ટી-20 વર્લ્ડકપ 2024 બાદ ભારતીય ટીમમાં આવ્યા અનેક ફેરફાર, ઓપનિંગથી લઈને સ્પિનર્સમાં લેવાયા ચોંકાવનારા નિર્ણયો

નવી દિલ્હીઃ ભારતની ટી-20 વર્લ્ડકપ ટીમમાં બેટિંગ ઓર્ડર, ફિનિશિંગ રોલ અને સ્પિન બોલિંગમાં વિવિધતા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. 2024 ટી-20 વર્લ્ડકપ બાદ ટીમ ઈન્ડિયાના મેનેજમેન્ટે ટીમમાં ત્રણ ક્ષેત્રમાં ફેરફાર કર્યા છે. જેમાં ટોપ-ઓર્ડરમાં ફેરફાર, ફિનિશિંગની ભૂમિકા અને સ્પિન બોલિંગમાં ઉંડાઈનો સમાવેશ થાય છે.
સૌથી મોટો ફેરફાર ભારતના વિકેટકીપરની ભૂમિકાની આસપાસ બેટિંગ ઓર્ડર કેવી રીતે ડિઝાઇન કરવું તેનાથી શરૂ થયો હતો. 2024માં ભારતીય ટીમમાં બે વિકેટકીપર હતા.
જરૂરિયાત અનુસાર તેને બદલી શકાતા હતા. 2024 પછી ટોપ-ઓર્ડરમાં એક વિકેટકીપરનો સમાવેશ કરાયો, જેથી પ્લેઈંગ ઈલેવનમાં બોલિંગ વિકલ્પોને વધારી શકાય. સંજૂ સેમસન અને ઇશાન કિશન બંનેની પસંદગી કરવામાં આવી છે અને સેમસનને આ ટીમમાં ઓપનર વિકલ્પ તરીકે જોવામાં આવે છે.
આપણ વાચો: ICC U19: મહિલા ટી-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમ જાહેર, નિક્કી પ્રસાદ કેપ્ટન
તે એ પણ દર્શાવે છે કે ભારતે આક્રમક ઓપનિંગ જોડી કેમ પસંદગ કરી છે. અભિષેક શર્માનો સમાવેશ કોઈ દેખિતો જુગાર નથી. તે પાવરપ્લે ફિલોસોફી પ્રત્યે પ્રતિબદ્ધતા છે જ્યાં ઇરાદો અગાઉથી નક્કી હોય છે. ભારત ત્યારે વધુ ખતરનાક થઈ જાય છે જ્યારે તે કામ કરે છે અને જ્યારે નથી કરતું તો વધુ અસ્થિર થઈ જાય છે .
જો બેટિંગ ટેમ્પ્લેટમાં ફેરફાર દિશા નક્કી કરે છે, તો રમતની સ્થિતિના આધારે ફિનિશિંગ નામોને સામેલ કરાય છે. હાર્દિક પંડ્યા પ્રીમિયમ ક્લોઝ-આઉટ ઓલરાઉન્ડરના રૂપમાં, શિવમ દુબે પાવર ઓવરલે તરીકે અને રિંકુ સિંહ સ્પેશિયાલિસ્ટ ફિનિશિંગ લીવરના રૂમમાં ટીમમાં સામેલ છે.
આપણ વાચો: ટી-20 વર્લ્ડકપ અગાઉ પાકિસ્તાન માટે સારા સમાચાર, ઇગ્લેન્ડ સામે રમશે Haris Rauf
વર્લ્ડ કપમાં તે મહત્વનું છે કારણ કે જ્યારે કોઈ મોટી ટુર્નામેન્ટ જીતવાની વાત આવે છે ત્યારે ફિનિશિંગ એક આવશ્યક ભાગ છે. ફિનિશરની ભૂમિકાને વ્યાખ્યાયિત કરવી અને તે મુજબ પસંદગી કરવી એ ભારત માટે શું દર્શાવે છે તે સ્વીકારવું છે. બાઉન્ડ્રી સરળતાથી ન આવતી હોય ત્યારે કોઈએ અંતિમ પાંચ ઓવરમાં સારુ પ્રદર્શન કરવું પડે છે.
ટીમનો સૌથી મોટો રણનીતિક સંકેત સ્પિનમાં છે. ભારતે મૂળભૂત રીતે મેચઅપ મશીન બનાવ્યું છે. કુલદીપ યાદવની રિસ્ટ સ્પિન, વરુણ ચક્રવર્તીની મિસ્ટ્રી બોલિંગ, અક્ષર પટેલનો કંન્ટ્રોલ અને વોશિંગ્ટન સુંદરની ઓફ સ્પિન મિડલ ઓવર્સમાં ગેમનું પરિણામ નક્કી કરે છે.
ભારતીય ટીમ ઘરઆંગણે જીતની મોટી દાવેદાર ટીમ છે. ડેથ ઓવર્સમાં જસપ્રીત બુમરાહની બોલિંગ ભારતને પ્લસ પોઈન્ટ આપે છે. બીજા શબ્દોમાં કહીએ તો ભારતે 2024થી ફક્ત નામ જ બદલ્યા નથી તેમણે બ્લૂપ્રિન્ટ પણ બદલી નાખી છે. અને જો તે બ્લૂપ્રિન્ટ દબાણમાં કામ કરે છે તો તે ફરીથી ટી-20 વર્લ્ડ કપ જીતવા માટે પૂરતું છે.



