સ્પોર્ટસ

ટી-20 સિરીઝ જિતાડનાર કેપ્ટન સૂર્યકુમાર બુધવારે શ્રીલંકાથી પાછો આવી જશે, જાણો શા માટે

પલ્લેકેલ: રવિવારે અહીં ભારતે શ્રીલંકા સામેની ટી-20 સિરીઝ નવા કેપ્ટન સૂર્યકુમાર યાદવના સુકાનમાં જીતી લીધી અને આવતી કાલે (સાંજે 7.00 વાગ્યાથી) ટીમ ઇન્ડિયા છેલ્લી મૅચ પણ જીતીને 3-0થી ક્લીન સ્વીપ કરે પણ ખરી, પરંતુ વિજેતા કેપ્ટન સૂર્યકુમાર યાદવ આ મૅચ બાદ એક બે-દિવસમાં (મોટા ભાગે બુધવારે) ભારત પાછો આવી જશે.

કારણ એ છે કે શુક્રવારે શ્રીલંકા સામે ભારતની વન-ડે સિરીઝ શરૂ થશે અને એ માટેની ટીમમાં સૂર્યકુમારનો સમાવેશ પહેલેથી કરાયો જ નથી.

ચીફ સિલેક્ટર અજિત આગરકરે 23 જુલાઈએ ટીમ જાહેર કરી ત્યારે જ કહ્યું હતું કે “સૂર્યકુમાર હાલમાં વન-ડેના સેટ-અપમાં છે જ નહીં, તે ફક્ત ટી-20માં જ રમશે.”

સૂર્યાએ શ્રીલંકા સામે શનિવારની ટી-20માં 58 રન અને રવિવારની મૅચમાં 26 રન બનાવ્યા હતા. આ સિરીઝમાં તે કુલ 84 રન સાથે બીજા નંબરે છે.

રોહિત શર્મા, વિરાટ કોહલી અને શ્રેયસ ઐયર વગેરે ખેલાડીઓ આ વન-ડે સિરીઝથી ટીમમાં કમબૅક કરી રહ્યા છે. જોકે ટી-20નો વિજેતા કેપ્ટન સૂર્યકુમાર આગામી વન-ડે સિરીઝમાં નહીં જોવા મળે.

શુભમન ગિલને શ્રીલંકા સામેની બંને (ટી-20 અને વન-ડે) સિરીઝમાં વાઈસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે, પરંતુ સૂર્યકુમાર વન-ડે શ્રેણીમાં નહીં જોવા મળે.

રિયાન પરાગને બંને ટીમમાં સામેલ કરાયો છે, પરંતુ સૂર્યકુમાર વન-ડે સિરીઝમાં નહીં જોવા મળે.
ટી-20 વર્લ્ડ કપથી દરેક મૅચમાં બધાના આશ્ચર્ય વચ્ચે ટીમમાં જગ્યા મેળવતો શિવમ દુબે શ્રીલંકા સામેની વન-ડે સિરીઝમાં રમશે, પરંતુ એ શ્રેણીમાં સૂર્યકુમાર નહીં જોવા મળે.

આ પણ વાંચો: IND vs SL: શ્રીલંકા સામેની વનડેમાં આ દિગ્ગજ ખેલાડીઓ નહીં રમે, કોણ બનશે કેપ્ટન?

ફેબ્રુઆરીમાં વન-ડેની ચેમ્પિયન્સ ટ્રોફી રમાવાની છે, પરંતુ ટી-20નો સફળ કેપ્ટન સૂર્યકુમાર શ્રીલંકા સામેની આગામી વન-ડે સિરીઝમાં નહીં જોવા મળે.

ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યાએ આગામી વન-ડે શ્રેણીમાંથી પોતે જ રજા લઈ લીધી હોવાથી તે એમાં નહીં જોવા મળે.

ઓપનર યશસ્વી જયસ્વાલ, રિન્કુ સિંહ અને સંજુ સેમસન પણ પાછા આવશે.

મંગળવાર પછી શ્રીલંકામાં કોણ ઈન અને કોણ આઉટ?

ઈન: રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા

આઉટ: સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, યશસ્વી જયસ્વાલ, રિન્કુ સિંહ, સંજુ સેમસન

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પિંક હાઈ થાઈસ્લિટ ગાઉનમાં બાર્બી ડોલ બનીને એક્ટ્રેસે બિખેર્યો હુસ્નનો જાદુ, જોઈને બોલી ઉઠશો… દુનિયાની ટોપ 50 બેસ્ટ ડિશમાં આટલામાં નંબર પર છે ઈન્ડિયન ડિશ, નામ સાંભળશો તો… ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો…