આજે પંજાબ-બેંગલૂરુ વચ્ચેની મૅચ ન રમાય તો શું?
ન્યૂ ચંડીગઢમાં સાંજે 7.30 વાગ્યાથી પ્લે-ઑફનો ક્વૉલિફાયર-વન મુકાબલો

મુલ્લાંપુર (ન્યૂ ચંડીગઢ): અહીં આઈપીએલની 18મી સીઝનમાં આજે (સાંજે 7.30 વાગ્યાથી) પંજાબ કિંગ્સ (PBKS) અને રોયલ ચેલેન્જર્સ બેંગલૂરુ (RCB) વચ્ચે પ્લે-ઑફની પ્રથમ મૅચ (QUALIFIER-1) રમાવાની છે, પરંતુ જો વરસાદ (RAIN) કે અન્ય કોઈ કારણસર આ મૅચ અનિર્ણીત રાખવી પડે તો પંજાબની ટીમ વિજેતા ઘોષિત થાય અને એને સીધા ફાઇનલમાં જવાનો મોકો મળી શકે.
પંજાબ અને બેંગલૂરુની ટીમ પ્લે-ઑફના ટૉપ-ટૂમાં પ્રવેશી હોવાથી એ બે ટીમ વચ્ચે આજે ક્વોલિફાયર-વન રમાવાની છે.
જોકે આજની કોઈ કવૉલિફાયર-વન માટે કોઈ રિઝર્વ નથી રાખવામાં આવ્યો. એ જોતાં, આજે મેઘરાજા મહેરબાન થાય અને ધોધમાર વરસાદને કારણે મૅચ ન રમાય તો શું?
એ સંજોગોમાં પંજાબની ટીમ સીધી ફાઇનલમાં પહોંચી જાય. લીગ રાઉન્ડને અંતે પોઈન્ટ્સ ટેબલમાં પંજાબની ટીમ મોખરે (નંબર-વન) હતી.
આનો અર્થ એવો નથી કે બેંગલૂરુની ટીમ સ્પર્ધામાંથી સાવ આઉટ થઈ જાય. બેંગલૂરુની ટીમને ક્વૉલિફાયર-ટૂમાં જવા મળશે જેમાં એનો મુકાબલો શુક્રવારના એલિમિનેટર જંગની બે હરીફ ટીમ મુંબઈ-ગુજરાત વચ્ચેની વિજેતા ટીમ સામે થશે.
મુંબઈની ટીમ પાંચ વખત અને ગુજરાતની ટીમ એક વખત ટાઇટલ જીતી ચૂકી છે. જોકે પંજાબ અને બેંગલૂરુ આ બેમાંથી જે ટીમ ફાઇનલમાં પહોંચશે અને ફાઇનલ જીતી જશે તો 18 વર્ષ જૂની આઈપીએલ (IPL)ને નવું ચેમ્પિયન મળશે.
આ પણ વાંચો….જિતેશ શર્માએ એક જ ઇનિંગ્સથી આરસીબીને 11 કરોડ રૂપિયા વસૂલ કરી આપ્યા!