરોટમાં પોટેશિયમ હોય છે. જે હૃદયને સ્વસ્થ રાખે છે. હાડકાં મજબૂત બને છે: કારણ કે બદામ અને અખરોટમાં કેલ્શિયમ હોય છે, જે હાડકાંને મજબૂત બનાવે છે.
આ પણ વાંચો: આરોગ્ય એક્સપ્રેસ : સૌંદર્ય નિખારતાં ઉત્પાદન: તમારા આરોગ્ય માટે કેટલાં ખતરનાક?
તાજા ફળો ખાઓ
સવારે તાજા ફળો ખાવાથી ફાઈબર, એન્ટિઑક્સિસડન્ટ અને કુદરતી ખાંડ મળે છે, જે તમને એનર્જી આપે છે. આવા ફળોમાં પપૈયું (પાચનમાં મદદ કરે છે), સફરજન, કેળા, પેર, પપૈયું, પેરુ, કીવી, દાડમ અને તરબૂચ સૌથી અદ્ભુત ફળ છે. સવારે ખાલી પેટ ફળ ખાવાથી પાચનતંત્ર મજબૂત બને છે. શરીરને વધુ પોષક તત્ત્વો મળે છે. વજન નિયંત્રણમાં રહે છે. શરીર હાઇડ્રેટેડ રહે છે, ઉદાહરણ તરીકે તરબૂચમાં 92 ટકા પાણી હોય છે. હૃદયની તંદુરસ્તી સારી રહે છે કારણ કે કેળામાં પોટેશિયમ હોય છે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે સારું છે. રોગપ્રતિકારક શક્તિ મજબૂત
બને છે.
સવારે ખાલી પેટ શું ન ખાવું, શું ન પીવું:
મોટાભાગના લોકોને ટેવ હોય છે, પરંતુ સવારે ઊઠીને ચા કે કોફી પીવાનું ટાળવું જોઈએ કારણ કે તેનાથી એસિડિટી થાય છે. જો કે કેફીન આપણા શરીરને ઉત્તેજિત કરે છે અને બ્લડ સુગરના સ્તરમાં અચાનક વધારો કરે છે. તેથી આ અચાનક વધેલા સ્તરને સંતુલિત કરવા માટે, શરીર વધુ ઇન્સ્યુલિન છોડે છે, જેના કારણે બ્લડ સુગરનું સ્તર ઝડપથી ઘટી શકે છે. આ ઝડપી વધઘટને કારણે આપણને વધુ ભૂખ લાગે છે અને થાક પણ લાગે છે. એ જ રીતે, સવારે ખાલી પેટે જ્યુસ પીવાનું ટાળવું જોઈએ કારણ કે જ્યુસ બનાવવાની પ્રક્રિયામાં, ફળોના રેસા અને ઘણા વિટામિન્સ અને પોષક તત્ત્વોનો નાશ થાય છે. જ્યુસમાં આખા ફળમાં જોવા મળતા ફાયટોન્યુટ્રિઅન્ટ્સની માત્રા ઓછી હોય છે. તેથી, પોષણની દ્રષ્ટિએ, આહારમાં ફક્ત આખા ફળોનો સમાવેશ કરવો જોઈએ.
સુપર ફૂડ દહીં પણ ખાલી પેટ ખાવાનું ટાળો
એવું માનવામાં આવે છે કે દહીં એક હેલ્ધી ડેરી પ્રોડક્ટ છે, જેને સુપર ફૂડ પણ કહેવામાં આવે છે. પરંતુ ખાલી પેટ દહીં ખાવાથી પેટમાં એસિડ વધી શકે છે, જે સારા બેક્ટેરિયાને નુકસાન પહોંચાડે છે. આવી સ્થિતિમાં જો તમે સવારની શરૂઆત દહીં ખાઈને કરવા માંગતા હોવ તો તે ખોટી શરૂઆત હશે. તેનાથી શરીરમાં
એસિડિટી અને કબજિયાત જેવી સમસ્યા થઈ શકે છે.
આ પણ વાંચો: આહારથી આરોગ્ય સુધી: તડકામાં સૂકવેલા ખાદ્ય-પદાર્થનો વૈભવ
નાસ્તા માટે મસાલેદાર ખોરાક ટાળો
નાસ્તામાં મસાલેદાર વસ્તુઓ ખાવી એ ઘણા લોકોની આદત હોય છે. પરંતુ તે સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક સાબિત થઈ શકે છે. ખાલી પેટે મસાલેદાર ખોરાક ખાવાથી પેટમાં બળતરા થઈ શકે છે, જેનાથી અપચો, એસિડિટી અને પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે. ઉપરાંત, નાસ્તામાં ખૂબ જ મસાલેદાર વસ્તુઓ ખાવાથી ડાયેરિયા, ગેસ અને સોજો જેવી પાચન સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે.