સ્પોર્ટસ

શુભમને ધોનીની પરંપરા જાળવી રાખી, આવું કરીને ચાહકોના દીલ જીતી લીધા

નવી દિલ્હી: શુભમન ગિલની આગેવાની હેઠળ યુવા ભારતીય ક્રિકેટ ટીમે(Indian cricket team) ઝિમ્બાબ્વે સામેની તેમની પાંચ મેચની T20I શ્રેણી 4-1થી(Win against Zimbabwe) જીતી લીધી. આ ટીમમાં IPLની ગત સિઝનમ દરમિયાન શાનદાર પ્રદર્શન કરી ચુકેલા યુવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું હતું. ઝીમ્બાબ્વે સામે સિરીઝ જીત્ય બાદ સેલિબ્રેશન દરમિયાન કેપ્ટન શુભમન ગીલે (Shubhman Gill) એમ એસ ધોનીએ શરુ કરેલી પરંપરા જાળવી રાખી હતી. કેપ્ટન ગીલે તમામ નવોદિત ખેલાડીઓને ટ્રોફી(Trophy) સોંપી દીધી હતી.

ઝિમ્બાબ્વે સામે સિરીઝની છેલ્લી મેચમાં 42થી જીત મેળવી ભારતે સિરીઝ 4-1થી જીતી લીધી હતી. સિરીઝ જીત બાદ શુભમને ટ્રોફી સ્વીકારી અને સેલિબ્રેશન દરમિયાન ટ્રોફી ધ્રુવ જુરેલ, અભિષેક શર્મા, તુષાર દેશપાંડે અને રિયાન પરાગને સોંપી દીધી હતી.

રવિવારના રોજ રમાયેલા મેચમાં સંજુ સેમસન ભારત માટે સ્ટાર રાજ્યો, સંજુના 58 રનની મદદથી ટીમે ઝિમ્બાબ્વેને 42 રનથી હરાવ્યું હતું. મુકેશ કુમારે બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતને શાનદાર રીતે 4-1થી શ્રેણી જીતી.

આ પણ વાંચો : યશસ્વી અને શુભમન ગિલે ભારત માટે નવો ઇતિહાસ રચ્યો, આ પહેલી જોડી છે જેણે…

ઝિમ્બાબ્વેનું મિડલ ઓર્ડર ફરી ફ્લોપ રહ્યું, યજમાન ટીમ 168 રન ચેઝ ન કરી શકી, આખી ટીમ 125 રનમાં આઉટ થઈ ગઈ હતી.

પ્રથમ T20I માં ઝિમ્બાબ્વે સામે હાર્યા બાદ, સોશિયલ મીડિયા પર ક્રિકેટ ચાહકો તરફથી ટીમની ઘણી ટીકાઓ થઇ હતી. જેમાં કેટલાક ખેલાડીઓને માત્ર IPL પ્લેયર તરીકે લેબલ કરવામાં આવ્યા હતા. જો કે, અભિષેક શર્મા, રુતુરાજ ગાયકવાડ અને રવિ બિશ્નોઈ જેવા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરી સિરીઝ જીતવા ટીમને મદદ કરી હતી.

સિરીઝ બાદ શુભમને કહ્યું કે “પ્રથમ હાર પછી અમે જે રમત દેખાડી એ અસાધારણ હતી. ઘણા ખેલાડીઓની લાંબી ફ્લાઈટ્સ હતી, તેઓ પરિસ્થિતિઓ સાથે ટેવાયેલા ન હતા. તેઓએ જે રીતે અનુકૂળ થયા એ નોંધપાત્ર હતું. એકવાર એશિયા કપ માટે, હું શ્રીલંકા ગયો છું. ત્યાં જઈને પ્રદર્શન કરવા માટે ઉત્સુક છું.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button