તરોતાઝા

આરોગ્ય પ્લસઃ મલેરિયા (ટાઢિયો તાવ) શું આપ જાણો છો?…

સંકલન: સ્મૃતિ શાહ મહેતા

  • વિશ્વમાં દર વર્ષે અંદાજિત 21 કરોડ અને 40 લાખ લોકો મલેરિયાના તાવમાં સપડાયાં છે.
  • ભારતમાં દર વર્ષે આશરે 15 લાખ જેટલા લોકો મલેરિયા તાવમાં સપડાય છે.
  • મલેરિયાના પ્રકારો :
  • સાદો મલેરિયા (Plasmodium Vivax)
  • ઝેરી મલેરિયા (Plasmodium Falciparum )
  • મલેરિયાનાં લક્ષણો :
  • તાવ આવવાનો હોય તે પહેલાં શરીર તૂટવું, કમરમાં દુ:ખાવો થવો, માથું દુ:ખવું અને આંખોમાં બળતરા થવી.
  • શરીરમાં અશક્તિ આવવી અને ઠંડી લાગવી.
  • અનિયમિત રીતે તાવ ચઢ-ઊતર થવો.
  • તાવ ઊથલો મારીને બે-ત્રણ દિવસમાં ફરી આવવો.
  • સાંધા તથા સ્નાયુઓમાં દુ:ખાવો થવો. (Myalgia & Arthralgia)
  • વધુ પડતી ઠંડીના લીધે શરીર ધ્રૂજવું અને શરીરમાં પરસેવો વળવો.
  • ઝાડા-ઊલટી, તરસ, રાતો-પીળો પેશાબ અને લમણામાં દુ:ખાવો

નોંધ : આ તાવ મલેરિયાનો ચેપ લાગેલા એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં મચ્છરો દ્વારા સહેલાઇથી ફેલાઇ શકે તેમ છે. તેનો ક્રમ નીચે આપેલ છે.

  • મલેરિયા થવાનાં કારણો
  • બંધિયાર કે ગંદા પાણીમાં થતાં મચ્છરોના કરડવાથી
  • મલેરિયાના ચેપવાળું મચ્છર કરડવાથી
  • મલેરિયા થયા બાદ અપૂરતી સારવારને લીધે ફરી ઊથલો મારવાથી.
  • ગર્ભવતી માતાને જો મલેરિયા થયો હોય તો તેના પેટમાં રહેલા બાળકને પણ મલેરિયા થઇ શકે.
  • અન્ય કોઇ શારીરિક બીમારીઓમાં આનો ચેપ લાગવાની શકયતા વધુ છે.

મલેરિયામાં આહાર-વિહાર સંબંધી વિવેક :

  • મલેરિયાના તાવને દૂર કરવાના ઉત્તમ ત્રણ તબક્કા :
  1. તાવ રહે તેટલા દિવસ :
    શકય હોય તો માત્ર ઉકાળેલું પાણી લઇને એક-બે ઉપવાસ કરવા શ્રેષ્ઠ છે. જો ઉપવાસ ન થઇ શકે તો માત્ર નારંગીનો જયૂસ કે મગનું ઓસામણ લેવું.
  2. તાવ ઊતર્યા પછી ત્રણ દિવસ સુધી :
    માત્ર ફ્રૂટ સિવાય બીજું કાંઇ લેવું નહીં. (પપૈયું, અનાનસ, નારંગી, મોસંબી, સફરજન, દ્રાક્ષ વગેરે લઇ શકાય.)
  3. તાવ ઊતર્યા પછી ચોથા દિવસથી :
    અમુક દિવસો સુધી ફ્રૂટ સાથે સલાડ તથા કઠોળ માપસરનું લઇ શકાય. ત્યારબાદ ધીરે ધીરે અન્નાહાર શરૂ કરવો.

સાવધાની :

  • મલેરિયાનો ફેલાવો કરતા મચ્છરોનું પ્રમાણ ઘટાડવા ઘરની આજુબાજુમાં પાણીની ગંદકી કે ખુલ્લા પાણીનો સંગ્રહ ન થવા દેવો.
  • મલેરિયાના દર્દીને સમૂહમાં ન રાખતા અલગ રાખવો.
  • દર્દીએ તથા પરિવારના અન્ય સભ્યોએ મચ્છરથી દૂર રહેવું. જેથી મલેરિયાનો ચેપ બીજાને ન લાગે.
  • મચ્છરદાનીનો ઉપયોગ કરવો.
  • મલેરિયાના ઉપચારો
  1. 7 પાન ફુદીનાના, 6 પાન તુલસીના, 3-4 કાળા મરીની ભૂકી અને 10 ગ્રામ ગોળને 1 કપ પાણીમાં ઉકાળી તેમાં અડધું લીંબુ નીચોવીને રોજ સવાર-સાંજ પીવું.
  2. સૂરજમુખીના ફૂલનાં પાન કે બીજ 5થી 10 ગ્રામ લઇ તેમાં 3-4 કાળા મરી નાખી, વાટી-ઘૂંટી, પાણીમાં મેળવી સવાર-સાંજ પીવું.
  3. 10 ગ્રામ કારેલાના રસમાં 2થી 5 ગ્રામ જીરું મેળવીને પીવું.
  4. ખાવાનું દેશી મીઠું તાવડીમાં કાળુ થાય ત્યાં સુધી શેકવું. તાવ આવે ત્યારે 5 ગ્રામ આ નમક 1 ગ્લાસ પાણીમાં મેળવી પીવું. તાવ ઊતરી જાય પછી પણ દવા થોડા સમય ચાલુ રાખવી.
  5. શેકેલા કાંગચા (ગેંગડા)ના મીંજનું ચૂર્ણ (4 ગ્રામ જેટલું) 2 વાર ગરમ પાણી સાથે લેવું.
  6. 1-1 ચમચી જીરું અને મરી વાટીને ચાર ગણા પાણીમાં રાતે પલાળીને સવારે નરણે કોઠે પીવું.
  7. ગરમ કરેલા દૂધમાં હળદર અને મરી મેળવી પીવું.
  8. 10 ગ્રામ તુલસીનો રસ અને 5 ગ્રામ આદુનો રસ મેળવી પીવું.
  9. 1 ગ્રામ મરીનું ચૂર્ણ, 3 ચમચી તુલસીનો રસ અને 2 ચમચી મધ મિશ્ર કરીને પીવું.
  10. 20થી 50 મિ. લી. લીમડા અને તુલસીનો ઉકાળો પીવો.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button