IPL 2025

અક્ષર પટેલે ક્રિકેટને અલવિદા કહ્યું? વાયરલ વીડિયોમાં દાવો, જાણો શું છે હકીકત

મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમ હાલ ઇંગ્લેન્ડના પ્રવાસ પર જવાની તૈયારી કરી રહી છે, જ્યાં ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે 5 ટેસ્ટ મેચ (India’s tour of England) રમશે. આ સિરીઝ પહેલા ભારતના બે દિગ્ગજ ખેલાડી રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી, હવે સોશિયલ મીડિયા પર એવી ચર્ચા છે કે ભારતીય ટીમના ઓલરાઉન્ડર અક્ષર પટેલ(Akshar Patel)એ પણ નિવૃત્તિ લઇ લીધી છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે અને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેણે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. આ દાવાને કારણે ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે. ઇંગ્લેન્ડ પ્રવાસ માટેની ભારતીય ટીમમાં અક્ષર પટેલને સ્થાન મળ્યું નથી, જેના કારણે અક્ષર નારાજ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

વિડીયોમાં અક્ષર શું કહી રહ્યો છે?

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં અક્ષર કહી રહ્યો છે કે ‘ક્રિકેટ સાથેની મારી સફર અહીં પૂરી થઈ ગઈ. આ ખૂબ જ મહત્વપૂર્ણ જાહેરાત છે. મારા માટે આ જાહેરાત કરવી મુશ્લેલ છે. ક્રિકેટે મને ઘણું બધું આપ્યું છે- મારી ઓળખ, તમારો પ્રેમ, પણ દરેક સફરનો અંત હોય છે. કદાચ મારી સફર અને ક્રિકેટની સફર અહીં જ સમાપ્ત થઈ ગઈ.

શું છે હકીકત?

જોકે, ફેક્ટ ચેક બાદ આ વીડિયો ફેક હોવાનું સાબિત થયું છે. આ વીડિયો AI ની મદદથી બનાવવામાં આવ્યો છે. આ વિડીયો બનાવવા માટે અક્ષરના અવાજ અને તસવીરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અક્ષરે નિવૃત્તિ અંગે કોઈ નિવેદન આપ્યું નથી, અને તે હજુ પણ ક્રિકેટ રમતો રહેશે.

IPLમાં DCની કેપ્ટનશીપ કરી:

અક્ષર પટેલ IPL 2025માં દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ સંભાળી હતી. આ સિઝનમાં દિલ્હી કેપિટલ્સ(DC)નું પ્રદર્શન શાનદાર રહ્યું હતું, પરંતુ ટીમ પ્લેઓફમાં સ્થાન મેળવી શકી નહીં. અક્ષરે આ સિઝનમાં 12 મેચમાં 263 રન બનાવ્યા અને 5 વિકેટ પણ લીધી.

આ પણ વાંચો….ગ્લેન મેક્સવેલની વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ: એક ઝંઝાવાતી કારકિર્દીનો અંત

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button