અમદાવાદઃ એક દિવસીય વર્લ્ડકપમાં ક્રિકેટપ્રેમીઓમાં સૌથી વધુ ઉત્સુકતા તો ભારત-પાકિસ્તાન મેચ માટે જોવા મળે છે. શનિવારે આ હાઈ વોલ્ટેજ મેચ પાર પડ્યા પડશે અને બંને ટીમ અત્યારે ખૂબ જ સારા ફોર્મમાં છે, જેને કારણે આ મેચ ભારે રસાકસીવાળી હશે,એવી આશા સેવાઈ રહી છે. પરંતુ આ બધા વચ્ચે ટીમ ઈન્ડિયાના એક ખેલાડીએ ચોંકાવનારું નિવેદન આપીને ભારત-પાક મેચ પોતાની પ્રાથમિકતા ના હોવાનું જણાવ્યું હતું.
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે ભારત-પાક મેચ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે અમદાવાદ જઈને હું લાંબા સમયથી ઘરથી દૂર છું અને મમ્મીને ઘરે જોઈને મને સૌથી વધુ આનંદ થશે. આવું કહીને બુમરાહે ભારત-પાકિસ્તાન મેચ તેની પ્રાથમિકતા નહીં હોવાનું જણાવ્યું હતું.
બુમરાહ જ્યારે પાંચ વર્ષનો હતો ત્યારે જ તેની માતાનું નિધન થયું હતું અને તે તેની માતાની ખૂબ જ નજીક છે. અમદાવાદ પહોંચીને હું સૌથી પહેલાં મમ્મીને મળી અને એ મારા માટે સૌથી મૂળભૂત અને મહત્ત્વની વાત છે. ત્યાર બાદ બુમરાહ ભારત-પાકિસ્તાન મેચ પર ધ્યાન કેન્દ્રિત કરશે. દરમિયાન હોમ ગ્રાઉન્ડ હોવાને કારણે બુમરાહને આ પીચનો સારો એવો અનુભવ છે.
એ વિશે વાત કરતાં બુમરાહે જણાવ્યું હતું કે હું આ ગ્રાઉન્ડ પર એક પણ વનડે મેચ નથી રમ્યો પણ અહીં હું ટેસ્ટ મેચ રમ્યો છું. અહીંનું વાતાવરણ ચોક્કસ જ ઉત્સાહિત જ હશે એવો મને વિશ્વાસ છે. તેથી જ આ મેચ એકદમ રોમાંચક હશે અને હું સારું પર્ફોર્મ કરીશ એવી મને આશા છે.
હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે
Beyond the Hardik Pandya saga, another cricket icon's marriage is facing turmoil. Discover shocking details about the couple's relationship breakdown. Uncover the truth behind the headlines and the im