સેહવાગે ઑપરેશન સિંદૂર’ની વાહ-વાહ કરતા કહ્યું,અગર કોઈ આપ પર પત્થર ફેંકે તો…

મુંબઈઃ ભારત સરકારની સૂચના મુજબ દેશના સંરક્ષણ ક્ષેત્રના જવાનોએ પાકિસ્તાન (PAKISTAN)માં આતંકવાદીઓના છૂપા સ્થાનો પર સફળતાપૂર્વક ઓચિંતા હવાઈ હુમલા કર્યા એના પર ઘણા ક્રિકેટરોએ પ્રતિક્રિયા આપી છે અને એમાં ખાસ કરીને ક્રિકેટના ભગવાન’ સચિન તેન્ડુલકરે ઑપરેશન સિંદૂર’ અભિયાનને પૂરો સપોર્ટ આપતા એક્સ’ પરની પોસ્ટમાં પ્રેરક વિધાનો લખ્યા છે. બીજી ખાસ વાત એ છે કે સચિનના જ ભૂતપૂર્વ સાથી બૅટ્સમૅન વીરેન્દર સેહવાગે (Sehwag) આ કાર્યવાહીની પ્રશંસા કરતા મીડિયામાં જણાવ્યું છે કે અગર કોઈ આપ પર પત્થર ફેંકે તો ઉસ પર ફૂલ ફેંકો, લેકિન ગમલે કે સાથ.’
કાશ્મીરના પહલગામમાં બાવીસમી એપ્રિલે પાકિસ્તાન-પ્રેરિત આતંકવાદીઓએ હિન્દુઓને લક્ષ્યાંક બનાવીને કરેલા ઘાતક હુમલામાં 28 જણ શહીદ થઈ ગયા હતા. જડબાતોડ જવાબ સાથે એનો બદલો લેવાનો ભારતનો દૃઢ સંકલ્પ હતો જ અને મંગળવારે મધરાત બાદ ભારતે એનો અમલ કર્યો હતો.
સચિને એક્સ’ પરની પોસ્ટમાં લખ્યું,એકતામાં નીડર, શક્તિમાં અસીમ. આપણે બધા એકત્રિત છીએ અને આપણા બધાની તાકાત પણ આ એક્તામાં જ છે. જનતા ભારતની અસલી તાકાત છે. દુનિયામાં આતંકવાદ માટે કોઈ સ્થાન નથી. આપણે બધા એક ટીમનો હિસ્સો છીએ.’સચિન ઉપરાંત વીરેન્દર સેહવાગ, હરભજન સિંહ, ગૌતમ ગંભીર, સુરેશ રૈના, આકાશ ચોપડા અને પ્રજ્ઞાન ઓઝાએ પણ ભારત સરકાર અને ભારતીય સૈનિકોની પ્રશંસા કરતી પોસ્ટ મીડિયામાં મૂકી હતી.
આપણ વાંચો : સચિને ઑપરેશન સિંદૂર’ બદલ અભિનંદન આપતા કહ્યું,દુનિયામાં આતંકવાદ માટે…’