તરોતાઝા

આહારથી આરોગ્ય સુધી: વ્યસન ન હોવા છતાં પણ વ્યસનને લગતી બીમારી થવાના કારણ…

  • ડૉ. હર્ષા છાડવા

વ્યસન સાથે માનવ જાણતાં કે અજાણતા રીતે જોડાયેલો છે. એટલે એવું કહી શકાય કે વ્યસન સાથેની માનવજાતની જુગલબંધી બહુ વર્ષો જૂની છે. વિવિધ વ્યસનોની માયાજાળમાં ફસાયેલો છે. વિવિધ વ્યસન જેવા કે દારૂ, તમાકુ, ગુટકા, બીડી, બજર, બહુ વ્યાપક રીતે પ્રસરાયેલા છે.

અમૂલ્ય માનવ જીવન પોતે જ બરબાદ કરી રહ્યા છે. આ વ્યસનની અસરો કેવી થાય છે તે વ્યક્તિ ખબર છે છતાં પણ વ્યસન ચાલુ રાખે છે અને ગુમાન કરે છે કે મને કાંઈ નહીં થાય. વ્યસની વ્યક્તિ ને સમજાવા ઘણું મુશ્કેલીનું કામ છે. આ તો ખરાબ વસ્તુના સેવનથી બીમારીઓ થાય છે તે બધાને લગભગ ખબર છે.

મારે વાત કરવી છે કે વ્યસન વગર પણ વ્યક્તિઓ વ્યસન જેવી જ બીમારીઓથી પીડાય છે. રોજબરોજના ખાદ્યપદાર્થમાં તેમ જ બહારના ખાદ્યપદાર્થ ખાવાનું ચલણ ખૂબ જ મોટા પાયે વિકસી ગયું છે. તેમાં વપરાતા વ્યસની પદાર્થોને કારણે આજની યુવા પેઢી અને બાળકો વધુ બીમાર પડી રહ્યા છે.

ઘરની ગૃહિણી કે કામકાજ કરતી સ્ત્રીને આજે રસોડું ગમતું નથી. તેથી બાહ્ય વસ્તુઓનું સેવન જે પ્રિઝર્વેટિવ અને રસાયણો કે ટકાવવાવાળા રસાયણો કેમિકલથી બનેલું છે. એને કારણે વ્યસનની વ્યક્તિને થતી બીમારીઓ અને તેનાથી પણ વધુ બીમારી થઈ રહી છે. સમયના અભાવના કારણે જે શારીરિક ધ્યાન રહેતું નથી. લોકો એક દબાણ હેઠળ રહે છે. તેથી બાહ્ય ખાદ્યપદાર્થનો વપરાશ ખૂબ જ વધી ગયો છે જે નુકસાનદાયક સાબિત થાય છે.

સવારની શરૂઆત કેમિકલ અને કેફેનીક વસ્તુઓથી થાય છે. જેમ કે ટૂથપેસ્ટ ઘણાં લોકો તંબાકુવાળી પેસ્ટનો વપરાશ કરે છે. અન્ય પેસ્ટો એ ફકત કેમિકલ જ છે. પેસ્ટમાં ફોર્માડીહાઇડ જે મચ્છર મારવાની અને લાશ સાચવવા માટે વપરાતું કેમિકલ છે.
જેથી મોઢાની લાળ (સ્લાયવા) તે બગડી જાય કે એસિડિક થઈ જતાં ખાવાનું પણ એસિડિક બને છે.

કેફેન એટલે ચહા, કોફી લેવાથી એક પ્રકારનો નશો થાય છે. આ ચહા, કોફી પણ કેફેન જેવી જ અસર કરે છે. તેમાં વપરાતાં કેમિકલો ફરફયુરાલ, ટેનિન, ટેનિક એસિડ, ગ્રીસ ઑઈલ વગેરે જે નુકસાન આપે છે. બ્લડ પ્રેશર વધવા માંડે છે.

આઈસક્રીમ જેમાં આલ્કોહોલ અલગ અલગ પ્રિઝર્વેટિવ, કેમિકલવાળા રંગો તેમજ તેને ઘાટુ બનાવવા વપરાતા સોરબિટોલ જેવા રસાયણ ઘણી આઈસક્રીમોમાં ‘રમ’નો, ‘બિયર’નો વપરાશ થાય છે. જેથી શરીરમાં દુખાવા, શરદી, શરીરમાં ભારેપણું, એસિડિટી થાય છે. કોફીથી સાઈટિકા થાય છે.

કેન્ડી, પીપર, ચોકલેટ જેમાં લગભગ દસથી પંદર જેવા કેમિકલોથી જ બને છે. જેવા કે સેકરીન, એસ્પારટેમ, સોડિયમ એલ્યુમિનિયમ ફોસ્ફટેન્ડ, પોટેશિયમ સોરબેટ, ટિટેનિયમ ડાયઓક્સાઈડ, બ્યુટીરેટ હાઈડ્રોસી સોલ, હાઈડ્રોજનેટ તેલ, ઈમ્લીસિફાયર, ટ્રારટેઝાઈન અને રોહડમાઈન-બી જેવા કલરથી બને છે.

રોહડમાઈન-બી (Rhodamin-B) પીંક કલર છે જે બધે બેન્ડ છે. છતાં આપણે ત્યાં વપરાય છે. કર્ણાટક રાજ્યમાં આ પિન્ક કલર પર બેન્ડ છે. આ કેન્સર કારક તત્ત્વ છે જે કોટન કેન્ડી અને મંન્ચુરિયન બનાવવા વપરાય છે. આ કેન્ડી, પીપર ચોકલેટનું વ્યસન આપણી માટે ઘાતક છે. નાની કેન્ડી કે પીપર લોકો ખૂબ જ ખાતાં હોય છે. જેથી બાળકોના મગજ પર અસર થાય છે. આંખ ખરાબ થઈ જાય છે.

ટીન ડબ્બામાં આવતા ડ્રીંકમાં પણ આલ્કોહોલ ઉમેરવામાં આવે છે. જેના કારણે ફેટીલિવર અને રક્તકણની ખરાબી કે સફેદ કણ (ડબ્લ્યૂબીસી)માં ખરાબી થાય છે. પેટ ફૂલવા લાગે છે. બીજા અન્ય ડબ્બા પેક વસ્તુઓમાં પણ આલ્કોહોલ અને કેમિકલ માત્રા ઉમેરવામાં આવે છે.

એસેન્સ જેમાં વેનિલા ખૂબ જ પ્રચલિત છે તે ડામરથી બનાવવામાં આવે છે. લિક્વિડ એસેન્સમાં પણ આલ્કોહોલ સાચવવા માટે વપરાય છે. વેનીલા એસેન્સ એક પ્રાણીમાંથી (તેની રેકટમ)માંથી બનાવવામાં આવે છે. જેમાં ગેસટ્રિકની બીમારી થાય છે.

ગ્રેવીવાળા શાકમાં ઘાતક રંગો અને સાચવવા માટે કેમિકલો ઉમેરવામાં આવે છે. ગ્રેવીને સાત દિવસની સાથે જ બનાવી રાખે છે. તેમાં રસાયણો નાખી ટકાવવામાં આવે છે. જેનાથી ફૂડ પોઈઝન, એસિડીટી, ઝાડા ઊલટીની સમસ્યાઓ થાય છે.

પેકેટમાં મળતાં બધા જ ખાદ્યપદાર્થમાં લગભગ કેમિકલ અને આલ્કોહોલ હોય જ છે. લેબલ વાચીને તેનો ઉપયોગ કરવો જેથી બચાવ થઈ શકે.

આપણ વાંચો હેલ્થ: સેલિબ્રિટીઝ ‘કાળું પાણી’ પીવે છે, તેની ખાસિયત શું છે?

આ બધા ખાદ્યપદાર્થ તેમ જ અન્ય ખાદ્યપદાર્થની એક આદત બંધાણ, આસક્તિ, ટેવ, લત, બંધન જે કર્યા વિના રહેવાય જ નહીં. જે સ્વભાવ સાથે જડાઈ ગયું છે. માનવીએ દરેક ક્ષેત્રમાં વિકાસ કર્યો. આ વ્યસનોની દુનિયામાં પણ જબરો વિકાસ અને વિવિધતા ફાલીફૂલી છે. થોડીવાર લહેજત આપે પણ લાંબે ગાળે શારીરિક, માનસિક વ્યાધિઓ પાછળ પડે છે. આની માટે દવાઓ પણ કેમિકલો અને આલ્કોહોલથી જ બને છે. એટલે માનવનો વિકાસ માનવને જ નડી રહ્યો છે.

વધુમાં વધુ પ્રાકૃતિક સંશાધન કેમ વધારવા તેના પર ધ્યાન આપવું જરૂરી છે. પૈસા કમાવાની દોડ, પ્રતિષ્ઠા કમાવવાની દોડ એ માનવ જ માનવને મારે છે. માનવ પ્રાકૃતિક સંશાધન માટે મહેનત કરી રહ્યો છે તે પણ બહુ સીમિત છે. લોકોને પ્રાકૃતિક સંશાધન જોઈએ પણ તેના માટે મહેનત નથી કરવી. બધું બહુ સરળતાથી મળી રહે તેવું જોઈએ પણ મહેનત વગર આ બધું શકય નથી.

લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી જાણકાર તો છે પણ આચરણમાં આવતું નથી. જોઈને કે સાંભળીને ફક્ત બૂમો પાડે છે. આ ખાદ્યપદાર્થનાં વ્યસનો બીજા વ્યસનોથી પણ બહુ ઘાતક છે. યુવાપેઢીને મજબૂત અને સ્વસ્થ રહેવું હશે તો પ્રાકૃતિક સંશાધનના વિકાસ તરફ ખૂબ જ મહેનત કરવી પડશે. સમજણ વધારવી પડશે, ઘરમાં બનતી વાનગીઓમાં સુધાર કરવો જ પડશે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button