તરોતાઝા

આહારથી આરોગ્ય સુધી : થાઈરોઈડનું એક કારણ સેલેનિયમની ઓછપ…

  • ડૉ. હર્ષા છાડવા

બાળકને શરીરમાં લગભગ શરીરમાં સેલેનિયમ વીસથી પચ્ચીસ માઈક્રોગ્રામ તથા પુરુષ – સ્ત્રી સોથી બસ્સો માઈક્રોગ્રામની જરૂરિયાત હોય છે.

શરીરમાં ખનિજ તત્ત્વ બહુજ મહત્ત્વપૂર્ણ હોય છે. બધાં જ શરીરના કાર્યોમાં આ તત્ત્વ હોય જ છે. શરીરમાં સંતુલન બનાવી રાખવા માટે બધા જ ખનિજ તત્ત્વો જરૂરી છે. અધિકતા કે ઓછપથી બીમારીઓનો ઉદ્ભવ થાય છે. સેલેનિયમ એક આવશ્યક (મિનરલ) ખનિજ તત્ત્વ છે. જે પ્રાકૃતિક રૂપથી માટીમાં અને દરેક ઊગતી વનસ્પતિમાં હોય છે. આ મહત્ત્વપૂર્ણ ખનિજ તત્ત્વ જે માનવ સ્વાસ્થ્ય માટે જરૂરી છે. આ એક પાકૃતિક એન્ટી ઓક્સિડેન્ટના સ્વરૂપમાં કાર્ય કરે છે જે શરીરની પ્રતિરક્ષા પ્રણાલી થાઈરોઈડ ફંકશન અને ડી.એન.એ.ના સંશ્લેષણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. પ્રાકૃતિક રૂપથી માટીમાં છે, જે માટીની ગુણવત્તા અને સ્થાન પર નિર્ભર કરે છે. ઘણી જગ્યાએ વધુ અને ઘણી જગ્યાએ સિમિત માત્રામાં હોય છે. ઓછપથી થાઈરોઈડ જેવી સમસ્યા થાય છે. અધિકતા પણ નુકસાન દાયક છે. આનું સંતુલન અતિ જરૂરી છે. દુર્ભાગ્યથી સેલેનિયમ એક એવું તત્ત્વ છે જેની છબિ ઘણી ખરાબ છે એનું કારણ આહારમાં સેલેનિયમની માત્રા ઈષ્ટતમ સ્વાસ્થ્ય માટે બિલકુલ સાચી (જરૂર મુજબની) હોવી જોઈએ.

સેલેનિયમની અધિક માત્રાથી પણ બીમારી થાય છે. જેમ કે મહારાષ્ટ્રના બુલઢાલા જિલ્લાના લગભગ અઢાર જેટલા ગામોમાં લગભગ ત્રણસો જેટલા વ્યક્તિઓના (દરેક ઉંમરના) વાળ ખરી ગયા તેઓ ટકલ થઈ ગયા. રીપોર્ટ અનુસાર એવું જણાયું કે પંજાબ અને હરિયાણાના ઘઉં જે રાશનની દુકાનમાં આવતા હતાં તેમાં સેલેનિયમની અધિક માત્રાના કારણે આવું બન્યું. બીજા અન્ય કારણ હોઈ શકે છે. જેવા કે ઈંડા અને માંસ ખાવાને કારણે પણ શરીરનું એવિડીન તત્ત્વ ખરાબ થતાં પણ વ્યક્તિ ટકલ થઈ જાય છે.

શરીરમાં સેલેનિયમ લગભગ બાળકને વીસથી પચ્ચીસ માઈક્રોગ્રામ પુરુષો અને સ્ત્રીઓને સોથી બસ્સો માઈક્રોગ્રામની જરૂરિયાત હોય છે. પણ આપણને લગભગ રોજિંદુ પચાસથી સાંઈઠ માઈક્રોગ્રામ મળે છે આનું કારણ છે કે ભારતની લગભગ બધી જગ્યાએ માટીમાં સેલેનિયમનું પ્રમાણ ઓછું છે. જેથી ભારતમાં થાઈરોઈડના દર્દી વધુ જોવા મળે છે. અમુક એક બે રાજ્યમાં સેલેનિયમ માત્રા માટીમાં વધુ છે.

સેલેનિયમ ખનિજ તત્ત્વ જે T3 ને T4માં ફેરવે છે (ક્નટવર્ટ) કરે છે, જે એક એન્ઝાઈમ બનાવે છે. આ એન્ઝાઈમ (પાચક રસ) જે આપણને ઓક્સિડેટીવ ડેમેન્ડ અને સ્ટે્રસથી બચાવે છે. આ ખનિજ તત્ત્વ પૂરતું ન હોય તો થાઈરોઈડ મટતો નથી.

સેલેનિયમ શરીરમાં પૂરતું હોય છતાં પણ થાઈરોઈડની સમસ્યાઓ હોય તો એના કારણ છે જુદા-જુદા કેફન દ્રવ્યો જે સેલેનિયમને કામ કરવામાં બાધિત કરે છે જેવા કે ચહા, કોફી, ચોકલેટ, કેફનવાળા ડબ્બાના પીણા, ચાઈનીઝ વાનગીઓ અને કેમિકલવાળા ખાદ્ય-પદાર્થ. રાસાયણિક રંગોવાળા ખાદ્ય પદાર્થ જેની આપણને આદત પડી ગઈ છે. આ કેફેન દ્રવ્યોને કારણે અન્ય ખનિજ તત્ત્વ (મિનરલ) ઝીંક અને આયોડિન એ વધુ જરૂરિયાતવાળું ખનિજ તત્ત્વ છે. થાઈરોઈડ માટે ઝીંક જે થકાવટ દૂર કરવા, વજનના નિયંત્રણ માટે ખૂબ જરૂરી છે. સેલેનિયમ, ઝીંક અને આયોડિન થાઈરોઈડ રોગની રોકથામ માટે જરૂરી છે.

આ પણ વાંચો:આહારથી આરોગ્ય સુધી : કોઈ કારણ વગર કે મતલબ વગર ખાવાની કુટેવો

થાઈરોઈડ માટે એન્ટીટીપીઓ (TPo) ટેસ્ટ એ એક મહત્ત્વનું રક્તપરિક્ષણ છે જે થાઈરોઈડ પેરોક્સીડઝ (ટી.પી.ઓ)ના વિરુદ્ધ એન્ટીબોડીનું સ્તર માપે છે જે થાઈરોઈડ ગ્રંથિમાં એક એન્ઝાઈમ (પાચક રસ) છે. આ થાઈરોઈડના ઓટો ઈમ્યુન રોગોનું નિદાન કરવામાં મદદ કરે છે જેમ કે હાશિનોમોટો થાઈરોયડિટિસ અને ગ્રેવ્સ રોગ આ ટીપીઓ થાઈરોઈડ હાર્મેાન ઉત્પાદન માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા બનાવે છે. જો રક્તમાં ટી.પી.ઓ. વધુ માત્રામાં હોય તો સ્ત્રીઓમાં થાઈરોઈડ ઓટો ઈમ્યુન રોગ થઈ શકે અને ઘણા એન્ટી પીટીઓ એન્ટીબોડી હોય પણ થાઈરોઈડ રોગ ન હોય. ફક્ત T3 કે T4ના નિદાન થાઈરોઈડ હોય એવું જરૂરી નથી. ઘણી વખત આ પરિક્ષણ જોઈને લોકો દવા (ગોળી)નું સેવન કરે છે જે બિનજરૂરી છે. લગભગ ડૉક્ટરો એન્ટી ટીપીઓનું ટેસ્ટ નથી કરાવતા. જો કરાવે તો સાચું નિદાન મળે ગોળી વેચવી છે પોતાનો ધંધો ચલાવો છે તેથી નથી કરાવતા. લગભગ વ્યક્તિઓ ખોટા માર્ગે દોરવાય છે કઅને આયોડિનવાળું નમક જે બિનજરૂરી તે પણ આરોગે છે.

એક જૈન સાધ્વી જેનું થાઈરોઈડ 256 થઈ ગયું હતું નોર્મલ રેન્જ T3ની 3.5 to 7.8 pmol/L હોય છે. તેમની તકલીફ ખૂબ વધારે હતી ગોળીઓની માત્રા વધારવાથી પણ કંટ્રોલ આવતો ન હતો લગભગ સાત આઠ વર્ષથી તકલીફ હતી. મારી પાસે આવ્યા ત્યારથી તેમની ગોળી બંધ કરાવી જરૂરી રિપોર્ટ કરાવી આહારમાં બદલાવ કર્યો (રિપોર્ટ અનુસાર) લગભગ બે મહિના પછી 90 થાઈરોઈડ આવ્યો પછી દર ત્રીજા મહિને 56 થયું બે મહિના પછી 19 પર આવ્યું અને હાલમાં 4ની રેન્જ આવી ગઈ લગભગ છ મહિના લાગ્યા વગર દવાએ. આવા ઘણા થાઈરોઈડની સમસ્યાવાળા વ્યક્તિઓ મારી પાસે તેમના રિપોર્ટ અનુસાર પ્રાકૃતિક આહારનું યોગ્ય લિસ્ટ લખાવીને તેનો ઉપાય કરી વગર દવાએ કે વગર ફોકટની અન્ય દવાઓ વગર સાદા ભોજન (પણ સ્વાદિષ્ટ) લઈને સાજા થયા છે.

સેલેનિયમયુક્ત અને આયોડિન ભોજન જે પ્રાકૃતિક હોય તેવો આહાર લેવો જોઈએ. સેલેનિયમ લીલી પાંદડાવાળી વનસ્પતિઓ લેવાથી મળી રહે છે. બ્રાઝીલ નટ્સ, તલ, દાડમ, શક્કરિયામાંથી જરૂર મુજબનું મળી રહે છે. કેમિકલયુક્ત આહારથી દૂર રહેવું જરૂરી છે. સેલેનિયમ હાડકાં, દાંત અને વાળ માટે પણ જરૂરી છે.

આ પણ વાંચો….આહારથી આરોગ્ય સુધી: ઉનાળામાં આવતો તાવ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button