તરોતાઝા

રોકાણના જોખમઃ વ્યાજદરનું જોખમ સમજી લેવું જરૂરી છે…

ગૌરવ મશરૂવાળા

`છેલ્લાં 60 વર્ષોમાં મેં વોલ સ્ટ્રીટ પર જો કોઈ નિરીક્ષણ કર્યું હોય તો એ છે કે સ્ટોક માર્કેટ વિશે આગાહી કરવામાં કોઈ સફળ થતું નથી.’ – બેન્જામિન ગ્રેહામ

વ્યાજદરનું જોખમ સમજાવવાનું થોડું અઘં છે, પણ ચાલો, પ્રયત્ન કં છું. નામ પરથી સ્પષ્ટ થાય છે કે જે પ્રકારના
રોકાણને વ્યાજ સાથે સંબંધ હોય તેને વ્યાજદર સંબંધી જોખમ લાગુ પડે છે. હવે સવાલ એ છે કે કયાં રોકાણો વ્યાજ
ચૂકવતાં હોય છે? ફિક્સ્ડ ડિપોઝિટ, બોન્ડ, ડિબેન્ચર, વગેરે પ્રકારનાં સાધનોમાં રોકાણ કરીએ તો વ્યાજ મળે. બીજા
શબ્દોમાં કહીએ તો ડેટ સાધનો પર વ્યાજ મળતું હોય છે અને તેથી જ એ સાધનોને વ્યાજદર સંબંધી જોખમ લાગુ પડે છે. આપણે નાણાં રોકીએ અને નિશ્ચિત મુદત બાદ મુદ્દલ રકમ પાછી મળે છે અને મુદ્દલ પાછી મળે ત્યાં સુધી તેના પર વ્યાજ મળતું રહે છે.

ક્યારેક એવું બની શકે કે આપણે મુદત પૂરી થવા સુધી રાહ જોવાની સ્થિતિમાં ન હોઈએ. જો એ રોકાણ ફિક્સ્ડ ડિપોઝિટમાં હોય તો એફડી તોડાવવી પડે. તેમાં જો બેન્ક વ્યાજદર પર કોઈ દંડ લાગુ કરતી હોય તો તેટલી રકમ કપાઈને મુદ્દલ તથા જમા થયેલું વ્યાજ પાછાં મળે છે.

જો આ જ રોકાણ બોન્ડ કે ડિબેન્ચરમાં હોય તો શું થાય?

ફિક્સ્ડ ડિપોઝિટ અને બોન્ડ/ડિબેન્ચર વચ્ચે તફાવત એ જ કે બોન્ડ/ડિબેન્ચર મુદત પૂરી થવા પહેલાં ટ્રાન્સફર કરી શકાય કે વેચી શકાય છે. ઈક્વિટીની જેમ સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ બોન્ડ/ડિબેન્ચર ખરીદી અને વેચી શકાય છે. આથી તેના માટે બોન્ડ/ડિબેન્ચર તોડ્યાં એવું કહેવામાં આવતું નથી.

હવે આપણા વિષય પર આવીએ. ધારો કે શશીભાઈએ 10 વર્ષની મુદત ધરાવતા ભારત સરકારના બોન્ડ ખરીદ્યા છે. એ ખરીદી કર્યા બાદ એમના ધ્યાનમાં આવે છે કે દીકરીના ઊચ્ચ શિક્ષણ માટે પૈસાની જરૂર પડશે. આથી સ્ટોક માર્કેટમાં એ બોન્ડ વેચી દે છે. તેમના દરેક બોન્ડની મૂળ કિમત 100 રૂપિયા છે અને તેના પર 9.5 ટકાના વાર્ષિક દરે વ્યાજ મળવાનું હતું.

એમણે બોન્ડ ખરીદ્યા બાદ બજારમાં વ્યાજદર વધારે મળવા લાગ્યો છે. હવે નવા બોન્ડ પર 10.25 ટકાનું વ્યાજ મળવા
લાગ્યું છે.

આ પણ વાંચો:રોકાણનાં જોખમ: ન ધાર્યું હોય એવું દેશ સંબંધી જોખમ પણ આવી શકે…

બજારમાં કોઈ ખરીદદાર શશીભાઈના બોન્ડ ખરીદવા તૈયાર નહીં હોય. જો કે, શશીભાઈએ બોન્ડ વેચ્યા વગર છૂટકો નથી. આથી તેઓ 100 રૂપિયાની મૂળ કિમતના બોન્ડ 92.50 રૂપિયાના ભાવે વેચવા તૈયાર થાય છે. બજારમાં વ્યાજદર વધવાને કારણે શશીભાઈએ મૂળ કિમત કરતાં ઓછા ભાવે બોન્ડ વેચવા પડે છે.

હવે જો આપણે ધારીએ કે બજારમાં વ્યાજદર ઘટીને 8 ટકા થઈ ગયો છે. આ સ્થિતિમાં શશીભાઈ ઊંચા ભાવે વેચાણ કરીને નફો રળી શકે છે.

અહીં એ નિયમ યાદ રાખવા જેવો છે. જ્યારે વ્યાજદરમાં વધારો થાય ત્યારે બોન્ડના ભાવ ઘટે અને વ્યાજદર ઘટે
ત્યારે બોન્ડના ભાવ વધે. આને વ્યાજદરનું જોખમ કહેવાય છે. જો શશીભાઈને વચ્ચે નાણાંની જરૂર પડી ન હોત અને એમણે પાકતી તારીખ સુધી રોકાણ રહેવા દીધું હોત તો એમના રોકાણ (અર્થાત્‌‍ બોન્ડ)ને વ્યાજદર સંબંધી જોખમની અસર થઈ ન હોત.

વ્યાજદરમાં વધઘટ થવા માટે અનેક પરિબળો હોય છે, પરંતુ અહીં આપણે તેની ચર્ચા કરતા નથી. અત્યારે તો એટલું જ કહેવાનું કે સિક્યોર્ડ ગણાતા બોન્ડ/ડિબેન્ચરમાં પણ જોખમ હોય છે અને એ જોખમ વ્યાજદર સંબંધી જોખમ હોય છે.

આ પણ વાંચો:જોખમ સમય પરિવર્તનનું પણ છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button