સ્પોર્ટસ

‘કુછ તો લોગ કહેંગે…’ યુવરાજ સિંહે આવું કેમ અને કોના વિશે કહ્યું?

કોલકતામાં યુવરાજ સિંહે પોતાના જ નામે બનેલા સેન્ટર ઑફ એક્સેલન્સની સુવિધાના લૉન્ચિંગ પ્રસંગે પત્રકારો સાથે વાતચીત કરી હતી. (પીટીઆઇ)

નવી દિલ્હી: સામાન્ય રીતે ક્રિકેટરોને લોકો જે કહે અથવા મીડિયામાં તેમના વિશે જે ચર્ચા હોય એના કરતાં તેમના સાથી ખેલાડીઓ કે ભૂતપૂર્વ પ્લેયરો જે કંઈ કહે એ વધુ પસંદ હોય છે. જુઓને, રોહિત શર્મા અને વિરાટ કોહલી ૧૪ મહિને પાછા ટી-૨૦ ઇન્ટરનૅશનલ્સમાં રમવા આવ્યા છે એટલે હવે એવી ચર્ચા થઈ રહી છે કે તેઓ જૂન મહિનાના ટી-૨૦ વર્લ્ડ કપ સુધી ટી-૨૦ ઇન્ટરનૅશનલની કરીઅર ચાલુ રાખશે કે કેમ? વિશ્ર્વ કપમાં રમશે કે નહીં?

જોકે, યુવરાજ સિંહને રોહિત-કોહલી વિશેની આ બુમરાણ જરાય પસંદ નથી. શનિવારે દિલ્હીની પત્રકાર પરિષદમાં એક પત્રકારે યુવીને રોહિત-કોહલીના ટી-૨૦ ભાવિ વિશે પૂછ્યું ત્યારે યુવીએ મહાન પાર્શ્ર્વગાયક કિશોર કુમારની ‘અમરપ્રેમ’ ફિલ્મના મશહૂર ગીતની કડી ગાઇને સૌ કોઈને ખુશ કરી દીધા હતા. ‘કુછ તો લોગ કહેંગે…’ એ કડી ગાઇને જ યુવીએ બધા પત્રકારોને પોતાનો જવાબ કહી દીધો હતો. યુવીએ એ મુદ્દે એવું પણ કહ્યું હતું કે ‘જો કોઈ ખેલાડી ત્રણેય ફૉર્મેટ (ટેસ્ટ, વન-ડે, ટી-૨૦) રમતો હોય તો તેણે વર્કલૉડ મૅનેજ કરવો જ પડે. તેમને ક્યારે સિલેક્ટ કરવા અને ક્યારે નહીં એ કામ સિલેક્ટરોનું હોય છે.’

ટૂંકમાં, યુવીનું કહેવું એવું હતું કે રોહિત અને કોહલી ટી-૨૦ ફૉર્મેટમાં પાછા આવ્યા છે એમાં કંઈ જ ખોટું નથી થયું.

યુવરાજે રોહિતને ગ્રેટ કૅપ્ટન તરીકે પણ ઓળખાવ્યો હતો.

ટીમ ઇન્ડિયાની ટી-૨૦ ટીમમાં અને મુંબઈ ઇન્ડિયન્સમાં હાર્દિક પંડ્યા પાછો આવશે ત્યારે રોહિત શર્મા સાથે કૅપ્ટન્સીના મુદ્દે બંનેનો કોઈ વિવાદ થઈ શકે? એવા પ્રશ્ર્ને યુવીએ કહ્યું, ‘આવી બાબતોમાં સામસામે બેસીને મુદ્દો ઉકેલવાનો હોય. હાર્દિક જ્યારે પણ એમઆઇ વતી રમ્યો છે ત્યારે રોહિત તેનામાંથી બેસ્ટ પર્ફોર્મન્સ બહાર લાવી શક્યો છે. દેશ વતી કે પછી બીજી કોઈ ટીમ વતી રમતી વખતે કોઈ પણ ખેલાડીનું અંદર-અંદરના ખટરાગને બાજુ પર રાખીને ૧૦૦ ટકા પર્ફોર્મ કરવા પર જ ધ્યાન હોવું જોઈએ.’

યુવરાજે રોહિતને કેમ કહ્યું હતું,
થોડા તેઝ દૌડ મોટે…
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માની લાંબા સમય બાદ ટી-૨૦ ફોર્મેટમાં કમબેક ખાસ કંઈ સારું નથી રહ્યું. અફઘાનિસ્તાન સામે રમાયેલી પહેલી ટી-૨૦ મેચમાં રોહિતની બેટ ખાસ કંઈ જાદુ નહીં દેખાડી શકી અને તે ખાતું ખોલાવ્યા વગર આઉટ થઈ ગયો હતો અને એક શરમજનક રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો હતો. ગુરુવારેમોહાલીમાં રમાયેલી પહેલી ટી-૨૦ મેચમાં રોહિત શર્મા બીજા જ બોલ પર રન આઉટ થયો હતો અને આ મુદ્દે સોશિયલ મીડિયા પર બબાલ પણ થઈ ગઈ છે અને એવામાં જ ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી યુવરાજ િંસહની એક કમેન્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. આવો જોઈએ શું છે આ કમેન્ટ…વાત જાણે એમ છે કે યુવરાજ િંસહે પોતાના ટ્વીટમાં રોહિત માટે એવી કમેન્ટ કરી છે કે થોડા તેઝ દૌડ મોટે… હવે તમને થશે કે ભાઈ આખરે યુવરાજ િંસહ રોહિત માટે કેમ આવું કહી રહ્યો છે તો તમારી જાણ માટેકહીએ કે આ પાછળની હકીકત કંઈક અલગ છે. યુવરાજ િંસહની આ કમેન્ટ હમણાંની નહીં પણ તેર વર્ષ જૂની છે. આ કમેન્ટ યુવરાજ િંસહે સોશિયલ મીડિયા પર રોહિત શર્મા દ્વારા ૨૦૧૦માં કરવામાં આવેલી એક પોસ્ટના જવાબમાં કરવામાં આવી છે અને તે અચાનક ગુરુવારથી વાઈરલ થવા લાગી હતી. રોહિત શર્મા આ મેચમાં ખાતુ પણ નહોતો ખોલાવી શક્યો અને એ પહેલાં જ તે પેવેલિયન ભેગો થઈ ગયો હતો. આ સાથે સાથે જ તેણે પોતાની ટી-૨૦ ઈન્ટરનેશનલ કરિયરમાં કુલ ૧૧મી વખત ૦ રન પર આઉટ થઈ ગયો અને એક શરમજનક રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો હતો. રોહિતના આ રીતે રન આઉટ થયા બાદ સોશિયલ મીડિયા પર એકદમ ધમાલ મચી ગઈ હતી. ટીમ ઈન્ડિયાના અને રોહિતના ફેન્સ શુભમન ગિલને એની ભૂલને કારણે ઘણું બધું સંભળાવી રહ્યા છે. શુભમન ગિલ રોહિતને જોવાને બદલે બોલને જોતો ઊભો રહ્યો હતો અને એને કારણે રોહિત શર્મા રનઆઉટ થઈ ગયો હતો.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker