સ્પોર્ટસ

રોહિત શર્મા વન ડેમાંથી ક્યારે નિવૃત્તિ લેશે? થયો ચોંકાવનારો ખુલાસો…

મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન રોહિત શર્મા ટેસ્ટ અને આંતરરાષ્ટ્રીય ટી20માંથી નિવૃત્તિ જાહેર કરી ચુક્યો છે. હવે તેના વન ડે ક્રિકેટમાંથી સંન્યાસ પર મોટો ખુલાસો થયો છે. સૂત્રોના કહેવા પ્રમાણે, રોહિત શર્મા ચેમ્પિયન્સ ટ્રોફી બાદ નિવૃત્તિની જાહેરાત કરશે તેવી બોર્ડને આશા હતા. બોર્ડમાં અનેક લોકો એવું વિચારતા હતા કે ચેમ્પિયન્સ ટ્રોફી જીત બાદ રોહિત શર્મા વન ડે ફોર્મેટને અલવિદા કહી દેશે. વન ડેમાં ક્રિકેટમાં પોતાના ભવિષ્યને લઈ રોહિતની પસંદગીકર્તા સાથે કોઈ ચર્ચા થઈ નહોતી.

ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ન્યૂ ઝીલેન્ડને 4 વિકેટથી હરાવીને ખિતાબ જીત્યો હતો. ઐતિહાસિક વિજય બાદ રોહિત શર્માએ હું વન ડે ક્રિકેટમાંથી સંન્યાસ નથી લઈ રહ્યો તેમ કહ્યું હતું. ચેમ્પિયન્સ ટ્રોફી બાદ રોહિત શર્મા આઈપીએલમાં વ્યસ્ત થઈ ગયો હતો. ભારતીય ટીમ આગામી વન ડે સીરિઝ બાંગ્લાદેશ સામે રમશે. રોહિત શર્મા ઓગસ્ટમાં રમાનારી આ સીરિઝમાં રમતો નજરે પડી શકે છે.

રોહિત શર્માની કેવી છે વન ડે કરિયર
હીટ મેન તરીકે ઓળખાતા રોહિત શર્માએ 273 વન ડેની 265 ઈનિંગમાં 36 વખત અણનમ રહીને કુલ 11,168 રન બનાવ્યા છે. તેનો સર્વોચ્ચ સ્કોર 264 રન છે. વન ડેમાં તેણે 32 સદી અને 58 અડધી સદી ફટકારી છે. આ ઉપરાતં 9 વિકેટ પણ લીધી છે.

આપણ વાંચો : Captain Rohit Sharmaને રિટાયરમેન્ટ બાદ મળશે આટલું પેન્શન…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button