આરોગ્ય પ્લસઃ વા એટલે… ચાલો થોડું વિસ્તારથી જાણીએ | મુંબઈ સમાચાર
તરોતાઝા

આરોગ્ય પ્લસઃ વા એટલે… ચાલો થોડું વિસ્તારથી જાણીએ

સંકલન: સ્મૃતિ શાહ-મહેતા

આ અગાઉ આપણે હાડકાંના રોગ વિશે વાત કરી. ખાસ કરીને હાડકાં ઓગળવાનાં કારણ લક્ષણ ઉપચાર વિશે જાણ્યું. હવે વા વિશે થોડું વિસ્તારથી જાણીએ…

  • બે હાડકાંના જોડાણથી સાંધો બને છે. આ બંને હાડકાં એકબીજા સાથે મજબૂત દોરડાં જેવાં અસ્થિબંધન (Ligament)થી પકડાયેલા હોય છે.
  • સાંધો બનાવતા હાડકાંના છેડાઓ ઉપર કાર્ટિલેજ (Cartilage) નામનું લીસું આવરણ હોય છે. જેને આપણે સાદી ભાષામાં ગાદી કહીએ છીએ. આ કાર્ટિલેજ (ગાદી) ડનલોપ જેવું હોવાથી સાંધાઓના હલન-ચલન દરમિયાન શોકએબસોર્બર (ઝટકો કે આંચકો ન લાગવા દે તેવું સાધન) તરીકે કામ કરે છે.
  • વા એટલે શું?
    શરીરના સાંધાની ગાદીમાં ઘસારો તથા સોજો આવવાથી દુ:ખાવાને લીધે હલન-ચલન કરવામાં તકલીફ અનુભવાય તેને ‘વા’ કહેવાય છે.
    ‘વા’ના મુખ્ય બે પ્રકાર :

આ પણ વાંચો: આરોગ્ય પ્લસ: હાડકાના રોગ

(1) સાંધાનો ઘસારો (Osteoathrities)
હાડકાનો ઘસારો
સોજી ગયેલ શ્ર્લેષક પ્રવાહી
સાંધાઓ વચ્ચે ઘટી ગયેલ જગ્યા

(2) સંધિવા

  • ‘વા’નાં વિવિધ લક્ષણ:

સાંધાનો ઘસારો:

  • શરૂઆતમાં લાંબો સમય બેસી રહ્યા બાદ ઊભા થતી વખતે ઢીંચણમાં દુ:ખાવો થવો. ઘસારો વધી ગયા બાદ કામકાજ કરતી વખતે તથા ચાલતી વખતે સતત દુ:ખાવો થવો.
  • પલાંઠીવાળીને કે ઊભા પગે બેસવામાં તકલીફ પડવી કે બેસી ન શકવું.
  • ઘસારાના કારણે પગ ઘૂંટણથી વાંકા થઈ જવા.

આ પણ વાંચો: આરોગ્ય પ્લસઃ પેશાબની પળોજણ…બહુમૂત્ર

સંધિવા:

  • શરીરના અલગ-અલગ સાંધાઓ (ઘૂંટણ, ગરદન, ખભા, કાંડાં, કોણી વગેરે)માં દુ:ખાવો થવો તથા જકડાઈ જવા.
  • સાંધાઓમાં સોજો આવવો તથા આજુબાજુની જગ્યા લાલ થઈ જવી.
  • કોઈકવાર તાવ આવવો.
  • તકલીફવાળા સાંધામાં સોજો તેમજ ઘસારો લાગું પડવાથી પૂરતા પ્રમાણમાં હલન-ચલન કરી શકાય નહીં અને લાંબા સમયે શરીરનો ઘસારાવાળો ભાગ વાંકો થઈ શકે છે.
  • શરીરમાં થાક લાગવો.
  • વા થવાનાં કારણો :

સાંધાનો ઘસારો :

  • 60 વર્ષની ઉંમર પછી તેની સંભાવના વધી જાય છે.
  • જાડાપણું-મેદસ્વિતા

આ પણ વાંચો: આરોગ્ય પ્લસઃ પ્રોસ્ટેટનો સોજો, જેમ જેમ પુષની ઉંમર વધતી જાય તેમ તેમ…

શરીરનું વધુ પડતું વજન ઘૂંટણ પર લોડ વધારી દે છે. આથી ગાદી ઘસાવાની સંભાવના વધી જાય છે.

  • લાંબા સમય સુધી વધુ પડતું મહેનતવાળું કામ કરવાથી.
  • વારસાગત.

સંધિવા:

  • વારસાગત.
  • શરીરની રોગપ્રતિકારક શક્તિ જ સાંધાના કોષોને દુશ્મન માની તેનો નાશ કરી નાખે છે.

વામાં આહાર-વિહાર શું?

  • આ રોગ શરીરમાં વાયુ વધવાથી થતો હોય છે. તેથી વાયુવર્ધક ખોરાકનો ખાસ ત્યાગ કરવો.
  • ઠંડા, ભારે, તળેલા અને વાસી ખાદ્ય પદાર્થોથી દૂર રહેવું.
  • તૈયાર પેકેજફૂડ અને ઠંડા પાણીનો સદંતર ત્યાગ કરવા.
  • વિરુદ્ધ આહારનું સેવન ન કરવું.
  • પાણીમાં બાફેલાં કારેલાનું શાક જમવાથી સંધિવામાં ખૂબ જ રાહત થાય છે.
  • અનિયમિત જીવનશૈલીથી ‘વા’ની માત્રા વધી જાય છે. તેથી ‘વા’ના દર્દીઓને રાત્રે વહેલા સૂવાની અને સવારે વહેલા જાગવાની ટેવ ખૂબ જ ફાયદાકારક અને જરૂરી છે.
  • ઠંડા પાણીએ સ્નાન ન કરતાં ગરમ પાણીએ સ્નાન કરવું.
  • ઉપચાર: સવારે નાસ્તા પહેલાં 2 ચમચી મધમાં 1 ચમચી તજનો પાઉડર ભેગો કરીને લેવો. આ ઉપચારથી 7 દિવસમાં 70થી 80 ટકા દુ:ખાવામાં રાહત થાય છે.

આ પણ વાંચો: આરોગ્ય પ્લસ -સંકલન: એક ખતરનાક રોગ…ડાયાબિટીસ

1-1 ચમચી દળેલું જીરું અને ગોળ ભેગું કરીને થોડા પાણી સાથે સવાર-સાંજ લેવું. વધારે તકલીફમાં દિવસમાં ત્રણવાર પણ લઈ શકાય.

1થી 2 ચમચી મેથીનો પાવડર પાણી કે ગોળ સાથે સવાર-સાંજ લેવો.

1-1 ચમચી મેથી, સૂંઠ અને અજમાનું ચૂર્ણ ગરમ પાણી સાથે સવાર-સાંજ લેવું.

6-6 ચમચી સૂંઠ, જીરું અને 3 ચમચી કાળા મરીનું ચૂર્ણ મેળવીને 10 દિવસ સુધી રોજ ત્રણવાર અડધી-અડધી ચમચી પાણી અથવા ગોળ સાથે લેવું.

આદુના રસમાં સહેજ મીઠું નાખી તેનું દુ:ખાવા પર માલિશ કરવું.

સરસિયાના તેલમાં જાયફળને ઉકાળી તેનું માલિશ કરવું.

આ પણ વાંચો: આરોગ્ય પ્લસ: ઊંઘ પછી વ્યાયામ પણ એટલો જ જરૂરી છે…

સાવધાની

*ઘૂંટણના ઘસારાની તકલીફ થતી જણાય તો પલાંઠીવાળી તેમ જ ઊભા પગે બેસવું નહીં. જેથી વધારે ઘસારો થાય નહીં.

*ચાલતી વખતે ઘૂંટણના સાંધા ઉપર શરીરના વજનથી ચાર ગણો લોડ આવતો હોવાથી યોગ્ય સંતુલિત આહારથી શરીરનું વજન સપ્રમાણ રાખવું.

*સાંધાઓને તકલીફ ન પડે તેવી ચાલવું, તરવું વગેરે કસરતો અને તેવાં યોગાસન નિયમિત કરવાં.

*‘વા’ના દર્દીઓએ કબજિયાત ન રહે તેની તથા શરીરના કોઈ પણ વેગો રોકાય નહીં તેની ખાસ સાવધાની રાખવી.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button