IPL 2025

પંજાબ કિંગ્સની જીત અને મુંબઈ ઇન્ડિયન્સની હાર બાદ પ્રીતિ ઝિન્ટા અને નીતા અંબાણીના રીએકશન વાયરલ

અમદાવાદ : આઇપીએલ 2025ની બીજી ક્વોલિફાયર મેચમાં પંજાબ કિંગ્સે કેપ્ટન શ્રેયસ ઐયરની 87 રનની વિસ્ફોટક અણનમ ઇનિંગના આધારે મુંબઈ ઇન્ડિયન્સને પાંચ વિકેટથી હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી. પંજાબ કિંગ્સને જીતવા માટે 204 રનની જરૂર હતી. શ્રેયસ ઐયરની 41 બોલમાં આઠ છગ્ગા અને પાંચ ચોગ્ગાની મદદથી 87 રનની મદદથી પંજાબે 19 ઓવરમાં પાંચ વિકેટે 207 રન બનાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો.

અશ્વિની કુમારની બોલિંગમાં ચાર છગ્ગા ફટકારીને ટીમને વિજય અપાવ્યો

શ્રેયસ ઐયરે 19મી ઓવરમાં યુવા બોલર અશ્વિની કુમારની બોલિંગમાં ચાર છગ્ગા ફટકારીને ટીમને વિજય અપાવ્યો. ઐયરે નેહલ વાઢેરા સાથે ચોથી વિકેટ માટે 84 રનની ભાગીદારી કરી હતી. જે ખૂબ જ મહત્વપૂર્ણ હતી.

પ્રીતિ ઝિન્ટા ખૂબ જ ખુશ દેખાયા

જોકે, આ જીત બાદ પંજાબ કિંગ્સ ટીમના માલિક પ્રીતિ ઝિન્ટા ખૂબ જ ખુશ દેખાયા હતા.જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બીજી તરફ પ્રીતિ ઝિન્ટા સાથે મેચ જોઈ રહેલા આરજે મહવશ પણ પંજાબની જીતની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. આ જીત બાદ પ્રીતિ ઝિન્ટાએ શ્રેયસ ઐયર પાસે દોડીને ગળે લગાવ્યો હતો. તેમજ ટીમ કોચ સહિત ખેલાડી સાથે ઉજવણી કરી હતી.

નીતા અંબાણી અને પુત્ર આકાશ અંબાણી હારથી નિરાશ

જોકે, બીજી તરફ ફાઇનલ જવા માટે આતુર મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા હારથી ખૂબ જ નિરાશ દેખાતા હતા. પંડ્યાએ મેદાન પર બેસીને પોતાની નિરાશા વ્યક્ત કરી હતી. જ્યારે ટીમના માલિક નીતા અંબાણી અને પુત્ર આકાશ અંબાણીએ પણ કહ્યું હતું કે હારથી તેમનું સ્વપ્ન તૂટી ગયું છે. નીતા અંબાણી અને પુત્ર આકાશ અંબાણી હારથી નિરાશ દેખાતા હતા.

આપણ વાંચો:  બીસીસીઆઈએ આ કારણે શ્રેયસ ઐયર અને હાર્દિક પંડયા સહિત સમગ્ર ટીમને ફટકાર્યો દંડ

અશ્વિની કુમારની આંખોમાંથી આંસુ નીકળ્યા

મુંબઈ ઇન્ડિયનના યુવા ફાસ્ટ બોલર અશ્વિની કુમાર હારને કારણે રડતો જોવા મળ્યો હતો. જેની બાદ જસપ્રીત બુમરાહે તેને સાંત્વના આપી હતી. મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓ ખૂબ જ નિરાશ દેખાતા હતા.આ ઉપરાંત રોહિત પણ હતાશામાં મેદાન તરફ જોઈ રહ્યો હતો. હિટમેનનો ચહેરો નિસ્તેજ દેખાતો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button