IPL 2025ટોપ ન્યૂઝ

મુંબઈ ઈન્ડિયન્સ માટે અપશુકનિયાળ છે અમદાવાદનું મોદી સ્ટેડિયમ? જાણો શું કહે છે આંકડા

અમદાવાદઃ આઈપીએલ 2025ની બીજી ક્વોલિફાયર મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે 1 જૂને રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મેચ રમાશે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ એલિમિનેટર મેચમાં ગુજરાત સામે હાર્યા બાદ આ મેચમાં રમવા ઉતતરશે, જ્યારે પંજાબ કિંગ્સ પ્રથમ ક્વોલિફાયર મુકાબલો આરસીબી સામે હાર્યા બાદ મેદાનમાં ઉતરશે. પરંતુ આ મેચ પહેલા મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાના આંકડો જોઈને હેરાન થશે.

અમદાવાદનું આ મેદાન ઘણા સમયથી મુંબઈ ઈન્ડિયન્સ માટે અપશુકનિયાળ સાબિત થઈ રહ્યું છે. છેલ્લી છ મેચમાંથી પાંચ મેચમાં મુંબઈએ હારનો સામનો કરવો પડ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સ આ મેદાન પર છેલ્લે 2014માં જીત્યું હતું. 11 વર્ષથી મુંબઈ ઈન્ડિયન્સ આ મેદાન પર કોઈ મેચ જીતી શક્યું નથી. પંજાબ સામેની મેચમાં મુંબઈ હારનો સિલસિલો તોડવા માંગશે.

આપણ વાંચો:  એશિયન ઍથ્લેટિક્સમાં ભારત 24 ચંદ્રક સાથે બીજા નંબર પર

મુંબઈ ઈન્ડિયન્સે આ મેદાન પર અંતિમ મુકાબલો આ સીઝનમાં ગુજરાત ટાઈટન્સ સામે રમ્યો હતો. તેમા 36 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ગુજરાતે પ્રથમ બેટિંગ કરતાં 8 વિકેટ પર નુકસાન પર 196 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈની ટીમ 20 ઓવરમાં 160 રન જ બનાવી શકી હતી. મેચમાં ગુજરાત તરફથી પ્રસિદ્ધ કૃષ્ણાએ શાનદાર બોલિંગ કરતાં 4 ઓવરમાં 18 રન આપી 2 વિકેટ લીધી હતી. આ બદલ તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

મુંબઈ ઈન્ડિયન્સની ટીમ શાનદાર ફોર્મમાં છે. એલિમિનેટર મેચમાં ગુજરાત ટાઈટન્સને હાર આપી હતી. મુંબઈના તમામ પ્લેયર્સ શાનદાર ફોર્મમાં છે. રોહિતે ગુજરાત સામે એલિમિનેટર મેચમાં 80 રનની શાનદાર ઈનિંગ રમી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button