પાંચ-પાંચ ઓવર પણ રમી શકાશેઃ એ માટેની ડેડલાઇન જાણી લો…

અમદાવાદઃ પંજાબ કિંગ્સ (PBKS)એ ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી અને પાંચ ટાઇટલ જીતી ચૂકેલા મુંબઈ ઇન્ડિયન્સ (MI)ને પ્રથમ બૅટિંગનો મોકો મળ્યો. જોકે મૅચ શરૂ થવાની તૈયારી થઈ રહી હતી અને બન્ને ટીમના ખેલાડીઓ મેદાન પર આવી રહ્યા હતા ત્યારે વરસાદ પડવાની શરૂઆત થઈ હતી અને ઝરઝર વરસાદ મુશળધાર વર્ષામાં ફેરવાઈ ગયો હતો. હવે કયા સમીકરણ બનશે એની વાત કરીએ.
20-20 ઓવરની રાબેતામુજબની મૅચ રાખવા માટે રમત રાત્રે 9.30 વાગ્યા સુધીમાં શરૂ થઈ જવી જોઈએ. જોકે વરસાદ (RAIN)ના ઝાપટાં વારંવાર આવી રહ્યા હોવાથી એની સંભાવના ઓછી લાગે છે.
આ પણ વાંચો: અમદાવાદમાં મેઘરાજા ત્રાટક્યા, મૅચનો આરંભ વિલંબમાંઃ મૅચ ન રમાય તો શું?
9.30 વાગ્યા પછી ઓવર ઘટવાની શરૂ થઈ જશે અને રમત ક્યારે શરૂ થશે એનો આધાર મેઘરાજા પર તેમ જ પિચ અને મેદાન કેટલા સમયની અંદર ફરી રમવાલાયક થશે એના પર રહેશે.
આ મૅચમાં પાંચ-પાંચ ઓવરની મૅચ રાખવી પણ સંભવ છે, પરંતુ એ માટે રાત્રે 11.56 વાગ્યાની ડેડલાઇન છે. એટલા વાગ્યાની અંદર પાંચ-પાંચ ઓવર રાખીને મુંબઈ-પંજાબ મૅચનું પરિણામ લાવી શકશે. જો 11.56 વાગ્યા સુધીમાં પિચ અને મેદાન સંપૂર્ણપણે રમવાલાયક ન થાય અને પાંચ-પાંચ ઓવર પણ સંભવ નહીં હોય તો મૅચ રદ જાહેર કરવામાં આવશે અને એ સ્થિતિમાં પંજાબની ટીમ (પૉઇન્ટ્સ-ટેબલમાં મુંબઈથી આગળ હોવાથી) સીધી મંગળવારની ફાઇનલમાં જશે.
લીગ રાઉન્ડને અંતે પૉઇન્ટ્સ-ટેબલમાં સ્થિતિ આ મુજબ હતીઃ (1) પંજાબ, 19 પૉઇન્ટ, (2) બેંગલૂરુ, 19 પૉઇન્ટ, (3) ગુજરાત, 18 પૉઇન્ટ, (4) મુંબઈ, 16 પૉઇન્ટ.