ટોપ ન્યૂઝશેર બજાર

ભારતીય શેરબજારમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો એક જ દિવસમાં વેચ્યા આટલા કરોડના શેર…

મુંબઈ : ભારતીય શેરબજાર સપ્તાહના અંતિમ દિવસે શુક્રવારે સેન્સેક્સ 182  પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયું હતું. જોકે, 30 મે રોજ એક જ દિવસમાં બજારમાં ભારે વેચવાલી જોવા મળી. વિદેશી સંસ્થાકીય રોકાણકારો 6,450 કરોડ રૂપિયાના શેર વેચ્યા. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો એ 9,095 કરોડ રૂપિયાના શેર ખરીદયા તેનાથી મૂડી બજારને ટેકો મળ્યો. ટ્રેડિંગ સત્ર દરમિયાન  સ્થાનિક રોકાણકારોએ 20,673 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા અને 11,577 કરોડ રૂપિયાના શેર વેચ્યા. જ્યારે વિદેશી રોકાણકારોએ 44,434 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા અને 50,884 કરોડ રૂપિયાના શેર વેચ્યા.

આ વર્ષે અત્યાર સુધીમાં આટલી મોટી વેચવાલી
વિદેશી રોકાણકારોએ આ વર્ષે અત્યાર સુધીમાં ભારતીય શેર બજારમાંથી 1,21,414 કરોડ રૂપિયાના શેર વેચ્યા છે. જ્યારે સ્થાનિક રોકાણકારોએ 2,75,264 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા છે. શુક્રવારે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો આ ટ્રેન્ડ સતત ચાર ટ્રેડિંગ સેશનમાં જોવા મળ્યો છે.

સેન્સેક્સ અને નિફ્ટી બંને ઘટ્યા
જ્યારે શુક્રવારે ટેરિફ અને અનેક કંપનીઓના નબળા ત્રિમાસિક પરિણામો અંગે રોકાણકારોની સાવચેતી વચ્ચે નિફ્ટી 50 0.3 ટકા ઘટીને 24,751 પર બંધ થયો અને સેન્સેક્સ 0.22 ટકા ઘટીને બંધ થયો. વ્યાપક બજારમાં પણ નબળાઈ જોવા મળી. શુકવારના વેપાર દરમિયાન આઇટી, મેટલ અને ઓટો સેક્ટરમાં વેચાણ દબાણ જોવા મળતા નિફ્ટી મિડકેપ 100 અને સ્મોલકેપ 100 બંનેમાં 0.1 ટકાનો નજીવો ઘટાડો થયો.

વૈશ્વિક સ્તરે આર્થિક વૃદ્ધિ અંગે ચિંતાઓ
વૈશ્વિક સ્તરે આર્થિક વૃદ્ધિ અંગે ચિંતાઓ વધી છે. જેમાં આવતા અઠવાડિયે રેપો રેટમાં ઘટાડો થવાની ધારણા છે, તેથી જાહેર ક્ષેત્રની બેંકોના શેર ફોકસમાં રહેશે. આ ઉપરાંત માસિક ઓટો વેચાણ અને વોલ્યુમ ડેટાના પ્રકાશનને કારણે ઓટોમોબાઈલ ક્ષેત્રમાં ક્ષેત્ર-વિશિષ્ટ ચાલ જોવા મળી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button