આપણું ગુજરાત

દ્વારકામાં એસીમાં વિસ્ફોટ બાદ લાગી આગઃ પરિવારમાં 4 સભ્યનાં મોત, એકનો બચાવ

દ્વારકાઃ ગુજરાતના દ્વારકા જિલ્લામાં એક ઘરમાં એસી વિસ્ફોટ થવાના કિસ્સામાં આગ લાગતા એક જ પરિવારના ચાર લોકોના મોત થયા હતા. એસીમાં વિસ્ફોટ થવાના કારણે આગ લાગી અને આગથી ફેલાયેલા ધૂમાડામાં શ્વાસ રુંધાવવાને કારણે ચાર લોકોના મોત નીપજ્યા હતા. આ બનાવની જાણ થયા પછી ફાયર બ્રિગેટની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ તેમાં મોડું થઈ ગયું હતું, કારણે પીડિત લોકોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે એક ઘરમાં આગ લાગ્યા પછી ઘરમાં બાળકી સહિત પરિવારના ચાર લોકોના શ્વાસોશ્વાસ રુંધાવવાને કારણે મોત થયા છે. આ બનાવ દ્વારકા શહેરના આદિત્ય રોડ સ્થિત ઘરના પહેલા માળે આજે વહેલી પરોઢે લગભગ સાડા ત્રણ વાગ્યે આગ લાગી હતી. આગ લાગી ત્યારે આખો પરિવાર સૂતો હતો.

જોકે, એસીમાં લાગેલી આગ આખા ઘરમાં ફેલાઈ હતી, પરંતુ પરિવાર ઘરમાં સૂતો હોવાથી તરત કોઈનું ધ્યાન ગયું નહોતું. આગ લાગ્યા બાદ ઘરનો વીજ પુરવઠો બંધ થઈ ગયો હોવાથી લોકોને શોધી શકાયા નહોતા, જેથી દરવાજા અંગે પણ ધ્યાન ગયું નહોતું.

આપણ વાંચો: દ્વારકામાં મોટી દુર્ઘટના ટળી, ગોમતી નદીમાં ફસાયેલા 40 લોકોનું ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

સૂચના મળતા તુરંત ઘટનાસ્થળે પહોચેલા ફાયરબ્રિગેડના જવાનોએ જોયું કે ઘરના પહેલા માળે એક દંપતી અને તેમની બાળકી સહિત તેમના માતા બેભાન અવસ્થામાં પડેલા હતા. આ બનાવ પછી તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તમામને મૃત જાહેર કર્યા હતા.

જોકે, મૃતકના દાદી ગ્રાઉન્ડ ફ્લોર પર હોવાથી સુરક્ષિત બચી ગયા હતા. વધુ પડતી ગરમ થવાથી એસીમાં વિસ્ફોટ થયો હતો. આગનું સાચું કારણ જાણવા માટે ફોરેન્સિકના નિષ્ણાંતોને બોલાવવામાં આવ્યા છે. મૃતકોની ઓળખ ઉપાધ્યાય (39), તેની પત્ની તિથિ (29), દીકરી ધ્યાના અને તેમના માતા ભવાનીબેન તરીકી કરવામાં આવી હતી. અકસ્માતનો કેસ નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે, એમ પોલીસે જણાવ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
May’s Money Makers: 5 Zodiac Signs Set for Financial Success Craving Revenge? Here’s a Gripping Thriller You Can Stream Now! આગામી 22 દિવસ રાજા જેવું જીવન જીવશે લોકો, જોઈ લો તમારી રાશિ તો નથી ને? IPL-2024: આજે રમાનારી મેચ પહેલાં આ કોણ મળવા પહોંચ્યું RCBના Virat Kohliને?