‘આ વિચિત્ર છે…’, IND vs ENG ટેસ્ટ સિરીઝનું નામ બદલવા પર કપિલ દેવે નારાજગી વ્યક્ત કરી

લીડ્સ: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ મેચની સિરીઝની પહેલી મેચ આવતી કાલે 20મી જુનથી લીડ્સમાં (IND vs ENG Leads test) શરુ થશે, આ સિરીઝ માટે બંને ટીમો તૈયારીઓ કરી રહી છે. થોડા દિવસો પહેલા ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે આ સિરીઝનું નામ પટૌડી ટ્રોફીથી બદલીને જેમ્સ એન્ડરસન અને સચિન તેંડુલકરના માનમાં “તેંડુલકર-એન્ડરસન ટ્રોફી” (Tendulkar–Anderson Trophy) રાખવાનો નિર્ણય જાહેર કર્યો હતો. ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કપિલ દેવ(Kapil Dev) ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડેના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી છે.
ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે આ નિર્ણય જાહેર કર્યો ત્યારે કેટલાક લોકોએ વિરોધ કર્યો હતો. હવે કપિલ દેવે પણ નારાજગી વ્યક્ત કરી છે. કપિલ દેવે કહ્યું કે પટૌડી ટ્રોફીનું નામ બદલીને એન્ડરસન-તેંડુલકર ટ્રોફી રાખવાના નિર્ણયથી તેઓ આશ્ચર્ય પમાડે એવો છે. તેમણે આ નિર્ણયને વિચિત્ર ગણાવ્યો.
કપિલ દેવે શું કહ્યું?
એક ઈન્ટરવ્યું દરમિયાન કપિલ દેવે કહ્યું, “આ થોડું વિચિત્ર છે. પણ ઠીક છે, ક્રિકેટમાં બધું જ થાય છે. છેવટે રમતમાં કોઈ ફરક પડતો નથી. ક્રિકેટ તો ક્રિકેટ છે, ગ્રાઉન્ડ પર બધું પહેલા જેવું જ હોવું જોઈએ.”
સિરીઝના નામ બદલવા સામે કપિલ દેવ નારાજ જાણતા હતાં, જો કે તેમણે એમ પણ જણાવ્યું કે નામ બદલવાથી રમતના મૂળભૂત સ્વભાવ પર અસર થવી જોઈએ નહીં.
પટૌડીના માનમાં સિરીઝનું નામ:
નોંધનીય છે કે વર્ષ 2007માં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝને ભારતના મહાન ક્રિકેટર મન્સૂર ખાન પટૌડીના માનમાં “પટૌડી ટ્રોફી” નામ આપવામાં આવ્યું હતું. પટૌડી પરિવાર ભારત અને ઇંગ્લેન્ડ સાથે સંકળાયેલો છે. ઇફ્તિખાર અલી ખાન પટૌડી અને તેમના પુત્ર મન્સૂર ભારતીય ટીમ તરફથી રમી રહ્યા હતાં, સાથે તેઓ ઇંગ્લેન્ડ માટે કાઉન્ટી ક્રિકેટ પણ રમ્યા હતા.
આપણ વાંચો: અશ્વિનની ટીમ સામે આક્ષેપ કરનાર ફ્રેન્ચાઈઝી વિરુદ્ધ પગલાં નહીં લેવાય…જાણો શા માટે
તેંડુલકરે ECB સાથે વાત કરી:
ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે સિરીઝનું નામ બદલાતા કેટલાક લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. અહેવાલ મુજબ સચિન તેંડુલકરે પોતે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડના અધિકારીઓ સાથે આ અંગે વાત કરી હતી. તેંડુલકરે આ સિરીઝને પટૌડીના વારસાથી દૂર ન કરવા કહ્યું હતું. જોકે, ECB એ પટૌડી મેડલ ફોર એક્સેલન્સ જાળવી રાખવાનો નિર્ણય લીધો હતો, આ મેડલ વિજેતા ટીમના કેપ્ટનને આપવામાં આવે છે.