તરોતાઝા

આરોગ્ય પ્લસ : ત્રિદોષ જાણવાની આ છે કેટલીક રીત

-સંકલન: સ્મૃતિ શાહ-મહેતા

ગયા અઠવાડિયે આપણે જાણ્યું કે વાત -પિત્ત-કફ શું છે. માનવ શરીર પૃથ્વી- જળ -તેજ -વાયુ અને આકાશ એવાં પાંચ તત્ત્વથી બન્યું છે. આમાં ત્રણ મુખ્ય તત્ત્વ છે. વાયુ તે વાત છે. અગ્નિ તે પિત્ત છે અને જળ તે કફ છે.
હવે આ ત્રિદોષ કઈ રીતે ઓળખી શકાય એની વાત જાણીએ
નાડીપરીક્ષા

નાડીપરીક્ષણનાં સૂચન:

  • નાડી હંમેશાં સવારના સમયે જમ્યા પહેલાં જોવી શ્રેષ્ઠ છે. નહીંતર જમ્યા બાદ ત્રણથી ચાર કલાક પછી જોવી.
  • પુરુષના જમણા હાથની અને સ્ત્રીના ડાબા હાથની નાડી જોવી.
  • દર્દીના અંગૂઠાના મૂળ પાસેથી ધમની ઉપર અનુક્રમે તર્જની, મધ્યમા અને અનામિકા આ ત્રણ આંગળીઓ રાખી નાડીની ચાલ તપાસવી.
  • તેમાં તર્જની વાતદોષ, મધ્યમા પિત્તદોષ અને અનામિકા કફદોષની માત્રા જણાવે છે.

    ત્રણેય દોષોમાં નાડીપરીક્ષણ
વાતપ્રકોપપિત્તપ્રકોપકફપ્રકોપ
ગતિસર્પ જેવી ઝડપી ચાલનારીદેડકાની જેમ કૂદી ચાલનારીહંસ જેવી મંદ ચાલવાળી
લક્ષણોદબાણથી અનુભવાતી નથીધબકારા સાથે આંગળી ઊંચી-નીચી થાય છે.ઊંડી અને નિયમિત
ધબકારા80-9570-8050-60
તાપમાનઠંડુંગરમઠંડું અથવા ઉષ્ણ

આ પણ વાંચો: આરોગ્ય પ્લસ: વિવિધ બાળરોગને ઓળખો ને કરો એના ઉપચાર

ભિન્ન-ભિન્ન પરિસ્થિતિઓમાં નાડીનાં લક્ષણ

  • સ્વસ્થ વ્યક્તિની નાડી સ્થિર (યોગ્ય ગતિથી ચાલનારી) હોય છે.
  • જેમાં બે દોષો મિશ્ર હોય તેની નાડી બે આંગળીની વચ્ચે અનુભવાય છે. જેમ કે, વાયુ-પિત્ત મિશ્ર દોષની નાડી તર્જની તથા મધ્યમાની વચ્ચે, પિત્ત અને કફની નાડી મધ્યમા અને અનામિકા વચ્ચે જણાય છે.
  • તાવમાં નાડી ગરમ અને વેગવાન હોય છે.
  • કામ -ક્રોધ જેવા આવેશોમાં નાડી ખૂબ જ વેગવાન હોય છે.
  • ચિંતાશીલ અને ભયભીતની નાડી મંદ અને ધીમી હોય છે.
  • મૃત્યુ અવસ્થામાં નાડી ધીમે-ધીમે અને અટકાતી-અટકાતી ચાલે છે.
  • નાડીપરીક્ષણની સાચી રીત

    જે હાથની નાડી જોવાની હોય તે હાથના અંગૂઠાના મૂળમાં ક્રમશ: તર્જની, મધ્યમા અને અનામિકા આંગળી રાખવી

    મૂત્રપરીક્ષા
  • ત્રણેય દોષની સમતા સમયે સ્વસ્થ મૂત્રનાં લક્ષણ:
  • 1) સ્વચ્છ પાણી જેવા રંગનું દુર્ગંધ રહિત હોય
  • 2) માપસરની માત્રામાં અર્થાત્ દિવસમાં સરેરાશ 1.5 લીટર પેશાબ થાય.
  • 3) પીડારહિત અને અટક્યા વિના થાય.

    વાત, પિત્ત અને કફના પ્રકોપ સમયે મૂત્રનાં લક્ષણ
વાતપ્રકોપપિત્તપ્રકોપકફપ્રકોપ
રંગશ્યામ કે કાળુંપીળું કે લીલાશવાળુંસફેદ કે પીળું
સ્પર્શચીકણોગરમઠંડો
ઘનતાઓછીમધ્યમવધારે
માત્રાઓછીમધ્યમવધુ
વધુ અસંતુલિત અવસ્થામાપેશાબ કરતી વખતે દુ:ખેમૂત્રપિંડમાં સોજો, મૂત્રમાં એસિડનીં ગંધપેશાબ અટકતો આવે

નોંધ:

  • શરૂઆતના ને અંતના થોડા થોડા મૂત્રને બાકાત કરી વચ્ચેના મૂત્રનું પરીક્ષણ કરવું.
  • ત્રણેય દોષના પ્રકોપ સમયે મૂત્રનો રંગ વધુ કાળો હોય છે. તેમજ જો મૂત્રનો રંગ લીલો, મરુન કે વધુ સફેદ હોય તો તે વધુ રોગ સૂચવે છે.

    મળપરીક્ષા
વાતપ્રકોપપિત્તપ્રકોપકફપ્રકોપ
રંગશ્યામપીળો કે લીલાશ પડતોસફેદ
રૂપકઠણ, સૂકો અને ફીણવાળોઢીલો, ગંધયુક્ત અને ગરમચીકાશવાળો, સ્નિગ્ધ અને ઠંડો

તંદુરસ્ત સ્થિતિમાં મળ પાણીમાં તરે છે અને જો મળ પાણીમાં ડૂબે તો શરીરની અપચો, અર્જીણ વગેરે રોગયુક્ત અસ્વસ્થતા સૂચવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button