આપણું ગુજરાતટોપ ન્યૂઝશેર બજાર

ગુજરાતની સરકારી કંપનીઓએ શેરબજારમાં વગાડ્યો ડંકો, જાણો કઈ કંપની છે?

ગાંધીનગરઃ ગુજરાતમાં રાજ્ય સરકારની માલિકીની કંપનીઓએ શેરબજારમાં પોતાનો ડંકો વગાડ્યો હતો. આ કંપનીઓ 2025-26ના પ્રથમ ત્રિમાસિકગાળામાં (28 માર્ચથી 30 જૂન સુધી) સેન્સેક્સ અને નિફ્ટી જેવા મુખ્ય સૂચકાંકોના રિટર્નને વટાવી ગઈ હતી. આ નોંધપાત્ર સિદ્ધિ આ કંપનીઓની મજબૂત નાણાંકીય સ્થિતિ અને વ્યૂહાત્મક સંચાલન દર્શાવે છે, જે એક અગ્રણી આર્થિક કેન્દ્ર તરીકે ગુજરાતનું સ્થાન મજબૂત બનાવે છે.

શેરબજારના તાજેતરના ડેટા અનુસાર ભારતીય શેરબજાર- બીએસઈ અને એનએસઈ પર લિસ્ટેડ ગુજરાતની કંપનીઓએ નોંધપાત્ર ઉછાળો નોંધાવીને એકંદર માર્કેટ કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું હતું. ત્રિમાસિકગાળા (28 માર્ચથી 30 જૂન સુધી)ની તુલનામાં સોમવારે બીએસઈ સેન્સેક્સ 8.00 ટકા વધીને 83,606.46 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 8.49 ટકા વધીને 25,517.05 પર બંધ થયો હતો. તેનાથી વિપરીત, ગુજરાત સરકારની માલિકીની ઘણી કંપનીઓએ ડબલ ડિજિટમાં વૃદ્ધિની ટકાવારી નોંધાવી હતી. આ વૃદ્ધિ બજારમાં તેમનું મજબૂત સ્થાન દર્શાવે છે.

આ પણ વાંચો: શેરબજાર સપ્તાહના પ્રથમ દિવસે ઘટાડા સાથે ખૂલ્યું, સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો

આ યાદીમાં સૌથી ટોચ પર ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન છે, જેણે 55.23 ટકાનો જબરદસ્ત વધારો નોંધાવ્યો અને તેના શેરનો ભાવ ₹ 265.35થી વધીને ₹ 411.90 થયો હતો. બીજા સ્થાને ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ પાવર કંપની લિમિટેડએ 21.31 ટકાનો મજબૂત વધારો નોંધાવ્યો, જેનો શેરભાવ ₹ 180.20થી વધીને ₹ 218.60 થયો છે.

ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડે 15.31 ટકાનો વધારો નોંધાવ્યો છે, જેના શેરનો ભાવ ₹ 177.30થી વધીને ₹204.45 થયો હતો. જ્યારે ગુજરાત ગેસ લિમિટેડની શેરની કિંમતમાં 14.30 ટકાનો વધારો જોવા મળ્યો હતો, જે ₹ 412.60થી વધીને ₹ 471.60 થયો હતો. ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ અને ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડે પણ અનુક્રમે 12.29 ટકા અને 11.60 ટકાનો વધારો નોંધાવીને સારું પ્રદર્શન કર્યું હતું.

આ પણ વાંચો: અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષની બદલી કરવા ટ્રમ્પની વિચારણા…

આ શાનદાર કામગીરી ગુજરાતના સરકારી માલિકીના સાહસોના વ્યૂહાત્મક વિઝન અને કાર્યકારી કાર્યક્ષમતાને પ્રતિબિંબિત કરે છે, જે સ્પર્ધાત્મક બજારના માહોલમાં પણ સતત વિકાસ કરી રહ્યા છે.

રાજ્ય સરકારે હંમેશાં ટકાઉ વિકાસ, નવીનીકરણ અને રોકાણકારોના વિશ્વાસને મહત્વ આપ્યું છે, જેના કારણે આ કંપનીઓ બેન્ચમાર્ક સૂચકાંકોને પાર કરીને અસાધારણ રિટર્ન ડિલિવર કરવા માટે પ્રેરિત થઈ છે. આ કંપનીઓ નવીનીકરણ અને વિકાસની દિશામાં સતત આગળ વધી રહી છે, જેના કારણે રોકાણકારો અને હિતધારકો ટકાઉ વૃદ્ધિની અપેક્ષા રાખી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button